AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામાયણના લક્ષ્મણનો આયોધ્યાવાસીઓ પર ફુટી નિકળ્યો ગુસ્સો, કહ્યું-તમે તો સીતા માતાને પણ ના છોડ્યા

અરુણ ગોવિલની 'રામાયણ'ના તમામ પાત્રોને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. હાલમાં જ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આ સિરિયલમાં 'લક્ષ્મણ'નું પાત્ર ભજવતા સુનીલ લાહિરીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

રામાયણના લક્ષ્મણનો આયોધ્યાવાસીઓ પર ફુટી નિકળ્યો ગુસ્સો, કહ્યું-તમે તો સીતા માતાને પણ ના છોડ્યા
Ramayana Laxman anger burst
| Updated on: Jun 06, 2024 | 2:32 PM
Share

વર્ષ 2024માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશની ફૈઝાબાદની સીટ હારી ગઈ છે. સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ અયોધ્યાથી જીત્યા છે, જ્યાં થોડા મહિના પહેલા ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું. સીરિયલ ‘રામાયણ’માં લક્ષ્મણનું પાત્ર ભજવનાર અભિનેતા સુનીલ લાહિરી અયોધ્યામાં ભાજપની હારથી ખૂબ જ દુઃખી છે. સુનીલ માત્ર અયોધ્યાથી જ નહીં પરંતુ સમગ્ર લોકસભા ચૂંટણીના ટ્રેન્ડથી બિલકુલ ખુશ નથી. તેણે સોશિયલ મીડિયા પર વીડિયો અને પોસ્ટ દ્વારા પોતાના ફેન્સ સાથે પોતાના વિચારો શેર કર્યા છે.

અયોધ્યાવાસીઓ પર ફૂટી નિકળ્યો રામાયાણના લક્ષ્મણનો ગુસ્સો

ટ્વિટર પર એક વીડિયો શેર કરતા સુનીલે લખ્યું છે કે લોકસભા ચૂંટણીના પરિણામો જોઈને હું ખૂબ ગુસ્સે છું. પરંતુ મને એ વાતની પણ ખુશી છે કે મારા બે મનપસંદ લોકો આ ચૂંટણી જીત્યા છે. વીડિયોમાં સુનીલ કહે છે, “જય શ્રી રામ મિત્રો, હું હંમેશા કહેતો હતો કે વોટ કરો, વોટ કરો. પણ મારી વાત કોઈએ સાંભળી નહિ. હવે પરિણામ જુઓ. ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. શું આ સરકાર 5 વર્ષ ટકી શકશે? આ બધાની વચ્ચે, હું ખુશ છું કે મારા બે પ્રિય લોકો કંગના રનૌત જી અને અરુણ ગોવિલ આ ચૂંટણી જીત્યા. હું તે બંનેને અભિનંદન આપવા માંગુ છું. અને હું તેને તેની ભાવિ યાત્રા માટે શુભેચ્છા પાઠવું છું.

માતા સીતાને નથી છોડ્યા તો પછી..

આ વીડિયોની સાથે અયોધ્યાના લોકોથી નારાજ સુનીલ લાહિરીએ પણ ઘણી પોસ્ટ શેર કરી છે. એક પોસ્ટમાં આપણે બાહુબલી ફિલ્મની તે તસવીર જોઈ શકીએ છીએ, જ્યાં કટપ્પા અમરેન્દ્ર બાહુબલીની પીઠમાં તલવાર તાણી રહ્યા છે. આ તસવીરમાં કટપ્પાને અયોધ્યા જ્યારે બાહુબલી પ્રભાસને બીજેપી કહેવામાં આવ્યા છે.

આ પોસ્ટની સાથે તેણે અયોધ્યાના લોકો પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતી બીજી પોસ્ટ શેર કરી છે, આ પોસ્ટમાં લખ્યું છે કે, અયોધ્યાના લોકો હું તમારી મહાનતાને સલામ કરું છું, જ્યારે તમે માતા સીતાને નથી છોડ્યા, ત્યારે ભગવાન રામને ટેન્ટથી બહાર કાઢી ભવ્ય મંદિરમાં વિરાજમાન કરાવતા લોકોને છોડશો, તે તમારા માટે કોઈ મોટી વાત નથી. આખું ભારત તમને ક્યારેય સારી નજરથી નહીં જોવે.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">