AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taarak Mehta Ka Ooltah Chashmah: જાતીય સતામણીના આરોપ પર અસિત કુમાર મોદીનું નિવેદન, કહ્યું- મને અને શો બંનેને બદનામ કરવાનો પ્રયાસ

રોશન સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ પણ આ શોને અલવિદા કહી દીધું છે. જેનિફરે શોના નિર્માતા અસિત કુમાર મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.

Taarak Mehta Ka Ooltah Chashmah: જાતીય સતામણીના આરોપ પર અસિત કુમાર મોદીનું નિવેદન, કહ્યું- મને અને શો બંનેને બદનામ કરવાનો પ્રયાસ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 3:45 PM
Share

સોની સબની ફેમસ સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) આ દિવસોમાં ખરાબ કારણોસર ચર્ચામાં છે. આ સીરિયલમાં મહત્વની ભૂમિકા ભજવનાર શૈલેષ સોઢાએ થોડા સમય પહેલા જ શો છોડી દીધો હતો. શૈલેષ સોઢા પછી હવે રોશન સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી (Jennifer Mistry Bansiwal)એ પણ આ શોને અલવિદા કહી દીધું છે. જેનિફરે શોના નિર્માતા અસિત કુમાર મોદી પર પણ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેણે અસિત મોદી અને તેની પ્રોડક્શન ટીમના બે લોકો વિરુદ્ધ મુંબઈના પવઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જાતીય સતામણીના આરોપ બાદ અસિત કુમાર મોદીનું નિવેદન

આ સમગ્ર ઘટના બાદ શોના નિર્માતા અસિત કુમાર મોદીનું નિવેદન સામે આવ્યું છે. અસિત મોદીએ કહ્યું કે, તે તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરતી ન હતી. અમારે તેના વર્તન અંગે પ્રોડક્શન હેડને નિયમિતપણે ફરિયાદ કરવી પડતી હતી. તેણે છેલ્લા દિવસે સમગ્ર યુનિટની સામે અપમાનજનક વર્તન કર્યું હતું અને તેનું શૂટ પૂર્ણ કર્યા વગર સેટ છોડી દીધો હતો. જેનિફર મિસ્ત્રી વિશે હર્ષદ જોશી, રૂષિ દવે અને અરમાનની ડાયરેક્શન ટીમે જણાવ્યું હતુ કે, તે શોમાં આખી ટીમ સાથે ગેરવર્તણૂક કરતી હતી.

આ પણ વાંચો : Adah Sharma Birthday: અદા શર્માએ વર્ષ 2008માં ડેબ્યૂ કર્યું, 15 વર્ષ પછી ‘The Kerala Story’એ બનાવી સ્ટાર

શૂટિંગમાંથી બહાર નીકળતી વખતે, તેણે તેના લોકોની કાળજી કર્યા વગર પોતાની ગાડીને ફુલ સ્પીડમાં ચલાવી બહાર નીકળી હતી. તેણે સેટની મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું હતું. શૂટ દરમિયાન તેના ખરાબ વર્તન અને અનુશાસનહીનતાને કારણે તેની સાથેનો કરાર સમાપ્ત કરવો પડ્યો. આ ઘટના દરમિયાન અસિત મોદી યુએસએમાં હતા. તે હવે પાયાવિહોણા આરોપો લગાવીને અમને અને શોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે આ પાયાવિહોણા આરોપો સામે સંબંધિત અધિકારીઓ સમક્ષ અમારી ફરિયાદ નોંધાવી ચૂક્યા છે. તેમ પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણી અને જતીન બજાજે કહ્યું હતુ.

અસિત મોદીએ કહ્યું કે, “અમે કાયદેસરની કાર્યવાહી કરીશું કારણ કે તે મને અને શો બંનેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. તે આ પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે.”

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">