વિવાદ: RSS પર ટિપ્પણી બાદ BJP ના કાર્યકરોએ જાવેદ અખ્તરના ઘરની બહાર કર્યું પ્રદર્શન, જાણો વિગત

જાવેદ અખ્તર પોતાના નિવેદનોને કારણે ઘણી હેડલાઇન્સમાં રહે છે. હવે તાજેતરમાં જ તેમણે આરએસએસ વિશે એવું નિવેદન આપ્યું છે, જેનાથી ભારે હંગામો મચી ગયો છે.

વિવાદ: RSS પર ટિપ્પણી બાદ BJP ના કાર્યકરોએ જાવેદ અખ્તરના ઘરની બહાર કર્યું પ્રદર્શન, જાણો વિગત
Ram Kadam Protest Outside Javed Akhtar House Says Apologize With Folding Hands For Cooperating RSS With Taliban
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 3:21 PM

બોલિવૂડના પ્રખ્યાત લેખક જાવેદ અખ્તર (Javed Akhtar) ફરી એકવાર વિવાદમાં છે. જાવેદે તાજેતરમાં તાલિબાનની સરખામણી આરએસએસ (RSS), વીએચપી (VHP) અને બજરંગ દળ (Bajrang Dal) સાથે કરી હતી, જે પછી ઘણો વિવાદ થયો છે. ભાજપના કાર્યકરો જાવેદ અખ્તરના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

વિવાદ વધતા સાથે જ રામ કદમે કહ્યું છે કે જાવેદ અખ્તરે પોતાનું નિવેદન પાછું ખેંચી લેવું જોઈએ અને હાથ જોડીને માફી માંગવી જોઈએ.

આ પહેલા રામ કદમે ટ્વિટ કર્યું હતું કે જ્યાં સુધી જાવેદ અખ્તર સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના કરોડો કાર્યકરોની સાથે હાથ જોડીને માફી નહીં માંગે ત્યાં સુધી તેમની અને તેમના પરિવારની કોઈ ફિલ્મ રિલીઝ થવા દેવામાં આવશે નહીં.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ રામ કદમની હતી ધમકી

રામ કદમ પહેલા ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકરે કહ્યું હતું કે જાવેદે અફઘાનિસ્તાન અથવા પાકિસ્તાન જવું જોઈએ અને તાલિબાન વિરુદ્ધ નિવેદન આપી બતાવવું જોઈએ. આ સિવાય તેમણે જાવેદ અખ્તરે પોતાનું નિવેદન પાછું ખેંચવાની માંગ કરી છે અન્યથા કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહોની ધમકી પણ આપી છે.

જાવેદે શું કહ્યું?

એક અંગ્રેજી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા જાવેદ અખ્તરે કહ્યું હતું કે RSS, VHP અને બજરંગ દળ જેવા સંગઠનો તાલિબાન જેવા છે. ભારતનું બંધારણ તેમના માર્ગમાં અવરોધ બની રહ્યું છે. જો થોડી તક આપવામાં આવે તો તેઓ હદ પાર કરવામાં અચકાશે નહીં.

ભારતમાં લઘુમતીઓની મોબ લિંચિંગ વિશે તેમણે કહ્યું હતું કે આ તાલિબાનની જેમ બનતા પહેલા ડ્રેસ રિહર્સલ હતું. આ બધા લોકો એક જ પ્રકારના છે. માત્ર તેમના નામ અલગ છે.

જાવેદ અખ્તરે કહ્યું, ‘મને લાગે છે કે જેઓ RSS, વીએચપી, બજરંગ દળ જેવી સંસ્થાઓને ટેકો આપે છે, તેઓએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. તાલિબાન મધ્યયુગીન માનસિકતા ધરાવે છે. તેમાં કોઈ શંકા નથી. તેઓ બર્બર, તોફાની છે. પરંતુ તમે જેમને ટેકો આપી રહ્યા છો એમનામાં અને તાલિબાન વચ્ચે ક્યાં ફરક છે. ઉલટું, આમ કરીને તમે માત્ર તાલિબાની માનસિકતાને મજબૂત કરી રહ્યા છો. તમે પણ એ જ રસ્તે આગળ વધી રહ્યા છો. તેમની અને આમની માનસિકતા સમાન છે.

આ પણ વાંચો: RSS, VHP અને બજરંગ દળની તાલીબાન સાથે સરખામણી, જાવેદ અખ્તરના આ નિવેદન બાદ વિવાદ

આ પણ વાંચો: મનોરંજન જગતને લાગી નજર: છેલ્લા 7 મહિનામાં આ 17 શાનદાર કલાકારોએ દુનિયાને કહી દીધું અલવિદા

Latest News Updates

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">