Kangana Ranaut જાહેર કર્યું કે તે બાળપણમાં હતી નાસ્તિક, ફરીથી આ રીતે વધી હિન્દુ ધર્મ પ્રત્યેની આસ્થા
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પણ તેમના અંગત જીવન વિશેની બિન્દાસ સાથે વાત કરે છે. તે લગભગ દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય આપે છે. હવે કંગના રનૌતે ખુલાસો કર્યો છે કે તે બાળપણમાં નાસ્તિક હતી.
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પણ તેમના અંગત જીવન વિશેની બિન્દાસ સાથે વાત કરે છે. તે લગભગ દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય આપે છે. હવે કંગના રનૌતે ખુલાસો કર્યો છે કે તે બાળપણમાં નાસ્તિક હતી. તેમણે આ પાછળનું કારણ તેમના દાદાને આપ્યું છે. કંગના રનૌતે હાલમાં જ સોશ્યલ મીડિયા પર ‘કુંડલિની યોગ’ વિશે વાત કરી હતી.
કંગના રનૌતે તેમના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર ખુલાસો કર્યો છે કે તે બાળપણમાં નાસ્તિક હતી. તેમણે લખ્યું, ‘હું ખૂબ સારી રીતે સમજાવી રહ્યી છું, જ્યારે હું મોટી થઈ રહી હતી ત્યારે હું નાસ્તિક અને વિજ્ઞાનનો અભ્યાસ કરતી હતી. કુંડલિની એક એવું કારણ હતું જેને લીધે હું હિન્દુ ધર્મ પ્રત્યે આકર્ષિત થઈ. હિન્દુ ધર્મ તેના તમામ સિદ્ધાંતો માટે વ્યાવહારીક પ્રદાન કરે છે જેણે મને વિવિધ વિધાઓ પર પ્રયોગ કરવાની હિંમત આપી. યોગ માટે મેં વિવેકાનંદની પદ્ધતિનો ઉપયોગ કર્યો.
Nicely explained,growing up I was an atheist, was studying science, kundalini was one of the reasons why I was intrigued by Hinduism,Hinduism offers practical for all its theories that gave me courage to do experiments with various science of 4 Yogas I used Vivekananda’s methods https://t.co/9JZEPWrTHs
— Kangana Ranaut (@KanganaTeam) March 20, 2021
અભિનેત્રીના આ ટ્વીટ પર તેમના ચાહકે પૂછ્યું કે તે જ્યારે નાની હતી, ત્યારે નાસ્તિકતાના ખ્યાલને કેવી રીતે સમજતી હતી. આ ટ્વીટના જવાબમાં કંગના રનૌતે કહ્યું હતું કે, ‘મારા દાદા નાસ્તિક હતા અને તેમણે મારા મનમાં પણ આ કલ્પના મૂકી હતી. તે ઉચ્ચ શિક્ષિત અને સફળ માણસ હતા. તે એક બુદ્ધિમાન હતા. તેમણે ભગવાન અને ધર્મની વિરુદ્ધ ઘણી ચર્ચાઓ કરી હતી. તેમણે લોકોને વિજ્ઞાન શીખવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે ભગવાન અને વિજ્ઞાનને જુદા પાડ્યા હતા.’
My grandfather was an atheist he engraved the concept in my mind, he was highly educated and successful person, a man of sharp intellect he debated with many against God and religion, he encouraged people to take up science somehow he separated the two, God and Science.
— Kangana Ranaut (@KanganaTeam) March 20, 2021
સોશિયલ મીડિયા પર કંગના રનૌતનું ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. અભિનેત્રીના ઘણા ચાહકો અને તમામ સોશ્યલ મીડિયા યુઝર્સ તેમની ટ્વીટને ખૂબ પસંદ કરે છે. કોમેન્ટ કરીને તેમનો પ્રતિસાદ પણ આપી રહ્યા છે. કંગના રનૌતના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ ફિલ્મ થલાઈવીમાં જોવા મળશે. કંગના રનૌતની ફિલ્મ થલાઈવી 2021ની સૌથી રાહ જોવાતી ફિલમ્સમાંની એક છે. કંગના તેમના પ્રશંસકો અને ફોલોઅર્સ સાથે સોશિયલ મીડિયા દ્વારા તેનાથી સંબંધિત અપડેટ્સ શેર કરતી રહી છે.
તાજેતરમાં જ તેમણે આ ફિલ્મના ટ્રેલરને લગતી માહિતી આપી છે. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર થલાઈવીનું ટ્રેલર 23 માર્ચે કંગનાના જન્મદિવસ પર રિલીઝ થશે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કંગનાએ તેમના લુકની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. હિન્દી સિવાય થલાઈવી તમિલ, તેલુગુમાં પણ રજૂ થશે. 24 ફેબ્રુઆરીએ જયલલિતાની જન્મ જયંતિ પર ટીઝરની સાથે આની રિલીઝ ડેટની પણ જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ઓફલાઈન રહીને પણ હવે કરી શકો છો WhatsApp પર ચેટીંગ, જાણો કઈ રીતે