મની લોન્ડ્રિંગ કેસની પૂછપરછથી બચી રહી છે જેકલીન ફર્નાન્ડીઝ? EDની સામે ત્રીજી વખત પણ હાજર ના થઈ અભિનેત્રી

તમને જણાવી દઈએ કે શુક્રવારે જેકલીન ફર્નાન્ડીઝે અધિકારીઓને વિનંતી કરી હતી કે તે તેમની પૂછપરછને નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી સ્થગિત કરી દે.

મની લોન્ડ્રિંગ કેસની પૂછપરછથી બચી રહી છે જેકલીન ફર્નાન્ડીઝ? EDની સામે ત્રીજી વખત પણ હાજર ના થઈ અભિનેત્રી
Jacqueline Fernandez
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 4:52 PM

દિલ્હીની તિહાડ જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekhar)થી જોડાયેલી 200 કરોડના ખંડણી કેસમાં ત્રીજી વખત અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) ઈડી સમક્ષ હાજર નથી થઈ. સોમવારે ઈડીએ જેકલીન ફર્નાન્ડીઝને આ મામલે એક પછી એક ઘણા સમન મોકલી પૂછપરછ માટે બોલાવી હતી પણ અભિનેત્રીએ આજે ફરીથી પૂછપરછમાં સામેલ ન થવાનો નિર્ણય કર્યો.

ત્યારે જેકલીન ફર્નાન્ડીઝનું આ પગલું એ પણ સવાલ ઉભા કરી રહ્યું છે કે આખરે કેમ અભિનેત્રી વારંવાર ઈડીની પૂછપરછથી બચી રહી છે? છેલ્લા 4 દિવસમાં જેકલીન ફર્નાન્ડીઝ શુક્રવાર, શનિવાર અને સોમવારે ઈડીની પૂછપરછ ટાળી ચૂકી છે. એક રિપોર્ટ મુજબ અભિનેત્રીએ ઈડીના તપાસ અધિકારીઓને નિવેદન આપ્યું છે કે તે થોડા ખાનગી કારણોના લીધે હાલમાં ઈડીની તપાસમાં સામેલ નથી થઈ શકતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જેકલીન ફર્નાન્ડીઝનું ઈડીને પૂછપરછ સ્થગિત કરવાનું નિવેદન

તમને જણાવી દઈએ કે શુક્રવારે જેકલીન ફર્નાન્ડીઝે અધિકારીઓને વિનંતી કરી હતી કે તે તેમની પૂછપરછને નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી સ્થગિત કરી દે. અધિકારીઓને તાત્કાલિક અભિનેત્રીની પૂછપરછ કરવી છે. જેને લઈ તેમના નિવેદનનો સ્વીકાર કરવામાં આવ્યો નથી અને તેમને હાજર કરવા માટે સમન જાહેર કરવામાં આવ્યું છે.

આ ખંડણી કેસમાં જેકલીન ફર્નાન્ડીઝના ટ્રાન્જેક્શન અને સુકેશની સાથે તેની સંડોવણી ઈડીની તપાસ હેઠળ છે. સુત્રો મુજબ ખંડણી કેસમાં તપાસ દરમિયાન તપાસકર્તાઓને જેકલીન ફર્નાન્ડીઝ અને સુકેશની વચ્ચે કથિત કનેક્શન વિશે જાણવા મળ્યું. ઈડી પણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે શું સુકેશ ચંદ્રશેખર અને જેકલીન ફર્નાન્ડીઝની વચ્ચે કોઈ નાણાકીય લેવડદેવડ થઈ હતી.

ઈડી આ કેસ મામલે જેક્લીન સાથે પહેલા પણ પૂછપરછ કરી ચૂકી છે. પોતાના પહેલા નિવેદનમાં જેક્લીને તપાસકર્તાઓને કહ્યું હતું કે તે પણ આ ખંડણી કેસનો ભોગ છે અને તેમને કંઈ ખોટુ કર્યુ નથી. ત્યારે ઈડીને જેક્લીન સાથે તે મામલે પૂછપરછ કરવી છે, જેને લઈ ઈડી અભિનેત્રીને 3 વખત સમન મોકલી પૂછપરછમાં સામેલ થવા માટે કહી ચૂકી છે, હવે જોવાનું એ રહેશે કે જો જેક્લીન આજે પણ હાજર નહીં થાય તો ઈડી શું એક્શન લેશે.

આ પણ વાંચો: PUNJAB : પુરઝડપે આવેલી કારે બે યુવતીઓને અડફેટે લીધી, જુઓ અકસ્માતનો ચોંકાવનારો વિડીયો

આ પણ વાંચો: “જો ભાજપ ખેડૂતોનું નહિ સાંભળે તો ફરી સતામાં નહીં આવે”, કૃષિ કાયદાને લઈને રાજ્યપાલ સત્યપાલ મલિકનો સરકાર પર વાર

Latest News Updates

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">