Anurag Kashyap Net Worth: 5 હજાર લઈને મુંબઈ આવેલા અનુરાગની આજની સંપત્તિ જાણીને આંખો થઈ જશે પહોળી

અનુરાગ કશ્યપ બોલિવૂડના પ્રતિભાશાળી નિર્દેશકોમાંના એક છે. તેમણે ઘણી મોટી અને હિટ ફિલ્મો આપી છે અને આ જ કારણ છે કે કમાણીમાં તે કોઈથી ઓછા નથી. અનુરાગ સૌથી વધુ કમાણી કરનારા નિર્દેશકોમાંના એક છે.

Anurag Kashyap Net Worth: 5 હજાર લઈને મુંબઈ આવેલા અનુરાગની આજની સંપત્તિ જાણીને આંખો થઈ જશે પહોળી
Know about Anurag kashyap net worth, earning and luxury house details
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 10:42 AM

અનુરાગ કશ્યપે (Anurag Kashyap) હિન્દી સિનેમામાં મોટું યોગદાન આપ્યું છે. તમને જણાવી દઈએ કે જ્યારે આખી ટીમ કોઈ ફિલ્મને હિટ બનાવવા માટે સખત મહેનત કરે છે, ત્યારે દિગ્દર્શકનો તેમાં મોટો હાથ હોય છે અને અનુરાગ તે નિર્દેશકોમાંના એક છે જેમણે તેમની કારકિર્દીમાં ઘણી બધી મહાન ફિલ્મો બનાવી છે. અનુરાગની ફિલ્મો એકદમ અલગ વિષય પર હોય છે અને તેની શૈલી તેને અન્ય દિગ્દર્શકોથી અલગ બનાવે છે.

અનુરાગે દિગ્દર્શક, પટકથા લેખક અને ફિલ્મ નિર્માતા તરીકે શાનદાર કામ કર્યું છે અને આ માટે તેને ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.

નેટ વર્થ કેટલી છે?

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

આજે અનુરાગના જન્મદિવસે, તમને તેની નેટવર્થ, લક્ઝરી હાઉસ અને ગાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે અનુરાગ સૌથી વધુ કમાણી કરનારા નિર્દેશકોમાંનો એક છે. બોલિવૂડ સમાચારની વેબસાઈટના અહેવાલ મુજબ અનુરાગની કુલ નેટવર્થ 806 કરોડ છે. અનુરાગની નેટવર્થમાં ફિલ્મોમાંથી તેની કમાણી, વ્યક્તિગત રોકાણ અને પ્રોડક્શન હાઉસની કમાણીનો સમાવેશ થાય છે.

ઘર

અનુરાગનું હૈદરાબાદમાં એક વૈભવી ઘર છે. ઘરની કિંમત 6 કરોડ છે. આ સિવાય, અનુરાગ પાસે ઘણા દેશોમાં પ્રોપર્ટી છે, જેના વિશે વધારે વિગત પ્રાપ્ત નથી.

દાન

અનુરાગ ચેરિટી પણ કરે છે. તે ઘણા એનજીઓને દાન આપતો રહે છે. આ સિવાય, અનુરાગ દેશમાં સૌથી વધુ કરદાતાઓમાંનો એક છે.

કારકિર્દીની શરૂઆત

અહેવાલો અનુસાર, જ્યારે અનુરાગ મુંબઈ આવ્યો ત્યારે તેની પાસે માત્ર 5 હજાર રૂપિયા હતા અને ધીરે ધીરે તેના તમામ પૈસા ખતમ થવા લાગ્યા. એટલું જ નહીં, એક સમય હતો જ્યારે અનુરાગને મુંબઈની શેરીઓમાં સૂવું પડતું હતું.

ઘણા લોકોને લાગે છે કે અનુરાગે દિગ્દર્શક તરીકેની કારકિર્દી વર્ષ 2007 માં ફિલ્મ બ્લેક ફ્રાઇડેથી શરૂ કરી હતી. પરંતુ જણાવી દઈએ કે અનુરાગે ફિલ્મ પાંચથી ડેબ્યૂ કર્યું હતું, પરંતુ આ ફિલ્મ રિલીઝ થઈ નહોતી કારણ કે તેણે સેન્સર બોર્ડ દ્વારા જણાવવામાં આવેલા કટ કરવાની ના પાડી હતી. આ પછી અનુરાગે બ્લેક ફ્રાઇડે બનાવી અને આ ફિલ્મ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો કારણ કે તે વિવાદાસ્પદ વિષય પર બનાવવામાં આવી હતી.

અનુરાગ એક અભિનેતા પણ છે

બહુ ઓછા લોકો જાણે છે કે અનુરાગ પ્રથમ થિયેટર આર્ટિસ્ટ હતા અને તેમણે અભિનય પણ કર્યો હતો. બોલિવૂડમાં, તેમણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે જેમાં બ્લેક ફ્રાઇડે, નો સ્મોકિંગ, લક બાય ચાન્સ, દેવ ડી, ગુલાલ, શાગિર્દ, અઈયા, ભૂતનાથ રિટર્ન્સ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

અંગત જીવન

અનુરાગે અગાઉ આરતી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ ત્યારબાદ બંનેના છૂટાછેડા થઈ ગયા. બંનેને એક પુત્રી આલિયા છે. આ પછી, અનુરાગે વર્ષ 2011 માં કલ્કી કોચલીન સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને 2015 માં બંને અલગ થઈ ગયા.

આ પણ વાંચો: વિવાદ: કૃષ્ણા અભિષેકે આપ્યું આવું નિવેદન તો ભડકી ગોવિંદાની પત્ની, કહ્યું ‘જીવનમાં એનો ચહેરો જોવા નથી માંગતી’

આ પણ વાંચો: Birthday Special: મીડિયા સામે કરણે નિશાને કર્યું હતું પ્રપોઝ, લગ્ન બાદ લાગ્યા ગભીર આરોપો, થયા છૂટાછેડા

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">