Salman Khan On Train Accident : ઓડિશાના બાલાસોર ટ્રેન અકસ્માતથી સલમાન ખાન દુ:ખી, વિવેક અગ્નિહોત્રીએ અકસ્માતને વિશે કહી આ વાત
Odisha Train Accident : ઓડિશાની બાલાસોર ટ્રેન દુર્ઘટનાથી બોલિવૂડ સ્ટાર્સ દુ:ખી છે. સલમાન ખાન અને સોનુ સૂદે ટ્વિટ કર્યું. જુનિયર એનટીઆરએ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
Celebrity On Odisha Train Accident : ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાએ બધાને હચમચાવી દીધા છે. આવો દર્દનાક અકસ્માત જેની ચીસો ચારેબાજુ સંભળાઈ રહી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 238થી વધુ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના વિશે સાંભળતા જ મન-હૃદય દુઃખથી ભરાઈ ગયું છે. બોલિવૂડ એક્ટર સલમાન ખાનથી લઈને સોનુ સૂદ અને જુનિયર એનટીઆર સુધી, ઘણા કલાકારો દુઃખની આ ઘડીમાં પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો : Breaking News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાલાસોર જશે, ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ ઇજાગ્રસ્તોને મળશે, જુઓ Video
સલમાન ખાનને સવારે આ સમાચારની જાણ થતાં જ તેણે ટ્વીટ કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. સલમાને લખ્યું છે કે આ દર્દનાક દુર્ઘટના વિશે સાંભળતા જ તે ખૂબ જ દુઃખી થઈ ગયો. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે.
Really saddened to hear abt the accident,May God rest the souls of the deceased in peace,Protect n give strength to the families n the injured from this unfortunate accident.
— Salman Khan (@BeingSalmanKhan) June 3, 2023
ટ્રેન દુર્ઘટનાની તસવીર શેર કરતી વખતે સોનુ સૂદે એક તૂટેલા દિલનું ઈમોજી બનાવ્યું છે. અભિનેતા આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે અને પીડિતો પ્રત્યે તેની સહાનુભૂતિ ધરાવે છે.
💔 #OdishaTrainAccident pic.twitter.com/JS7p2y4nib
— sonu sood (@SonuSood) June 3, 2023
ઓડિશા ટ્રેન દુર્ઘટનાને શરમજનક ગણાવતા, પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કર્યું, “દુઃખદ અને અત્યંત શરમજનક. આ યુગ અને સમયમાં 3 ટ્રેન એકસાથે કેવી રીતે હોઈ શકે? કોણ જવાબદાર છે? બધા પરિવારો માટે પ્રાર્થના.
Tragic and very shameful. How can 3 trains be involved in this age and time? Who is answerable? Prayers for all the families. Om shanti. https://t.co/6qa5AYufOV
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) June 3, 2023
જુનિયર એનટીઆરએ ટ્રેનની ઘટનાને દુ:ખદ ગણાવી છે અને પીડિત પરિવારો અને તેમના પ્રિયજનો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, ‘આ મુશ્કેલ સમયમાં શક્તિ અને સમર્થન તેની સાથે હોવું જોઈએ.’
Heartfelt condolences to the families and their loved ones affected by the tragic train accident. My thoughts are with each and every person affected by this devastating incident. May strength and support surround them during this difficult time.
— Jr NTR (@tarak9999) June 3, 2023