સંજય દત્ત (Actor Sanjay Dutt) બોલિવૂડનો (Bollywood) એક એવો અભિનેતા છે જે અવારનવાર તેના અંગત જીવનને કારણે ચર્ચામાં રહ્યો છે.અભિનેતાએ (Sanjay Dutt) તેના જીવનમાં ઘણા ઉતાર ચડાવ જોયા છે. તાજેતરમાં અભિનેતાએ કેન્સર (Cancer) અંગે ખુલ્લેઆમ જણાવ્યું છે કે તે દિવસોમાં તે કેવું અનુભવી રહ્યા હતા.અભિનેતા સંજય દત્તને હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ KGF 2 માં અધીરાની ભૂમિકા માટે આ દિવસોમાં ઘણી પ્રશંસા મળી રહી છે. આવી સ્થિતિમાં એક ઇન્ટરવ્યુ દરમિયાનતેણે તેના કેન્સરના તબક્કા વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે જ્યારે તેને કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે તે કલાકો સુધી રડ્યો હતો.
તેણે કહ્યું, ‘લોકડાઉનનો (Lockdown) સમય હતો. સીડીઓ ચડતી વખતે મને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. હું નાહતી વખતે પણ શ્વાસ લઈ શકતો નહોતો, તેથી મેં મારા ડૉક્ટરને બોલાવ્યો. આ પછી જ્યારે મેં એક્સ-રે કરાવ્યો, ત્યારે જાણવા મળ્યું કે મારા અડધાથી વધુ ફેફસાં પાણીથી ભરેલા છે. ડોક્ટરોએ આ પાણી કાઢી નાખવું પડ્યું અને તેઓ માનતા હતા કે તે ટીબી હોઈ શકે છે, પરંતુ તે કેન્સર હોવાનું બહાર આવ્યું.
અભિનેતાએ કહ્યું, ‘આ વાતને કેવી રીતે કહેવી તે એક મોટો મુદ્દો હતો. તે સમયે મારી બહેન આવી, તો મેં તેને કહ્યું કે મને કેન્સર થયું છે, હવે શું કરવું ? આ પછી બધાએ શું કરી શકાય તે વિશે વાત કરી, પરંતુ હું મારા બાળકો, પત્ની અને જીવન વિશે વિચારીને બે-ત્રણ કલાક ખૂબ રડ્યો. તે પછી મને લાગ્યું કે ના હું કમજોર ન હોઈ શકું. પહેલા અમે સારવાર માટે અમેરિકા જવાનું વિચાર્યું, પરંતુ વિઝા ન મળ્યા. ત્યારે મેં કહ્યું કે હું અહીં સારવાર કરાવીશ.
વધુમાં તેણે જણાવ્યું કે દુબઈમાં તે કીમોથેરાપી માટે જતા હતા અને પછી બે-ત્રણ કલાક બેડમિન્ટન કોર્ટમાં રમતો હતો. તમને જણાવી દઈએ કે સંજય હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તે પોતાની રૂટીનમાં પાછો ફરી રહ્યો છે. તેણે જે રીતે તેની કેન્સરની સફરનો હિંમતપૂર્વક સામનો કર્યો, તે તેના ચાહકો માટે પણ પ્રેરણારૂપ છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો: શું ફરીથી નાગા ચૈતન્ય ઘોડે ચડવાની તૈયારીમાં ? અભિનેત્રી સામંથા સાથે 6 મહિના પહેલા થયા હતા છૂટાછેડા
Published On - 11:26 am, Mon, 18 April 22