Salman Khan On Train Accident : ઓડિશાના બાલાસોર ટ્રેન અકસ્માતથી સલમાન ખાન દુ:ખી, વિવેક અગ્નિહોત્રીએ અકસ્માતને વિશે કહી આ વાત

Odisha Train Accident : ઓડિશાની બાલાસોર ટ્રેન દુર્ઘટનાથી બોલિવૂડ સ્ટાર્સ દુ:ખી છે. સલમાન ખાન અને સોનુ સૂદે ટ્વિટ કર્યું. જુનિયર એનટીઆરએ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

Salman Khan On Train Accident : ઓડિશાના બાલાસોર ટ્રેન અકસ્માતથી સલમાન ખાન દુ:ખી, વિવેક અગ્નિહોત્રીએ અકસ્માતને વિશે કહી આ વાત
Salman Khan On Train Accident
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 2:56 PM

Celebrity On Odisha Train Accident : ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બધાને હચમચાવી દીધા છે. આવો દર્દનાક અકસ્માત જેની ચીસો ચારેબાજુ સંભળાઈ રહી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 238થી વધુ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના વિશે સાંભળતા જ મન-હૃદય દુઃખથી ભરાઈ ગયું છે. બોલિવૂડ એક્ટર સલમાન ખાનથી લઈને સોનુ સૂદ અને જુનિયર એનટીઆર સુધી, ઘણા કલાકારો દુઃખની આ ઘડીમાં પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો : Breaking News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાલાસોર જશે, ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ ઇજાગ્રસ્તોને મળશે, જુઓ Video

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

સલમાન ખાનને સવારે આ સમાચારની જાણ થતાં જ તેણે ટ્વીટ કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. સલમાને લખ્યું છે કે આ દર્દનાક દુર્ઘટના વિશે સાંભળતા જ તે ખૂબ જ દુઃખી થઈ ગયો. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે.

ટ્રેન દુર્ઘટનાની તસવીર શેર કરતી વખતે સોનુ સૂદે એક તૂટેલા દિલનું ઈમોજી બનાવ્યું છે. અભિનેતા આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે અને પીડિતો પ્રત્યે તેની સહાનુભૂતિ ધરાવે છે.

ઓડિશા ટ્રેન દુર્ઘટનાને શરમજનક ગણાવતા, પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કર્યું, “દુઃખદ અને અત્યંત શરમજનક. આ યુગ અને સમયમાં 3 ટ્રેન એકસાથે કેવી રીતે હોઈ શકે? કોણ જવાબદાર છે? બધા પરિવારો માટે પ્રાર્થના.

જુનિયર એનટીઆરએ ટ્રેનની ઘટનાને દુ:ખદ ગણાવી છે અને પીડિત પરિવારો અને તેમના પ્રિયજનો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, ‘આ મુશ્કેલ સમયમાં શક્તિ અને સમર્થન તેની સાથે હોવું જોઈએ.’

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">