આદિપુરુષ મૂવીના સેટ પર લાગી આગ, કરોડો રૂપિયાનું નુકસાન
આદિપુરુષ મૂવીના શૂટિંગ દરમિયાન ફિલ્મના સેટ પર પહેલા દિવસે આગની ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. મુંબઈના ગોરેગાંવ સ્થિત ફિલ્મ સિટીમાં લાગેલી આગમાં કોઈ જાનહાની થઈ નથી,
આદિપુરુષ મૂવીના શૂટિંગ દરમિયાન ફિલ્મના સેટ પર પહેલા દિવસે આગની ઘટનામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. મુંબઈના ગોરેગાંવ સ્થિત ફિલ્મ સિટીમાં લાગેલી આગમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ફિલ્મના સેટને મોટું નુકસાન થયું છે. સુત્રો આગ લાગવાની ઘટના પાછળ કાવતરું હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ સાવધાની હોવા છતાં પહેલા દિવસે ફિલ્મ સેટ પર કેવી રીતે આગ લગી શકે. ફિલ્મ એકમના સભ્યએ કહ્યું કે તેમાં કોઈ કાવતરું થઈ રહ્યું હોય તેવું લાગે છે.
સૂત્રો કહે છે કે કોઈ પણ અનિચ્છનીય ઘટનાને લઈને સાવચેતીનાં તમામ પગલાં લેવામાં આવ્યાં હતાં તો પછી આગ કેવી રીતે લાગી? ફિલ્મ અંગે સૈફ અલી ખાનના નિવેદનના વિવાદને કારણે પણ તમામ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૈફ અલી ખાને કહ્યું હતું કે આ મૂવીમાં રાવણના માનવીય પાસા બતાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમના નિવેદનમાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ તેમણે માફી માંગી હતી અને નિવેદન પાછું ખેંચી લીધું હતું. આ ઘટનાની પુષ્ટિ કરતાં ફિલ્મના સત્તાવાર પ્રવક્તાએ કહ્યું છે કે, ‘આજે આદિપુરુષ મૂવીના સેટ પર એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. દરેક સલામત છે. અમે મુંબઈ પોલીસ અને ફાયર બ્રિગેડના સપોર્ટ બદલ તેમનો આભાર માનું છું.
મંગળવારે સાંજે 4 વાગ્યે આદિપુરુષ મૂવીના સેટ પર અચાનક આગ લાગી હતી. સેટ સળગવા લાગ્યો હતો. મુંબઈ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફિલ્મ સેટનું કરોડોનું નુકસાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફિલ્મના સેટ પર આગ લાગવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે, પહેલા જ દિવસે ફિલ્મના મુખ્ય કલાકારો પ્રભાસ અને સૈફ અલી ખાન શૂટિંગમાં ભાગ લીધો ન હતો. મંગળવારે સવારે અભિનેતા પ્રભાસે આદિપુરુષના શૂટિંગ અંગેની માહિતી આપી હતી.