Shahrukh Khan Health Update : શાહરૂખ ખાનની તબિયતમાં સુધાર, તમામ રિપોર્ટ આવ્યા નોર્મલ, જાણો ક્યારે મળશે હોસ્પિટલ માંથી રજા ? જુઓ-VIDEO

|

May 23, 2024 | 10:59 AM

સુપરસ્ટાર શાહરૂખ ખાનની અચાનક તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. IPLમાં પોતાની ટીમ KKRને સપોર્ટ કરવા માટે શાહરૂખ અમદાવાદ પહોંચ્યો હતો. જ્યાં ડિહાઇડ્રેશનના કારણે તેમની તબિયત લથડી હતી.

ગઈ કાલે હીટ સ્ટ્રોકના કારણે સુપરસ્ટાર શાહરૂખ ખાનની તબિયત લથડી હતી, જે બાદ તરત જ તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમાચાર સામે આવ્યા બાદ કિંગ ખાનના ફેન્સ તેના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત થઈ ગયા છે. જોકે હવે કિંગખાનના ફેન્સ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

શાહરુખ ખાનને આજે હોસ્પિટલમાંથી અપાશે રજા

શાહરુખ ખાનની તબીયતમાં સુધાર આવતા આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. તબીબોની ટીમે સવારે ફરી શાહરૂખની તપાસ કરી હતી. કેડી હોસ્પિટલમાંથી થોડીવારમાં શાહરૂખને હવે રજા અપાશે. રાતભર શાહરૂખને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા હતા. શાહરૂખ ખાનના તમામ રિપોર્ટ હવે નોર્મલ આવ્યા છે.

કિંગખાનના તમામ રિપોર્ટ નોર્મલ

બોલિવુડના કિંગ ખાન શાહરુખ ખાનની તબિયત બગડતા અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમાચાર ગૌરી ખાનને મળતા જ તે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી. ગૌરી ઉપરાંત અભિનેત્રી અને શાહરૂખ ખાનની ખાસ મિત્ર જૂહી ચાવલા પણ તેને મળવા હોસ્પિટલ પહોંચી હતી.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

જુહીએ શાહરૂખની હેલ્થ અપડેટ પણ શેર કરી છે. તેણે કહ્યું કે શાહરૂખ ખાન અત્યારે ઘણી હદ સુધી ઠીક છે. જેઓ આ વાતથી અજાણ છે, તેમને જણાવી દઈએ કે જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા SRK સાથે KKRના કો-ઓનર છે, જે IPL 2024ની ફાઇનલમાં પહોંચી છે.

Next Article