AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kerala Story: ધ કેરલ સ્ટોરી’ વિવાદ વચ્ચે ‘હિન્દુ કપલે મસ્જિદમાં કર્યા લગ્ન’, એઆર રહેમાને શેર કર્યો Video

The Kerala Story Controvery: ફિલ્મ ધ કેરલ સ્ટોરી (The Kerala Story) ઘણા વિવાદોમાં ઘેરાયેલી છે. આ દરમિયાન એઆર રહેમાને એક વીડિયો શેર કર્યો છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કેરળની એક મસ્જિદમાં એક હિન્દુ કપલે લગ્ન કર્યા છે.

The Kerala Story: ધ કેરલ સ્ટોરી' વિવાદ વચ્ચે 'હિન્દુ કપલે મસ્જિદમાં કર્યા લગ્ન', એઆર રહેમાને શેર કર્યો Video
AR Rahman
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 10:20 PM
Share

The Kerala Story Controvery: સુદીપ્તો સેનની ફિલ્મ ધ કેરલ સ્ટોરીનું ટ્રેલર રિલીઝ થયા બાદ ઘણા વિવાદોમાં ચાલી રહી છે. આ ફિલ્મની વાર્તા એવી છે કે કેરળમાં મહિલાઓને ઈસ્લામ કબૂલ કરવામાં આવ્યો અને પછી ગેરમાર્ગે દોરવામાં આવી અને આતંકવાદી સંગઠનમાં સામેલ કરવામાં આવી. આ વિશે વિવાદ ચાલી રહ્યો છે.

ફિલ્મના મેકર્સ પર નફરત ફેલાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને ફિલ્મને એક પ્રોપેગેન્ડા ફિલ્મ કહેવામાં આવી રહી છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ આ અંગે વાંધો ઉઠાવ્યો છે. તેને આ ફિલ્મની વાર્તાને ખોટી ગણાવી છે અને કહ્યું છે કે આ ફિલ્મ નફરત ફેલાવવાના હેતુથી બનાવવામાં આવી છે.

મસ્જિદમાં હિન્દુ કપલના લગ્ન

ધ કેરલ સ્ટોરી 5 મેના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. વિવાદો વચ્ચે બોલિવુડ સિંગર એઆર રહેમાને એક વીડિયો શેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કેરળની એક મસ્જિદમાં એક હિંદુ યુગલે લગ્ન કર્યા છે. વીડિયો શેર કરતા રહેમાને લખ્યું, “શાનદાર, માનવતા માટે પ્રેમ બિનશરતી હોવો જોઈએ.”

શું છે સમગ્ર મામલો?

એઆર રહેમાને જે વીડિયો શેર કર્યો છે, તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મસ્જિદમાં લગ્ન કરનારા કપલના નામ અંજુ અને શરત છે. અંજુની માતાની આર્થિક સ્થિતિ સારી નથી, જેના કારણે તેણે મસ્જિદ કમિટી પાસે મદદ માંગી અને કમિટીએ તેની મદદ કરી. સમિતિએ મસ્જિદમાં લગ્ન માટેના મંડપને શણગાર્યો હતો અને સંપૂર્ણ હિંદુ વિધિથી લગ્ન થયા હતા.

આ પણ વાંચો : Nandini Gupta: ગામમાં પહોંચ્યા પછી ‘મિસ ઈન્ડિયા’એ ખેતરમાં ચલાવ્યું ટ્રેક્ટર, તસવીરો થઈ વાયરલ

કેરળનો અલપ્પુઝા કેસ

આ મામલો કેરળના અલપ્પુઝાનો બતાવવામાં આવી રહ્યો છે. એઆર રહેમાને શેર કરેલા વીડિયો મુજબ આ લગ્ન અલપ્પુઝામાં ચેરુવલ્લી જમાત મસ્જિદમાં થયા હતા. પરંતુ ફિલ્મ ધ કેરલ સ્ટોરી અંગેના વિવાદ વચ્ચે હવે આ મામલો ચર્ચામાં આવી ગયો છે. તમને જણાવી દઈએ કે ફિલ્મના નિર્માતાઓએ પહેલા દાવો કર્યો હતો કે 32000 મહિલાઓનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું. પરંતુ પછી આ સંખ્યા ઘટીને ત્રણ થઈ ગઈ.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">