AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નકલી વાળ લગાવી શૂટિંગ પર પહોંચી કેન્સર પીડિત હિના ખાન, મેકઅપથી છુપાવ્યા શરીરના નિશાન, જુઓ-Video

હિના ખાન સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે, જેના માટે તેની કીમોથેરાપી પણ શરૂ થઈ ગઈ છે. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકો સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે હિના એ હાર માની નથી અને હવે તે તેની પીડા ભૂલી શૂટિંગ પર પહોંચી છે. આ દરમિયાન તે ખુશ અને ઉત્સાહિત દેખાઈ રહી છે.

નકલી વાળ લગાવી શૂટિંગ પર પહોંચી કેન્સર પીડિત હિના ખાન, મેકઅપથી છુપાવ્યા શરીરના નિશાન, જુઓ-Video
Hina Khan reached for the shoot forgetting the pain of cancer
| Updated on: Jul 16, 2024 | 12:21 PM
Share

પ્રખ્યાત ટીવી અભિનેત્રી હિના ખાન આ દિવસોમાં કેન્સર સામેની લડાઈ લડી રહી છે. થોડા સમય પહેલા હિનાએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તે સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે, જેના માટે તેની કીમોથેરાપી પણ શરૂ થઈ ગઈ છે. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકો સ્તબ્ધ થઈ ગયા હતા.

કેન્સર સામે લડી રહેલી હિના ખાને પણ પોતાના વાળ કપાવ્યા હતા, જેનો વીડિયો જોઈને લોકો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. ત્યારે હવે હિના ખાનના ફેન્સ માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં, દર્દથી પરેશાન હિના ખાને પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે શૂટિંગ માટે તૈયાર થતી જોવા મળી રહી છે.

કીમોથેરેપી બાદ શૂટિંગ કરવા પહોંચી હિના

તમને જણાવી દઈએ કે કેન્સરની પહેલી થેરેપી લીધા બાદ હિના ખાને ફરી એકવાર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ વીડિયોમાં હિના ખાન સફેદ શર્ટ પહેરીને તૈયાર જોવા મળી રહી છે. આ સાથે તેણે માથે વિગ પહેરી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હિન ખાન કહી રહી છે કે, “કીમો સેશન પછી આ મારું પહેલું શૂટ છે. અહીં ટાંકાનાં નિશાન છુપાવવાના મહત્તમ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મારા માર્કસ છુપાવવામાં આવ્યા છે, હજુ થેરેપીના ઘણા સેશન બાકી છે પણ શો હમેંશા ચાલતો રહેવો જોઈએ, હું હજુ ફાઈટ કરીશ અને બાહર નિકળી જઈશ.

View this post on Instagram

A post shared by (@realhinakhan)

હિના ખાને આ કેપ્શન લખ્યું છે

આ વીડિયો પોસ્ટ કરતી વખતે હિના ખાને કેપ્શનમાં લખ્યું, ‘મારા પ્રથમ નિદાન પછી મારું પહેલું વર્ક અસાઇનમેન્ટ. વાતને આગળ વધારવી પડકારજનક છે, ખાસ કરીને જ્યારે જીવનના સૌથી મોટા પડકારોનો સામનો કરવો પડે. તેથી ખરાબ દિવસોમાં તમારી જાતને આરામ આપો, કારણ કે તમે તેના લાયક છો. જો કે, સારા દિવસોમાં તમારું જીવન જીવવાનું ભૂલશો નહીં, પછી ભલે તે કેટલા ઓછા હોય. આ દિવસો હજુ પણ મહત્વ ધરાવે છે. પરિવર્તન સ્વીકારો. તફાવત સ્વીકારો અને તેને સામાન્ય બનાવો.’

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">