Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શોકિંગ : શું આલિયા ભટ્ટ- રણબીર કપૂરના લગ્ન અધૂરા છે ? 7ના બદલે કેટલા લીધા વચન ?

14 એપ્રિલના રોજ આલિયા ભટ્ટ (Alia Bhatt) તથા રણબીર કપૂરે લગ્ન કર્યાં હતાં. પિતા મહેશ ભટ્ટે તમામ રીત-રિવાજો દિલથી માન્યા હતા. ત્યાં હાજર રહેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે, આલિયાએ ફેરા દરમિયાન 7 વચનને બદલે ઓછા વચન લીધા હતા.

શોકિંગ : શું આલિયા ભટ્ટ- રણબીર કપૂરના લગ્ન અધૂરા છે ? 7ના બદલે કેટલા લીધા વચન ?
Alia Bhatt & Ranbir Kapoor (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 10:50 AM

Alia-Ranbir Wedding : બોલિવૂડના પાવર કપલ આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરે (Ranbir Kapoor) પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં બાંદ્રા સ્થિત તેમના ‘વાસ્તુ’ એપાર્ટમેન્ટમાં લગ્ન કર્યા છે. 29 વર્ષની આલિયા ભટ્ટે તેના લવ ઓફ ધ લાઈફ 39 વર્ષીય રણબીર કપૂર સાથે 7 જન્મોની ગાંઠ બાંધી છે. આલિયા અને રણબીરની સાથે બંનેના પરિવારજનો પણ આ લગ્નથી ખૂબ જ ખુશ છે. લગ્ન પછી, આલિયાએ એક મોટું પગલું ભર્યું છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના લગ્નની તસવીરો સાથે તેનું ઇન્સ્ટાગ્રામ (Instagram) ડીપી બદલી નાખ્યું છે.

ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કેવી રીતે કરવી ? જાણી લો
'અમીર-ગરીબ...જાડા-પાતળા...', યુઝવેન્દ્ર ચહલને ડેટ કરવા પર RJ મહવાશે તોડ્યું મૌન, ધનશ્રી પર સાધ્યું નિશાન !
Divorce : ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે લેવાશે નિર્ણય..જાણો ક્યારે
Tejpatta Water Benefits : દરરોજ તેજપતાનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
સુનિતા વિલિયમ્સનું અવકાશયાન જમીન નહી પરંતુ પાણીમાં કેમ ઉતારવામાં આવ્યું,જાણો
Plant in pot : ઉનાળામાં મીઠા લીમડાના છોડમાં ઉમેરો આ વસ્તુ, લીલોછમ રહેશે છોડ
View this post on Instagram

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial)

પિતાએ વિરોધ કર્યો હતો 

સૂત્રોના જણાવ્યા અનુસાર, લગ્નના ફેરા ફરતા સમયે જ્યારે પંડિતે આલિયાને કહ્યું હતું કે રણબીરની પત્ની બનીને તે વચન લે કે મહત્ત્વના પ્રસંગોએ તે પતિની પરવાનગી લીધા બાદ જ નિર્ણય કરશે. આ અંગે મહેશ ભટ્ટે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમને અન્ય રીત રિવાજ સામે વાંધો નથી, પરંતુ આલિયા કોઈ બીજું વચન લે એની સામે પણ આપત્તિ નથી.

મહેશ ભટ્ટે કહ્યું કે, ”મેં ક્યારેય મારું જીવન કોઈના પર આધારિત રહીને જીવ્યું નથી અને બાળકોને પણ એ વાત શીખવી છે કે તેઓ કોઈના પર આધાર રાખીને ના જીવે.” આલિયાએ પિતાની આ વાતનું માન રાખવા માટે લગ્નના ફેરા ફરતી વખતે 7 વચનોને બદલે માત્ર 6 વચન જ લીધા હતા.

લગ્નની તૈયારીમાં મહેશ ભટ્ટ હતા ગેર હાજર

દીકરીના પિતા તરીકે મહેશ ભટ્ટે લગ્નની તૈયારીમાં કોઈ મહત્ત્વની ભૂમિકા ભજવી નહોતી. આ સ્ટાર સ્ટડેડ વેડિંગના તમામ નિર્ણયો રણબીર તથા આલિયાએ જ લીધા હતા. રણબીરે જ લગ્નમાં 40થી વધુ મહેમાનોને બોલાવવામાં ના આવે એ નિર્ણય લીધો હતો. જો કે, તેમના લગ્નમાં 38 મહેમાન આવ્યા હતા.

વડીલોએ આપ્યા અંતરના આશીર્વાદ

મહેશ ભટ્ટ આલિયાના લગ્નના બીજા દિવસથી જ કામ પર પરત ફર્યા છે. આ ભવ્ય લગ્નમાં આલિયાના 93 વર્ષીય નાના તથા 89 વર્ષીય નાની ખાસ આશીર્વાદ આપવા માટે આવ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, આલિયાની માસી જર્મનીથી ખાસ આ સ્ટાર કપલને આશીર્વાદ આપવા માટે આવી હતી.

સ્ટાર કપલે આપી જોરદાર આફ્ટર વેડિંગ પાર્ટી

આ સ્ટાર કપલ હજુ પણ તેમના લગ્નની ઉજવણીમાં વ્યસ્ત છે. તાજેતરમાં યોજાયેલી તેમની રીસેપ્શન પાર્ટીમાં મલાઈકા -અર્જુન, તારા -આદર, કરિશ્મા કપૂર, નીતુ કપૂર, કરણ જોહર સહીત તેમના નજીકના મિત્રોએ શાનદાર પબ્લિક અપિરિયન્સ આપ્યો હતો. આ સ્ટાર સ્ટડેડ આફ્ટર વેડિંગ પાર્ટીના વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા છે.

તમને શું લાગે છે કે, રણબીર સાથે લગ્નના ફેરા ફરતી વખતે આલિયાએ 6ની બદલે 7 ફેરા લેવાની જરૂર હતી ?? નીચે અમને કમેન્ટ સેકશનમાં જણાવશો..

આ પણ વાંચો – રણબીર કપૂર-આલિયા ભટ્ટની રિસેપ્શન પાર્ટીમાં શાહરૂખ-ગૌરી ખાનની ભવ્ય એન્ટ્રી, જુઓ વાયરલ વિડીયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
g clip-path="url(#clip0_868_265)">