Rishi Kapoor ના ગયા પછી એકલી પડી ગઈ નીતૂ, રણબીર-રિદ્ધિમા સાથે ન રહેવાનું જણાવ્યું આ મોટું કારણ

ઋષિ કપૂરના ગયા પછી નીતુ કપૂર એકલા થઈ ગયા છે. તે બંને બાળકો સાથે પણ નથી રહેતા. હવે નીતુએ જાતે જણાવ્યું કે તે કેમ બાળકો સાથે નથી રહેતા.

Rishi Kapoor ના ગયા પછી એકલી પડી ગઈ નીતૂ, રણબીર-રિદ્ધિમા સાથે ન રહેવાનું જણાવ્યું આ મોટું કારણ
Neetu Kapoor
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 14, 2021 | 2:21 PM

ઋષિ કપૂર સારવાર હેઠળ હતા ત્યારે નીતુ કપૂરે તેમને ક્યારેય એકલા નથી છોડ્યા. તે આખો સમય તેમની સાથે હતી. હવે ઋષિ કપૂરના ગયા પછી નીતુ કપૂર એકલી થઈ ગઈ છે. તે બંને બાળકો સાથે પણ નથી રહેતી. હવે નીતુએ પોતે જણાવ્યું કે તે કેમ બાળકો સાથે નથી રહેતા.

નીતુ કપૂરે કહ્યું, ‘હું ઈચ્છું છું કે તે તેમના જીવનમાં વ્યસ્ત રહે. હું કહું છું મારા હૃદયમાં રહો, મારા માથા ઉપર ન ચડો . જ્યારે રોગચાળા દરમિયાન રિદ્ધિમા મારી સાથે હતી, ત્યારે હું એક વર્ષ સુધી ખૂબ જ સ્ટ્રેસમાં હતી કારણ કે તે પાછી ન હોતી જઇ શકતી. હું રિદ્ધિમાને કહેતી હતી કે ઘરે જાવ, ભરત (રિદ્ધિમાનો પતિ) ઘરમાં એકલા હશે. હું તેને વારંવાર જાવાનું કહેતી હતી. મને મારી પ્રાઈવેસી ગમે છે. હું આવુ જ જીવન જીવતી આવી રહ્યી છું. ‘

નીતુએ આગળ તે દિવસો વિશે જણાવ્યું જ્યારે રિદ્ધિમા ભણવા લંડન ગઈ હતી. નીતુએ કહ્યું, ‘મને યાદ છે કે જ્યારે રિદ્ધિમા લંડનમાં હતી, ત્યારે હું થોડા દિવસ ચિલ્લાતી હતી. હું રડતી હતી. આ પછી, જ્યારે રણબીર ગયો ત્યારે હું આવી ન હતી. તે મને કહેતો હતો માં તું મને પ્રેમ નથી કરતી. પરંતુ એવું નહોતું કારણ કે મને બાળકોથી દૂર રહેવાની આદત બની ગઈ હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

તેથી જ્યારે તે ફરીથી બન્યું, મેં મારી જાતને તૈયાર કરી લીધી હતી. મને લાગે છે કે તેમના અંતરે મને વધુ મજબૂત બનાવી અને મને અહેસાસ દેવડાવ્યો કે હું એકલો રહી શકું છું. ‘

નીતુએ કહ્યું, ‘આ પછી, દરેક જણ તેમના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. જ્યારે તેઓ આવતા ત્યારે મને આનંદ થતો, પણ પછી હું ઈચ્છતી હતી કે તે પાછા તેમના ઘરે જાય. હું એક જ વાત કહું છું, મને રોજ મળશો નહીં, પણ કનેક્ટેડ રહો. હું તેમને હંમેશાં આસપાસ નથી માંગતી, હું ઈન્ડિપેન્ડન્ટ છું. મારું જીવન જેવું છે તે મને પસંદ છે. ‘

ઋષિના મૃત્યુ પછી નીતુ અને રણબીરના સંબંધોમાં આવ્યું પરિવર્તન

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા નીતુએ કહ્યું હતું કે ઋષિ કપૂરના ગયા પછી તેમના અને રણબીરના સંબંધોમાં ઘણો ફેરફાર થયો છે. નીતુએ કહ્યું હતું કે હવે તે રણબીર સાથે ફિલ્મ સ્ક્રિપ્ટો પર ચર્ચા કરે છે અને આ સિવાય બંને એક સાથે કેટલીક સારી અને રમૂજી મૂવીઝ જુએ ​​છે.

તેમણે એમ પણ કહ્યું કે, હવે હું મારી ભૂમિકા વિશે ચર્ચા કરું છું. કોઈ પણ ફિલ્મ મને ઓફર થાય છે, હું તેની સાથે ચર્ચા કરું છું. હવે અમારુ બોન્ડ ઘણુ સારું છે. તે મારી સાથે પોતાની ફિલ્મો વિશે ડિસ્કસ કરે છે, જોકે તેનો પોતાનો નિર્ણયો હોય છે. પણ એકવાર તે મારો મત પણ જરુર લે છે. તેથી અમારો સંબંધ પહેલા કરતા ઘણા સારા છે. ‘

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">