AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral : ટ્વિંકલ ખન્નાએ ‘બુરખા’ પર ધાર્મિક ગુરૂઓને આપી સલાહ, રશિયા-યુક્રેન વિવાદ પર કરી આ કોમેન્ટ

ટ્વિંકલ ખન્નાએ હિજાબ વિવાદ પર કહ્યું કે, તે મહિલાઓ પર છોડી દેવું જોઈએ કે તેણે પહેરવું કે નહીં, પરંતુ કેટલાક ધર્મગુરુઓ જે રીતે હિજાબનું રક્ષણ કરી રહ્યા છે તે સાંભળીને તે હસવાનું રોકી શકતી નથી.

Viral : ટ્વિંકલ ખન્નાએ 'બુરખા' પર ધાર્મિક ગુરૂઓને આપી સલાહ, રશિયા-યુક્રેન વિવાદ પર કરી આ કોમેન્ટ
Actress Twinkle Khanna (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2022 | 4:52 PM
Share

Viral : ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ દ્વારા અવારનવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં ટ્વિંકલે ‘હિજાબ કોન્ટ્રોવર્સી'(Hijab Controversy)  પર કટાક્ષભરી કોમેન્ટ કરી હતી, ત્યારથી અભિનેત્રી હેડલાઇન્સમાં છે. અભિનેત્રીએ આ અંગે એક ટ્વિટ પણ કર્યું છે, જે હવે ખૂબ વાયરલ થઈ રહ્યું છે. ટ્વિંકલે પોતાની પોસ્ટમાં ધાર્મિક નેતાઓને બુરખા અંગે સલાહ પણ આપી છે, તો સાથે જ અભિનેત્રી રશિયા-યુક્રેન યુદ્ધ વિવાદ પર પણ બોલતી જોવા મળે છે.

ટ્વિંકલ ખન્નાએ હિજાબ વિવાદ પર કહ્યું કે, તે મહિલાઓ પર છોડી દેવું જોઈએ કે તેણે પહેરવું કે નહીં. પરંતુ કેટલાક ધર્મગુરુઓ જે રીતે હિજાબનું રક્ષણ કરી રહ્યા છે તે સાંભળીને તેઓ હસવાનું રોકી શકતી નથી.

શું કહ્યું ‘મિસ ફની બોને’ ?

તેણીની પોસ્ટ પર અભિનેત્રી રમૂજી રીતે કહે છે કે દરેક વ્યક્તિએ રવિવારે ફક્ત એક જ બાબાને સાંભળવું જોઈએ – ટ્વિંકદાસ. બુરખા પર પોતાનો અભિપ્રાય આપતા ટ્વિંકલે કહ્યું કે તે કોઈપણ પ્રકારની પર્દા પ્રથાને સ્વીકારતી નથી. પરંતુ તે દરેક મહિલાનો પોતાનો નિર્ણય છે કે તેણે પોતાનો ચહેરો ઢાંકવો કે નહીં. આ કોઈપણ દબાણ કે ડર વગર થવું જોઈએ.

જુઓ વાયરલ પોસ્ટ

કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ દ્વારા હિજાબ પહેરવાને લઈને વિવાદ ચાલુ છે. આવી સ્થિતિમાં ટ્વિંકલ ખન્નાએ પોતાની ફની સ્ટાઈલમાં કહ્યું ‘કેટલાક ધાર્મિક નેતાઓ વાત કરી રહ્યા હતા કે કેવી રીતે હિજાબ મહિલાઓને સુરક્ષિત કરે છે અને પુરુષોને આકર્ષિત થતા અટકાવે છે. આ સાંભળીને હું હસવાનું રોકી શકતી નથી. હું આ બધા ભાઈને કહેવા માંગુ છું કે આવી મજાક કરવાને બદલે તમે લોકો બેસી જાઓ.

યુક્રેનની સ્થિતિ પર પોતાનો અભિપ્રાય આપ્યો

આ પછી ટ્વિંકલે પણ રશિયા અને યુક્રેનની સ્થિતિ પર પોતાનો અભિપ્રાય આપ્યો. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ટ્વિંકલે કહ્યું ‘યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી હીરો બનીને ઉભરી આવ્યા છે, તેઓ હવે આંતરરાષ્ટ્રીય હીરો છે. પુતિન એક તરફ પરંતુ ઝેલેન્સકીની સ્ટેન્ડઅપ એક્ટિંગે આખી દુનિયાને તેમના પ્રશંસક બનાવી દીધા છે. હું તમને બાબા ટ્વિંક દેવને જ સાંભળવાની સલાહ આપું છું.

આ પણ વાંચો : Photos : જ્હાન્વી કપૂરના જન્મદિવસ પર પરિવારે વરસાવ્યો પ્રેમ, અર્જુન કપૂરે ફોટો શેર કરીને લખી ફની નોટ

આ પણ વાંચો : India Ultimated Warrior : આંખો પર નાખ્યું ઓગળતું મીણ, વિદ્યુત જામવાલના શોમાં નજર આવશે અક્ષય કુમાર

Follow Us
ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video
ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં
વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં
તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો! Video
તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો! Video
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
g clip-path="url(#clip0_868_265)">