AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એવું તો શું થયું હતુ કે લગ્ન પહેલા જ ઋષિ કપૂર થઈ ગયા હતા બેભાન !, બ્રાન્ડી પીને લીધા હતા ફેરા

લગ્ન સમયે ઋષિ કપૂર પોતાના લગ્નમાં ઘોડા પર ચઢતા પહેલા જ બેહોશ થઈ ગયા હતા. ત્યારે એવું તો શું થયું હતુ કે ઋષિ કપૂર બેભાન થઈ ગયા, જે અંગે નીતુ કપૂરે જણાવ્યું છે.

એવું તો શું થયું હતુ કે લગ્ન પહેલા જ ઋષિ કપૂર થઈ ગયા હતા બેભાન !, બ્રાન્ડી પીને લીધા હતા ફેરા
Rishi-Neetu Kapoor fainted before marriage
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2023 | 3:30 PM
Share

ઋષિ કપૂર ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ આ દિગ્ગજ અભિનેતા સાથે જોડાયેલી ઘણી વાતો આજે પણ લોકોની યાદોમાં તાજી છે. આજે અમે તમને ઋષિ કપૂર સાથે જોડાયેલી એક એવી જ વાત જણાવવા જઈ રહ્યા છીએ કે જે જાણીને તમે ચકિત થઈ જશો. આ વાત ઋષિ કપૂર અને નીતુના લગ્ન સાથે જોડાયેલી છે અને તે નીતુ કપૂરે પોતે એક શો દરમિયાન સંભળાવી હતી. નીતુ કપૂર અને ઋષિ કપૂરના લગ્ન વર્ષ 1980માં થયા હતા. ત્યારે લગ્ન સમયે ઋષિ કપૂર પોતાના લગ્નમાં ઘોડા પર ચઢતા પહેલા જ બેહોશ થઈ ગયા હતા. ત્યારે એવું તો શું થયું હતુ કે ઋષિ કપૂર બેભાન થઈ ગયા, જે અંગે નીતુ કપૂરે જણાવ્યું છે.

લગ્ન પહેલા જ ઋષિ કપૂર થયા હતા બેભાન

રાજ કપૂરના ચેમ્બુરના આરકે હાઉસમાં આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ભવ્ય અને ભવ્ય લગ્નમાં પાંચ હજારથી વધુ લોકો પહોંચ્યા હતા. ત્યારે ઋષિ કપૂરના બેભાન થવાનું કારણ પણ લગ્નમાં હાજરી આપનારી ભીડ હતી. ખાસ વાત એ છે કે આ ભીડ આમંત્રિત ન હતી પરંતુ વગર બોલાવે મહેમાન તૂટી પડ્યા હતા. બોલિવૂડના મોટા પરિવારના ચિરાગ ઋષિ કપૂરે 22 જાન્યુઆરી, 1980ના રોજ અભિનેત્રી નીતુ કપૂર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના સમયે ઋષિ કપૂર પણ મોટા સ્ટાર બની ગયા હતા. લગ્નમાં ભેગી થયેલી ભીડને જોઈને ઋષિ કપૂરની હાલત ખરાબ થઈ ગઈ હતી.

બિનઆમંત્રિત મહેમાનોને લગ્નમાં જમાવડો

લગ્નમાં બિનઆમંત્રિત મહેમાનોની ભીડ જોઈને ઋષિ કપૂરની હાલત ખરાબ થઈ ગઈ અને તેઓ બેહોશ થઈ ગયા. આ વાતનો ખુલાસો ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂરે કર્યો છે. નીતુ કપૂરે સ્વિગી યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, ‘અમારા લગ્ન’ વર્ષ 1980માં મુંબઈના ચેમ્બુર સ્થિત આરકે હાઉસમાં થઈ રહ્યા હતા. કપૂર પરિવારમાં લગ્ન હોવાથી ધામધૂમથી થઈ રહ્યા હતા. લગ્નની માહિતી મળતાં જ 5 હજારથી વધુ લોકો અહીં પહોંચ્યા હતા. ઋષિ કપૂર આટલી ભીડ જોઈને ચકિત થઈ ગયા અને ઘોડી પર ચડતા પહેલા જ બેહોશ થઈ ગયા.

લગ્નની ભેટમાં પથ્થર અને ચપ્પલ

આ સાથે નીતુ કપૂરે લગ્ન વિશે વધુ એક ખુલાસો કરતા કહ્યું કે લગ્નમાં ભેટ પણ અનોખી આવી હતી. નીતુ કપૂરે કહ્યું હતુ કે ‘લગ્નમાં ઘણા લોકોએ ગિફ્ટના નામે ચપ્પલ આપ્યા હતા. એટલું જ નહીં, ઘણા લોકો પથ્થર ભરીને પણ આપીને પણ ગયા હતા. ત્યારે વગર બોલાયેલી ભીડ જોઈને નીતુ કપૂર અને ઋષિ કપૂર બન્ને પરેશાન થઈ ગયા હતા. તેમજ લગ્નમાં મોટી સંખ્યામાં લોકોને જોઈને બન્ને બેહોશ થઈ ગયા હતા. આ પછી બન્નેએ બ્રાન્ડી પીને લગ્નના ફેરા લીધા હતા.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">