Sathyaraj Birthday : ‘કટપ્પા’એ માતા વિરુદ્ધ જઈને પસંદ કર્યો ફિલ્મોનો રસ્તો, એક્ટિંગ માટે ‘સત્યરાજે’ છોડ્યું હતું ઘર
સાઉથ ઈન્ડસ્ટ્રીના (South Industry) જાણીતા એક્ટર સત્યરાજ તેમના જોરદાર અભિનય માટે જાણીતા છે. અભિનેતાએ મોટાભાગની ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે. આજે સત્યરાજનો જન્મદિવસ છે.
બાહુબલીના (Bahubali) કટપ્પા ઉર્ફે સત્યરાજ (Sathyaraj) આજે પોતાનો 68મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સાઉથ ઈન્ડસ્ટ્રીના સ્ટાર સત્યરાજને કોઈ ઓળખની જરૂર નથી. અભિનેતાએ પોતાના અભિનયના આધારે પોતાની અલગ ઓળખ બનાવી છે. સત્યરાજે અત્યાર સુધી સાઉથ ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. દરેક વખતે તેના અભિનયની પ્રશંસા કરવામાં આવી છે. સત્યરાજનો અભિનય પ્રત્યેનો શોખ કોઈનાથી છુપાયેલો નથી. તે હંમેશા એક મહાન અભિનેતા બનવા માંગતો હતો અને હવે તેનું સપનું પૂરું થયું છે. પરંતુ શું તમે જાણો છો કે આ સપનું પૂરું કરતી વખતે તેણે કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
પોતાનું સપનું પૂરું કરવાની ઈચ્છામાં માતાની નારાજગી પણ સ્વીકારી
સત્યરાજે જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવાનું વિચાર્યું ત્યારે તેમના ખરાબ દિવસો શરૂ થઈ ગયા હતા. 3 ઓક્ટોબર 1954ના રોજ સુબ્બૈયામાં જન્મેલા સત્યરાજનું સાચું નામ રંગરાજ છે. તેમના પિતા વ્યવસાયે ડૉક્ટર હતા અને માતા ગૃહિણી. આ ઉપરાંત સત્યરાજ બે નાની બહેનો અને ભાઈ પણ હતા. સત્યરાજ હંમેશા એક્ટર બનવા માંગતા હતા. પરંતુ જ્યારે તેની માતાને તેના સપના વિશે ખબર પડી ત્યારે તે તેનો સખત વિરોધ કરતી હતી. આટલું જ નહીં, તેણે પોતાના પુત્રને ઘણી વખત સિનેમામાં આવવાથી પણ રોક્યો હતો. પરંતુ પોતાનું સપનું પૂરું કરવાની ઈચ્છામાં અભિનેતાએ તેની માતાની નારાજગી પણ સ્વીકારી લીધી.
View this post on Instagram
1976માં સત્યરાજે ચેન્નાઈમાં કોડમ્બક્કમ તમિલ ફિલ્મ ઉદ્યોગમાં જોડાવા માટે પોતાનું ઘર છોડી દીધું. વર્ષોની મહેનત પછી સત્યરાજ એક મોટું નામ બની ગયું. તેણે તમિલ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી. તેનો નેગેટિવ રોલ ઘણો પસંદ આવ્યો હતો. જે બાદ લોકો તેને વિલન તરીકે જોવાનું પસંદ કરવા લાગ્યા હતા. પોતાની કારકિર્દીની શરૂઆતથી લઈને સત્યરાજે 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ કામ કરવાની તેમની ઉર્જા હજુ વર્ષો જૂની છે.
અભ્યાસ માટે પોતાની જમીન પણ વેચી
એક વેબ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન સત્યરાજે ઘણી મહત્વની બાબતોનો ખુલાસો કર્યો હતો. તેણે પોતાના જીવનમાં અનેક પ્રકારના સમય જોયા, ક્યારેક સારા તો ક્યારેક ખરાબ. તમને જણાવી દઈએ કે, સત્યરાજે બોટનીમાં B.Sc કર્યું છે. પરંતુ તેમ છતાં તેને કોઈ નોકરી ન મળી. આટલું જ નહીં, તેણે અભ્યાસ માટે પોતાની જમીન પણ વેચવી પડી હતી. પરંતુ ભાગ્યને કદાચ મંજૂર હતું કે તેઓ એક મહાન અભિનેતા બને.