AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anurag Kashyap Net Worth: 5 હજાર લઈને મુંબઈ આવેલા અનુરાગની આજની સંપત્તિ જાણીને આંખો થઈ જશે પહોળી

અનુરાગ કશ્યપ બોલિવૂડના પ્રતિભાશાળી નિર્દેશકોમાંના એક છે. તેમણે ઘણી મોટી અને હિટ ફિલ્મો આપી છે અને આ જ કારણ છે કે કમાણીમાં તે કોઈથી ઓછા નથી. અનુરાગ સૌથી વધુ કમાણી કરનારા નિર્દેશકોમાંના એક છે.

Anurag Kashyap Net Worth: 5 હજાર લઈને મુંબઈ આવેલા અનુરાગની આજની સંપત્તિ જાણીને આંખો થઈ જશે પહોળી
Know about Anurag kashyap net worth, earning and luxury house details
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 10:42 AM
Share

અનુરાગ કશ્યપે (Anurag Kashyap) હિન્દી સિનેમામાં મોટું યોગદાન આપ્યું છે. તમને જણાવી દઈએ કે જ્યારે આખી ટીમ કોઈ ફિલ્મને હિટ બનાવવા માટે સખત મહેનત કરે છે, ત્યારે દિગ્દર્શકનો તેમાં મોટો હાથ હોય છે અને અનુરાગ તે નિર્દેશકોમાંના એક છે જેમણે તેમની કારકિર્દીમાં ઘણી બધી મહાન ફિલ્મો બનાવી છે. અનુરાગની ફિલ્મો એકદમ અલગ વિષય પર હોય છે અને તેની શૈલી તેને અન્ય દિગ્દર્શકોથી અલગ બનાવે છે.

અનુરાગે દિગ્દર્શક, પટકથા લેખક અને ફિલ્મ નિર્માતા તરીકે શાનદાર કામ કર્યું છે અને આ માટે તેને ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.

નેટ વર્થ કેટલી છે?

આજે અનુરાગના જન્મદિવસે, તમને તેની નેટવર્થ, લક્ઝરી હાઉસ અને ગાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે અનુરાગ સૌથી વધુ કમાણી કરનારા નિર્દેશકોમાંનો એક છે. બોલિવૂડ સમાચારની વેબસાઈટના અહેવાલ મુજબ અનુરાગની કુલ નેટવર્થ 806 કરોડ છે. અનુરાગની નેટવર્થમાં ફિલ્મોમાંથી તેની કમાણી, વ્યક્તિગત રોકાણ અને પ્રોડક્શન હાઉસની કમાણીનો સમાવેશ થાય છે.

ઘર

અનુરાગનું હૈદરાબાદમાં એક વૈભવી ઘર છે. ઘરની કિંમત 6 કરોડ છે. આ સિવાય, અનુરાગ પાસે ઘણા દેશોમાં પ્રોપર્ટી છે, જેના વિશે વધારે વિગત પ્રાપ્ત નથી.

દાન

અનુરાગ ચેરિટી પણ કરે છે. તે ઘણા એનજીઓને દાન આપતો રહે છે. આ સિવાય, અનુરાગ દેશમાં સૌથી વધુ કરદાતાઓમાંનો એક છે.

કારકિર્દીની શરૂઆત

અહેવાલો અનુસાર, જ્યારે અનુરાગ મુંબઈ આવ્યો ત્યારે તેની પાસે માત્ર 5 હજાર રૂપિયા હતા અને ધીરે ધીરે તેના તમામ પૈસા ખતમ થવા લાગ્યા. એટલું જ નહીં, એક સમય હતો જ્યારે અનુરાગને મુંબઈની શેરીઓમાં સૂવું પડતું હતું.

ઘણા લોકોને લાગે છે કે અનુરાગે દિગ્દર્શક તરીકેની કારકિર્દી વર્ષ 2007 માં ફિલ્મ બ્લેક ફ્રાઇડેથી શરૂ કરી હતી. પરંતુ જણાવી દઈએ કે અનુરાગે ફિલ્મ પાંચથી ડેબ્યૂ કર્યું હતું, પરંતુ આ ફિલ્મ રિલીઝ થઈ નહોતી કારણ કે તેણે સેન્સર બોર્ડ દ્વારા જણાવવામાં આવેલા કટ કરવાની ના પાડી હતી. આ પછી અનુરાગે બ્લેક ફ્રાઇડે બનાવી અને આ ફિલ્મ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો કારણ કે તે વિવાદાસ્પદ વિષય પર બનાવવામાં આવી હતી.

અનુરાગ એક અભિનેતા પણ છે

બહુ ઓછા લોકો જાણે છે કે અનુરાગ પ્રથમ થિયેટર આર્ટિસ્ટ હતા અને તેમણે અભિનય પણ કર્યો હતો. બોલિવૂડમાં, તેમણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે જેમાં બ્લેક ફ્રાઇડે, નો સ્મોકિંગ, લક બાય ચાન્સ, દેવ ડી, ગુલાલ, શાગિર્દ, અઈયા, ભૂતનાથ રિટર્ન્સ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

અંગત જીવન

અનુરાગે અગાઉ આરતી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ ત્યારબાદ બંનેના છૂટાછેડા થઈ ગયા. બંનેને એક પુત્રી આલિયા છે. આ પછી, અનુરાગે વર્ષ 2011 માં કલ્કી કોચલીન સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને 2015 માં બંને અલગ થઈ ગયા.

આ પણ વાંચો: વિવાદ: કૃષ્ણા અભિષેકે આપ્યું આવું નિવેદન તો ભડકી ગોવિંદાની પત્ની, કહ્યું ‘જીવનમાં એનો ચહેરો જોવા નથી માંગતી’

આ પણ વાંચો: Birthday Special: મીડિયા સામે કરણે નિશાને કર્યું હતું પ્રપોઝ, લગ્ન બાદ લાગ્યા ગભીર આરોપો, થયા છૂટાછેડા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">