NCB સમક્ષ રિયા ચક્રવર્તીએ આપેલું લેખિત નિવેદન આવ્યું સામે, ડ્રગ્સ કેસમાં સારા અલી ખાન વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો
NCB : અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુનાં લગભગ એક વર્ષ બાદ એનસીબી સમક્ષ રિયા ચક્રવર્તીએ આપેલું લેખિત નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે અભિનેત્રી સારા અલી ખાન વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. લેખિત નિવેદન મુજબ, 2017માં અભિનેત્રી સારા અલી ખાન ,રિયા ચક્રવતી સાથે "ગાંજાના જોડાણ" (Marijuana Joints)વિશે વાત કરી રહી છે.
NCB: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના લગભગ એક વર્ષ બાદ એનસીબી સમક્ષ રિયા ચક્રવર્તી ( Rhea Chakraborty)એ આપેલું લેખિત નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે અભિનેત્રી સારા અલી ખાન વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. લેખિત નિવેદન મુજબ 2017માં અભિનેત્રી સારા અલી ખાન અને રિયા ચક્રવતી (Sara Ali Khan) સાથે “ગાંજાના જોડાણ” (Marijuana Joints)વિશે વાત કરી રહી છે.
રિયાને સારાએ કરી હતી ઓફર
એક મીડિયા એજન્સીએ એનસીબી (NCB) દાખલ દ્વારા કરવામાં આવેલી ચાર્જશીટના ભાગ રૂપે આ નિવેદનની નકલ પ્રકાશિત કરી છે. જેમાં રિયાએ નિવેદનમાં સારા સાથેની વોટ્સએપ ચેટ વિશે લખ્યું છે. અભિનેત્રીએ કરેલા નિવેદન મુજબ તેને સારા દ્વારા રોલ્ડ ગાંજા (Rold Marijiuana) અને વોડકાની ઓફર કરવામાં આવી હતી અને તેની સાથે તે “રોલ્ડ ડૂબીઝ” (Rold Doobies)પણ શેર કરતી હતી.
મહત્વપૂર્ણ છે કે અભિનેત્રી સારા અલી ખાને એનસીબી સમક્ષ કબુલ કર્યું હતુ કે તે ફિલ્મ કેદારનાથ ફિલ્મની રિલીઝ સમયે તે સુશાંતને(Sushant) ડેટ કરતી હતી અને તેઓ સાથે થાઈલેન્ડ ટ્રીપમાં પણ ગયા હતા. ઉપરાંત અભિનેતાના મિત્રોના જણાવ્યા મુજબ તે સુશાંતના ફાર્મહાઉસમાં પણ નિયમિત મુલાકાત લેતી હતી.
સારા સાથે બ્રેકઅપ કર્યા બાદ જ સુશાંતે રિયા સાથે ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું .રિયા ચક્રવતી, સુશાંતના મૃત્યુના થોડા દિવસો પહેલા જ તેની સાથે લિવ ઈન પાર્ટનર પણ હતી.
CBI અને NCBના કેસોમાં નથી મળ્યા કોઈ તારણો
હાલ, CBI (Central Bureau of Investigation)દ્વારા જે કેસની તપાસ કરવામાં આવે છે, તે અંતર્ગત અભિનેતા સુશાંતના પરિવારના સભ્યો દ્વારા રિયા ચક્રવતી પર આત્મહત્યાનો આરોપ લગાવ્યો છે. જ્યારે NCB(Narcotics control bureau) સુશાંતના મુત્યુ કેસમાં કનેકશન ધરાવતા ડ્રગ્સ કેસની અલગ તપાસ કરી રહી છે.
ગયા વર્ષે જુલાઈમાં રિયાને પણ ડ્રગ્સ કેસમાં 28 દિવસની જેલની સજા ભોગવવી પડી હતી અને હાલ તે જામીન પર બહાર છે. જો કે,હજુ સુધી એનસીબી અને સીબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલા કેસોમાંથી કોઈ નક્કર તારણો બહાર આવ્યાં નથી.
મહત્વપૂર્ણ છે કે સુશાંતે 14 જૂનના રોજ તેમના બાંદ્રા(Bandra) નિવાસસ્થાન પર તેના એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હતી. જ્યારે બિહારમાં સુશાંતના પરિવાર અને ચાહકોએ હત્યાનો આરોપ લગાવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ હજુ સુધી આ કેસનો કોઈ ઉકેલ આવ્યો નથી.