AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fans Reaction : સોનુ સૂદના ઘરે આવક વેરાના દરોડા બાદ ભડક્યા અભિનેતાના ચાહકો, વાંચો આ ખાસ ટ્વીટ

આવકવેરા વિભાગ (Income Tax) દ્વારા સોનુ સૂદ (Sonu Sood) સાથે સંબંધિત તેમના છ સ્થળો પર એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જ્યાં આજે એ જોવામાં આવ્યું કે અભિનેતા પાસે આવકથી અધિક સંપત્તિ તો નથી ને.

Fans Reaction : સોનુ સૂદના ઘરે આવક વેરાના દરોડા બાદ ભડક્યા અભિનેતાના ચાહકો, વાંચો આ ખાસ ટ્વીટ
Sonu Sood
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 5:13 PM
Share

આવકવેરા વિભાગ (Income Tax) દ્વારા આજે બોલીવુડના બહેતરીન અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) ના ઘરે એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે અંતર્ગત આવકવેરા વિભાગે સમગ્ર ટીમ સાથે છ સ્થળો પર દરોડા પાડ્યા હતા. જ્યાં હવે સોનુ સૂદના ચાહકો આ દરોડાને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ સર્વે દરમિયાન આવકવેરા વિભાગની ટીમ સોનુ સૂદ પાસે આયથી વધું સંપત્તિ છે કે કેમ તે શોધવાનો પ્રયાસ કરી રહી હતી. આ સર્વે દરમિયાન આવકવેરા વિભાગે સોનુ સૂદ પાસેથી કંઈ જપ્ત કર્યું નથી.

ભૂતપૂર્વ IAS સૂર્યપ્રતાપ સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે લખ્યું છે કે “જો તમને ખ્યાતિ મળે તો સોનુ સૂદ બનો, કંગના નહીં. આજે ફરી કહું છું. #IndiaWithSonuSood, અમે તમને જણાવી દઈએ કે, આ સર્વેની શરૂઆત થયા પછી, ટ્વિટર પર સોનુ સૂદના ચાહકોએ સરકાર વિરુદ્ધ વાત કરતા અનેક પ્રકારના ટ્વીટ કર્યા હતા.

https://twitter.com/SimranjitKaur07/status/1438154399331741700?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1438154399331741700%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Fbollywood-news%2Fafter-the-income-tax-raid-at-sonu-sood-house-the-fans-of-the-actor-got-furious-read-this-special-tweet-826230.html

સિમરનજીત કૌર નામની એક યુઝરે તેના સોશિયલ મીડિયા પર લખ્યું, ” સોનુ સૂદે જેટલી મદદ લોકોને કરી હતી, જો તેણે તેના 10% નાણાં ભાજપના ફંડમાં નાખ્યા હોત, તો આજે સોનુ સૂદની પદ્મશ્રીની ફાઈલ ખુદ અમિત શાહજી તૈયાર કરત.”

ટ્વિટર યુઝર અશોક સરોત પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક તસ્વીર શેર કરી જેમાં સોનુ સૂદની તસ્વીર વિમાન પર લગાવવામાં આવી હતી. આ તસ્વીર શેર કરતા તેણે લખ્યું કે “આજ સુધી તેમનો ફોટો અહીં નથી છપાયો જ્યાં સોનુનો ફોટો છપાયો છે, તો છાપો નહી પડે”

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોનુ સૂદને દિલ્હી સરકારના મેંટરશિપ પ્રોગ્રામના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. જે સતત બાળકોને માર્ગદર્શન આપતા જોવા મળશે. સોનુ સૂદે આ બેઠક બાદ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ રાજકીય પક્ષમાં જોડાવાના નથી. અભિનેતાએ કહ્યું હતું કે અભિનેતા તરીકે તેમની પાસે હજુ ઘણું કામ છે, જેના કારણે તે અત્યારે તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

તેમણે લોકોને કોવિડ -19 દરમિયાન ભોજન, રહેવા અને ઘરે જવા માટે ઘણી મદદ કરી હતી. અભિનેતાએ મીડિયાથી દૂર રહીને લાખો લોકોને મદદ કરી હતી. અભિનેતાએ 1 કલાકની અંદર સોશિયલ મીડિયા દ્વારા લોકોને મદદ કરી હતી. જેના કારણે લોકો તેમને મસીહા કહેવાનું શરુ કરી દિધું હતું. આવકવેરા વિભાગની આ તપાસ કેટલા દિવસો સુધી ચાલે છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો :- Hrithik Roshanના ફોટામાંથી ખુલ્લી ઘરમાં સીલનની પોલ, કરોડોમાં છે કમાણી તો પણ નાક કાપાવ્યું

આ પણ વાંચો :- Into the Wild with Bear Grylls: બેયર ગ્રિલ્સ સાથે વિક્કી કૌશલ જંગલમાં બતાવશે એક્શન, અજય દેવગન પણ શોમાં મળશે જોવા

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">