ફરી એકવાર સલમાન ખાન પોતાના ફેન્સ પર થયા ગુસ્સે, પોસ્ટર પર દૂધ ચડાવનારાઓને કરી આ વિનંતી
સલમાન ખાનની ફિલ્મ અંતિમ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ભાઈજાનની ફિલ્મની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ અંતિમ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ભાઈજાનની ફિલ્મની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. લાંબા સમય બાદ સલમાનની ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. જેને જોવા માટે ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં સલમાન સાથે આયુષ શર્મા લીડ રોલમાં છે. ચાહકોને ઘણો પ્રેમ કરનાર સલમાન આ વખતે તેમનાથી નારાજ થઈ ગયો છે.
સલમાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ચાહકોને અપીલ કરી છે. તેમણે નારાજગી પણ વ્યક્ત કરી છે. સલમાને 24 કલાકમાં બીજી વખત આવી પોસ્ટ શેર કરી છે.
સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં લોકો સલમાનના અંતિમના પોસ્ટર પર દૂધ ચઢાવતા જોવા મળી રહ્યા છે અને ઘણા લોકો વીડિયો બનાવી રહ્યા છે. આ જોઈને સલમાન ફેન્સ પર ગુસ્સે થઈ ગયા હતા.
View this post on Instagram
વીડિયો શેર કરતા સલમાને લખ્યું- ઘણા લોકો પાસે પાણી નથી અને તમે આવું દૂધ બગાડો છો. જો તમારે દૂધ આપવું જ હોય તો હું તમામ ચાહકોને વિનંતી કરું છું કે તમે એવા ગરીબ બાળકોને ખવડાવો, જેમને દૂધ પીવાનું મળતું નથી.
આ પહેલા પણ સલમાને એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ફેન્સ થિયેટર્સમાં સલમાનની એન્ટ્રી પર ફટાકડા ફોડતા જોવા મળે છે. આ વીડિયોને શેર કરતા સલમાને લખ્યું- હું મારા તમામ ચાહકોને વિનંતી કરું છું કે ઓડિટોરિયમમાં ફટાકડા ન લઈ જાઓ કારણ કે, તે આગનો મોટો ખતરો સાબિત થઈ શકે છે, જે તમારા અને અન્યના જીવનને જોખમમાં મૂકી શકે છે.
સલમાન ખાને આગળ કહ્યું- હું થિયેટરના માલિકને વિનંતી કરું છું કે લોકોને ફટાકડા લઈ જવાની મંજૂરી ન આપો અને સુરક્ષાએ તેમને એન્ટ્રી પોઈન્ટ પર જ રોકવા જોઈએ. ફિલ્મનો આનંદ માણો અને કૃપા કરીને ફટાકડા લઈ જવાનું ટાળો. મારા બધા ચાહકોને મારી આ વિનંતી છે. આભાર.
આ પણ વાંચો: ખુશખબર : ઈન્ડિયન એરફોર્સમાં જોડાવા માગતા ઉમેદવારો માટે ઉતમ તક, જાણો ભરતીની સમગ્ર પ્રક્રિયા