AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News : નાના પાટેકરની મિમિક્રી કરનાર કોમેડિયન તીર્થાનંદ રાવે આત્મહત્યાનો કર્યો પ્રયાસ

નાના પાટેકરની મિમિક્રી કરતા તીર્થાનંદના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એટલું જ નહીં, તીર્થાનંદ કપિલ શર્મા શોમાં નાના પાટેકરની મિમિક્રી કરતા પણ જોવા મળ્યા હતા.

Big News : નાના પાટેકરની મિમિક્રી કરનાર કોમેડિયન તીર્થાનંદ રાવે આત્મહત્યાનો કર્યો પ્રયાસ
Comedian Tirthanand tried to commit suicide
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 2:58 PM
Share

બોલિવૂડ એક્ટર નાના પાટેકરની (Nana Patekar) મિમિક્રી કરવા માટે પ્રખ્યાત કોમેડિયન તીર્થાનંદ રાવે (Tirthanand Rao) આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આર્થિક તંગીના (Financial Problem) કારણે તીર્થાનંદે આ પગલું ભર્યું હતું. જોકે, પડોશીઓને સમયસર આ ઘટના વિશે જાણ થઈ જતા તીર્થાનંદનો જીવ બચી ગયો હતો. અહેવાલો અનુસાર, તીર્થાનંદે 27 ડિસેમ્બરની સાંજે ઝેર પી લીધું હતું. તેઓ ચાર દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા અને હવે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

તીર્થાનંદે ઝેર પીધુ હોવાની પણ કબૂલાત કરી

રિપોર્ટ્સ અનુસાર, એક ઈન્ટરવ્યુમાં તીર્થાનંદે ઝેર પીધુ હોવાની પણ કબૂલાત કરી છે. તીર્થાનંદનું (Comedian Tirthanand ) કહેવું છે કે આર્થિક સંકડામણના કારણે તેણે આ પગલું ભર્યું અને તેથી જ તેના પરિવારના સભ્યો પણ તેને છોડીને ચાલ્યા ગયા છે. આથી હાલ કોરોનાની વચ્ચે આર્થિક સંકડામણના કારણે જાણીતા કોમેડિયને આ પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

પરિવારે સાથ છોડી દીધો

કોમેડિયને વધુમાં જણાવ્યુ કે, હું હોસ્પિટલમાં હતો, પરંતુ મારી માતા અને ભાઈ મને મળવા પણ આવ્યા ન હતા. અમે એક જ કોમ્પ્લેક્ક્ષમાં રહીએ છીએ અને હું છેલ્લા 15 વર્ષથી અહીં રહુ છું, પરંતુ મારો પરિવાર મારી સાથે વાત પણ કરતો નથી. એટલું જ નહીં, તેણે મારી સારવાર માટે એક પૈસો પણ ખર્ચ્યો ન હતો. હોસ્પિટલમાંથી પાછો આવ્યો હોવા છતાં હુ ઘરે એકલો રહું છું. આનાથી વધુ ખરાબ કોઈની સાથે શું હોઈ શકે.

પત્ની અને પુત્રી વિશે વાત કરતાં તીર્થાનંદે કહ્યું કે મેં જેની સાથે લગ્ન કર્યા છે તે ડાન્સર છે. અમારે એક દીકરી પણ છે, પણ મારી પત્નીએ ફરીથી લગ્ન કરી લીધા. મારી દીકરીના પણ હવે લગ્ન થઈ ગયા છે. મારો તેમની સાથે કોઈ સંપર્ક નથી. ઠીક છે, મેં જે કંઈ પણ કર્યુ એ માટે હું પોલીસની માફી માંગુ છુ અને હવે હું આગળ કામ શોધીશ અને મારા કરિયરને આગળ વધારીશ.

આ પણ વાંચો : Death Anniversary : યારોના યાર હતા ઓમ પુરી, પોતાનો જીવ દાવ પર લગાવીને આ દિગ્ગજ અભિનેતાનો જીવ બચાવ્યો હતો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">