Lata Mangeshkar Love story: શું આ કારણે લતાજી ન કરી શક્યા લગ્ન ? આ ક્રિકેટર સાથે પ્રેમ હતો, પણ રહ્યો અધૂરો

આજે વાત કરીશું ગાયિકા લતા મંગેશકરની પ્રેમ કહાની (Lata Mangeshkar Love Story) વિશે જેણે પોતાના અવાજથી આખી દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે અને જણાવીશું કે તેમણે લગ્ન કેમ ન કર્યા ? શું તે કોઈના પ્રેમમાં પડ્યા હતા ?

Lata Mangeshkar Love story: શું આ કારણે લતાજી ન કરી શક્યા લગ્ન ? આ ક્રિકેટર સાથે પ્રેમ હતો, પણ રહ્યો અધૂરો
Lata Mangeshkar love story with former Cricketer Raj Singh Dungarpur (File Image- ESPNcricinfo & Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 7:34 PM

આજે વાત કરીશું ગાયિકા લતા મંગેશકરની પ્રેમ કહાની (Lata Mangeshkar Love Story) વિશે. જેણે પોતાના અવાજથી આખી દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે અને જણાવીશું કે તેણે લગ્ન કેમ ન કર્યા ? શું તે કોઈના પ્રેમમાં પડ્યા હતા ? પ્રેમ હતો તો લગ્ન કેમ ન કર્યા ? સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે લતા મંગેશકર માત્ર ભારતીયોના દિલમાં જ નહીં પરંતુ સંગીતને (Music) ચાહનાર દરેક વ્યક્તિના દિલમાં વસે છે. લતાજીનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના(Madhya Pradesh) ઈન્દોરમાં થયો હતો. ઘરની સ્થિતિ સારી ન હોવાથી તેને અગણિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે પોતાની મહેનત, સમર્પણ અને જુસ્સાથી આ સિદ્ધિ હાંસલ કરી છે. લતા મંગેશકરે 30 થી વધુ ભાષાઓમાં 10 હજારથી વધુ ગીત ગાયા છે.

લતા મંગેશકરને વર્ષ 1989માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી(Dadasaheb Phalke) નવાજવામાં આવ્યા હતા અને ત્યારબાદ 2001માં લતાજીને ભારતના સૌથી મોટા પુરસ્કાર ભારત રત્નથી (Bharat Ratna) પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. લતાજીના લાખો ચાહકોના મનમાં એક પ્રશ્ન અવશ્ય હશે કે લતાજીએ લગ્ન કેમ ન કર્યા ? તો આજે અમે તમને લતાજીના પ્રેમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. કહેવાય છે કે લતાજી પણ કોઈના પ્રેમમાં પડી ગયા હતા પરંતુ લગ્ન ન થઈ શક્યા. તેમની પ્રેમ કહાની અધૂરી રહી.

એક માહિતી મુજબ લતા મંગેશકર ડુંગરપુર રાજવી પરિવારના મહારાજા રાજ સિંહના (Raj Singh Dungarpur) પ્રેમમાં હતા. એક સમાચાર અનુસાર એવું કહેવાય છે કે રાજ સિંહે તેના માતા-પિતાને વચન આપ્યું હતું કે તે કોઈપણ સામાન્ય પરિવારની છોકરી સાથે લગ્ન નહીં કરે અને તેથી જ મહારાજા રાજ સિંહ છેલ્લી ઘડી સુધી પોતાના માતા-પિતાને આપેલું વચન પાળ્યું. કહેવાય છે કે મહારાજા રાજ સિંહ લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરના મિત્ર પણ હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

લતા મંગેશકર જેને પ્રેમ કરતા હતા તે ક્રિકેટના ખૂબ શોખીન હતા. તેમણે લગભગ 16 વર્ષ સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમ્યા છે. આ પછી રાજ સિંહ 20 વર્ષ સુધી ક્રિકેટ બોર્ડ ઓફ ઈન્ડિયા (BCCI) સાથે પણ જોડાયેલા. તેઓ બે ટર્મ માટે રાષ્ટ્રીય ટીમના પસંદગીકાર પણ હતા અને ચાર વખત ભારતીય ટીમના વિદેશ પ્રવાસનું સંચાલન કર્યું હતું. વિકિપીડિયા અનુસાર તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો:

શું સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ શ્વેતા તિવારીની પુત્રી પલકને ડેટ કરી રહ્યો છે ? જાણો સત્ય

આ પણ વાંચો:

Pushpa : Oo Antavaમાં ધૂમ મચાવ્યા બાદ શું સામંથા વિજય દેવરકોંડાની ‘લાઇગર’માં પણ કરશે ડાન્સ નંબર ?

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">