AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranbir Kapoor Weds Alia Bhatt: લગ્ન બાદ રણબીર અને આલિયા પહેલીવાર મીડિયાની સામે આવ્યા, વેડિંગ કપલમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા

Alia-Ranbir Wedding Photos: આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor) લગ્ન બાદ મીડિયા સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. પોતાના દેખાવથી દરેકના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું.

Ranbir Kapoor Weds Alia Bhatt: લગ્ન બાદ રણબીર અને આલિયા પહેલીવાર મીડિયાની સામે આવ્યા, વેડિંગ કપલમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા
Alia-Ranbir First-Pic
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 8:35 PM
Share

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર (Alia-Ranbir Wedding) ના લગ્ન પૂર્ણ થઈ ગયા છે. બંને હવે  પતિ-પત્ની બની ગયા છે. ઘણા સમયથી લગ્નની અટકળો ચાલી રહી હતી, પરંતુ આખરે આજે એટલે કે 14 એપ્રિલ, 2022 ના રોજ, આલિયા અને રણબીરે મુંબઈના બાંદ્રામાં વાસ્તુ ખાતે પરિવાર અને કેટલાક નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા. સવારથી જ લોકો ઘરે અવર જવર કરતા હતા અને મીડિયામાં ભારે ધમાલ મચી ગઈ હતી. હવે જ્યારે લગ્ન થઈ ગયા છે ત્યારે આલિયા અને રણબીર લગ્ન પછી પહેલીવાર મીડિયાની સામે આવ્યા છે. આ કપલ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યું છે. બંનેને બોલિવૂડની શ્રેષ્ઠ જોડી માનવામાં આવે છે. હવે બંને અહીંથી પોતાની નવી જિંદગીની શરૂઆત કરવા જઈ રહ્યા છે.

રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટ

આજે સવારથી જ પરિવારજનો અને મિત્રોની અવરજવરથી ઘરમાં  ખુશીનો માહોલ હતો. રણબીર કપૂરની માતા નીતુ કપૂર અને તેની બહેન રિદ્ધિમા કપૂર સવારે જ સાથે જોવા મળી હતી. આ બંને સિવાય પરિવારના ઘણા સભ્યો લગ્નમાં સામેલ થયા હતા. આ લગ્નમાં મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા પણ પહોંચ્યા હતા. આ લગ્નમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે પણ હાજરી આપી હતી, જેમાં કરણ જોહર, સૈફ અલી ખાન, ગૌરી ખાન સિવાય પણ ઘણા લોકો આવ્યા હતા.

આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ પણ આ લગ્નમાં પહોંચ્યા હતા. તેમણે પણ મહેંદી લગાવી હતી અને તેમાં પણ રણબીરનું નામ લખ્યું હતું. તેણે પોતાનો હાથ બતાવ્યો જેમાં રણબીરનું નામ સ્પષ્ટ દેખાતું હતું. લગ્નમાં આલિયાની માતા સોની રાઝદાન ઉપરાંત બહેન પૂજા ભટ્ટ પણ આવી હતી.

નીતુ કપૂરે લગ્નની તારીખ કન્ફર્મ કરી હતી

તમને જણાવી દઈએ કે ઘણા સમયથી બંનેના લગ્નને લઈને ખબરો આવી રહી હતી કે તેઓ લગ્ન કરશે કે નહીં. થોડા દિવસો પહેલા સુધી રણબીરની માતા નીતુ કપૂરે લગ્ન વિશે કંઈપણ કહેવાની ના પાડી હતી અને કહ્યું હતું કે લગ્ન થશે કે નહીં તે ભગવાન જાણે છે. પરંતુ 13 એપ્રિલે  તેણે અને તેની પુત્રી રિદ્ધિમા કપૂર સાહનીએ પોતે મીડિયા સમક્ષ કબૂલાત કરી હતી કે તે બંને 14 એપ્રિલે વાસ્તુમાં લગ્ન કરી રહ્યા છે અને તે જ થયું.

આ પણ વાંચો: Alia-Ranbir Wedding: રણબીર કપૂર વિશે સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા પ્રશ્નો, જાણો અહીં તમામ જવાબો

આ પણ વાંચો: શાહરુખ ખાન અને અજય દેવગન સાથે જોવા મળ્યો ત્રીજો ચેહરો, પહેચાન કૌન

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">