AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સિદ્ધાર્થે સામંથા રૂથ પ્રભુને કહી છે ‘Cheater’? ‘રંગ દે બસંતી’ અભિનેતાએ કરી સ્પષ્ટતા

તમને જણાવી દઈએ કે નાગા ચૈતન્ય (Naga Chaitanya) સાથેના સંબંધમાં આવતા પહેલા સામંથા રૂથ પ્રભુ અભિનેતા સિદ્ધાર્થ નારાયણ સાથે સંબંધમાં હતી. બંને લાંબા સમય સુધી એકબીજા સાથે રહ્યા હતા, પરંતુ કેટલાક કારણોસર પછીથી બંને અલગ થઈ ગયા.

શું ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સિદ્ધાર્થે સામંથા રૂથ પ્રભુને કહી છે 'Cheater'? 'રંગ દે બસંતી' અભિનેતાએ કરી સ્પષ્ટતા
Siddharth Narayan
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 11:43 PM
Share

‘રંગ દે બસંતી’ (Rang De Basanti) જેવી ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેતા સિદ્ધાર્થ નારાયણે (Siddharth Narayan) સ્પષ્ટતા કરી હતી કે તેની તાજેતરની ‘ચીટર્સ નેવર પોસ્પર ‘ (Cheater Never Prosper) વાળુ ટ્વીટ તેમની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સામંથા રૂથ પ્રભુ (Samanth Ruth Prabhu) પર કોઈ કટાક્ષ નહોતો. તમને જણાવી દઈએ કે સામંથાએ તાજેતરમાં જ તેમના પતિ નાગા ચૈતન્ય (Naga Chaitanya)થી અલગ થવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ સામંથાના કેરેક્ટર પર સવાલો ઉભા થયા હતા.

આ દરમિયાન સિદ્ધાર્થે પણ આવી ટ્વિટ કરી હતી, જેના વિશે કહેવામાં આવ્યું હતું કે તેમણે સામંથાને ચીટર કહી છે. જોકે, હવે તેમણે પોતાના ટ્વીટ પર સ્પષ્ટતા કરી છે. સિદ્ધાર્થનું કહેવું છે કે તેમણે માત્ર તેમના જીવન વિશે ટ્વિટ કર્યું હતું અને તેમણે અન્ય કોઈ બાબત તરફ ઈશારો કર્યો ન હતો. એનટીવી તેલુગુ દ્વારા બહાર પાડવામાં આવેલા વીડિયોમાં સિદ્ધાર્થને તેના તાજેતરના ટ્વીટ વિશે પ્રશ્ન કરવામાં આવ્યા હતા.

તેમના તાજેતરના ટ્વીટ પર સિદ્ધાર્થે કહ્યું – તે કોઈ માટે નહોતું …

તેલુગુ ભાષામાં વાત કરતા સિદ્ધાર્થે કહ્યું કે આ ગમે ત્યાંથી કઈ પણ કેમ આવી રહ્યું છે. હું 12 વર્ષથી ટ્વીટ કરું છું. એક દિવસ, જો હું કહું કે રખડતા કૂતરાઓ મારા ઘરની બહાર ભસતા હોય છે અને લોકો આવીને મને પૂછે કે, ‘શું તમે મને કૂતરો કહી રહ્યા છો?’, હું શું કરી શકું? હું ખરેખર તો કુતરા વિશે વાત કરું છું.

સિદ્ધાર્થે કહ્યું કે તેમ છતાં તે નિયમિતપણે ટ્વીટ કરે છે, પરંતુ તેને તેની અન્ય પોસ્ટ્સ વિશે ક્યારેય પૂછવામાં આવ્યું નથી. તેમને પૂછવામાં આવ્યું કે શું તેમનું તાજેતરનું ટ્વીટ સામંથાના ચૈતન્યથી અલગ થવાનો કટાક્ષ હતો, તેમણે કહ્યું કે “હું ફક્ત મારા જીવન વિશે વાત કરું છું.” તેને બીજી કોઈ વસ્તુ સાથે કોઈ લેવાદેવા નથી. જો તમે તેને કોઈ એવી વસ્તુ સાથે સાંકળી રહ્યા છો જેનો તેની સાથે કોઈ સંબંધ નથી તો તે તમારી સમસ્યા છે.

પોતાની ટ્વીટ પાછળનું કારણ જણાવતા સિદ્ધાર્થે કહ્યું કે તેઓ તેમની ફિલ્મ મહાસમુદ્રમના ડિરેક્ટર સાથે ચીટિંગ પર વાત કરી રહ્યા હતા, જે તેમની ફિલ્મની થીમ છે. અને આ એક પાઠ હતો જે તેના શિક્ષકે તેને શીખવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “જો દુનિયાનો દરેક છેતરપિંડી કરનાર અચાનક આવે અને મને પૂછે કે શું આ ટ્વીટ તેના વિશે છે, તો મારે શું કરવું જોઈએ?”

આ પણ વાંચો:- Aryan Shahrukh Khan: શાહરૂખ ખાનના ડ્રાઈવરને સમન્સ મોકલીને બોલાવવામાં આવ્યો, NCB ઓફિસમાં પૂછપરછ શરૂ

આ પણ વાંચો:- Akshra Singh ના ગ્લેમરસ અવતારે લગાવી આગ, ચાહકોએ કહ્યું- ‘ક્વીન ઓફ ભોજપુરી’

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">