Big News : નાના પાટેકરની મિમિક્રી કરનાર કોમેડિયન તીર્થાનંદ રાવે આત્મહત્યાનો કર્યો પ્રયાસ

નાના પાટેકરની મિમિક્રી કરતા તીર્થાનંદના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એટલું જ નહીં, તીર્થાનંદ કપિલ શર્મા શોમાં નાના પાટેકરની મિમિક્રી કરતા પણ જોવા મળ્યા હતા.

Big News : નાના પાટેકરની મિમિક્રી કરનાર કોમેડિયન તીર્થાનંદ રાવે આત્મહત્યાનો કર્યો પ્રયાસ
Comedian Tirthanand tried to commit suicide
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 2:58 PM

બોલિવૂડ એક્ટર નાના પાટેકરની (Nana Patekar) મિમિક્રી કરવા માટે પ્રખ્યાત કોમેડિયન તીર્થાનંદ રાવે (Tirthanand Rao) આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આર્થિક તંગીના (Financial Problem) કારણે તીર્થાનંદે આ પગલું ભર્યું હતું. જોકે, પડોશીઓને સમયસર આ ઘટના વિશે જાણ થઈ જતા તીર્થાનંદનો જીવ બચી ગયો હતો. અહેવાલો અનુસાર, તીર્થાનંદે 27 ડિસેમ્બરની સાંજે ઝેર પી લીધું હતું. તેઓ ચાર દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા અને હવે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

તીર્થાનંદે ઝેર પીધુ હોવાની પણ કબૂલાત કરી

રિપોર્ટ્સ અનુસાર, એક ઈન્ટરવ્યુમાં તીર્થાનંદે ઝેર પીધુ હોવાની પણ કબૂલાત કરી છે. તીર્થાનંદનું (Comedian Tirthanand ) કહેવું છે કે આર્થિક સંકડામણના કારણે તેણે આ પગલું ભર્યું અને તેથી જ તેના પરિવારના સભ્યો પણ તેને છોડીને ચાલ્યા ગયા છે. આથી હાલ કોરોનાની વચ્ચે આર્થિક સંકડામણના કારણે જાણીતા કોમેડિયને આ પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

પરિવારે સાથ છોડી દીધો

કોમેડિયને વધુમાં જણાવ્યુ કે, હું હોસ્પિટલમાં હતો, પરંતુ મારી માતા અને ભાઈ મને મળવા પણ આવ્યા ન હતા. અમે એક જ કોમ્પ્લેક્ક્ષમાં રહીએ છીએ અને હું છેલ્લા 15 વર્ષથી અહીં રહુ છું, પરંતુ મારો પરિવાર મારી સાથે વાત પણ કરતો નથી. એટલું જ નહીં, તેણે મારી સારવાર માટે એક પૈસો પણ ખર્ચ્યો ન હતો. હોસ્પિટલમાંથી પાછો આવ્યો હોવા છતાં હુ ઘરે એકલો રહું છું. આનાથી વધુ ખરાબ કોઈની સાથે શું હોઈ શકે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

પત્ની અને પુત્રી વિશે વાત કરતાં તીર્થાનંદે કહ્યું કે મેં જેની સાથે લગ્ન કર્યા છે તે ડાન્સર છે. અમારે એક દીકરી પણ છે, પણ મારી પત્નીએ ફરીથી લગ્ન કરી લીધા. મારી દીકરીના પણ હવે લગ્ન થઈ ગયા છે. મારો તેમની સાથે કોઈ સંપર્ક નથી. ઠીક છે, મેં જે કંઈ પણ કર્યુ એ માટે હું પોલીસની માફી માંગુ છુ અને હવે હું આગળ કામ શોધીશ અને મારા કરિયરને આગળ વધારીશ.

આ પણ વાંચો : Death Anniversary : યારોના યાર હતા ઓમ પુરી, પોતાનો જીવ દાવ પર લગાવીને આ દિગ્ગજ અભિનેતાનો જીવ બચાવ્યો હતો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">