AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું આલિયા ભટ્ટ ખરેખર ભારતીય નાગરિક નથી ?? અફવાઓ પાછળનું સત્ય જાણો અહીયા

Alia Bhatt : બોલીવુડમાં આજે એવા ઘણા સ્ટાર્સ છે, કે જેઓ ભારતીય નાગરિક ખરા અર્થમાં નથી. કારણ કે, તેમનો જન્મ અલગ દેશમાં થયો છે અથવા તો તેમના માતા-પિતામાંથી કોઈ એક વિદેશી હોય છે.

શું આલિયા ભટ્ટ ખરેખર ભારતીય નાગરિક નથી ?? અફવાઓ પાછળનું સત્ય જાણો અહીયા
Alia Bhatt & Ranbir Kapoor (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 7:55 PM
Share

અત્યારે બોલીવુડમાં (Bollywood) દરેક વ્યક્તિ માત્ર ને માત્ર આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરના (Ranbir Kapoor) લગ્નને લઈને ચર્ચાઓ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ બંને આવતા અઠવાડિયે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આલિયા ભટ્ટ પણ અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડીઝની જેમ ભારતીય નાગરિક નથી? શું આલિયા ભટ્ટ ખરેખર એક ભારતીય નાગરિક છે ?? આ પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પાર ઉઠતો જોવા મળ્યો છે. આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ ગુજરાતી છે. જયારે આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન એ બ્રિટિશ મુસ્લિમ છે.

View this post on Instagram

A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt)

આલિયા ભટ્ટ એ આજે એવી અભિનેત્રીમાંની એક છે, કે જેણે ઘણા ઓછા સમયમાં બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં પોતાનો સમાવેશ કરી લીધો છે. તેની ટૂંકી કરિયરમાં તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ ‘RRR’ માટે ચર્ચામાં રહેલી આલિયા હવે રણબીર કપૂર સાથે તેના લગ્નને લઈને ચર્ચામાં છે.

મૂળ બ્રિટિશ નાગરિક છે આલિયા ભટ્ટ

બોલિવૂડ સિનેમામાં પોતાનો ડંકો વગાડનાર આલિયા ભટ્ટ પાસે બ્રિટિશ નાગરિકતા છે અને આ જ કારણ છે કે તે ભારત સરકારની કોઈપણ ચૂંટણીમાં પોતાનો વોટ આપી શકતી નથી. આલિયાની માતા એટલે કે સોની રાઝદાન બ્રિટિશ મૂળની છે. તેનો જન્મ બર્મિંગહામમાં થયો હતો. તેથી જ આલિયાને બ્રિટિશ નાગરિકતા મળી છે.

આલિયા ભટ્ટને છે એક વાતનો વસવસો

આલિયાએ એક વખત ભારતીય નાગરિકતા ન હોવાનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે, ”દુર્ભાગ્યવશ હું મતદાન કરી શકતી નથી, કારણ કે મારી પાસે બ્રિટિશ નાગરિકતા છે.” અમે તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર એ મૂળ કેનેડાનો નાગરિક છે. જયારે જેકલીન ફર્નાન્ડિઝ એ આપણા પાડોશી રાષ્ટ્ર શ્રીલંકાની નાગરિક છે.

આ પણ વાંચો – નીતુ કપૂર રિશી કપૂરને યાદ કરીને થઇ ભાવુક, જણાવી આ ખાસ વાત….

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
પાટણમાં ચાલુ વરસાદે તંત્ર રોડ ખોદીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા બેઠુ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
g clip-path="url(#clip0_868_265)">