AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oscar 2025 : રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ 96માં એકેડેમી એવોર્ડ્સમાં સામેલ, નિર્માતાએ માહિતી આપી

96માં એકેડમી એવોર્ડ માટે સ્વાતંત્ર્ય વીર સાવરકરની પસંદગી કરવામાં આવી છે. ફિલ્મના પ્રોડયુસરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ શેર કરી આ વાતની જાણકારી આપી છે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે.

Oscar 2025 : રણદીપ હુડ્ડાની ફિલ્મ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' 96માં એકેડેમી એવોર્ડ્સમાં સામેલ, નિર્માતાએ માહિતી આપી
| Updated on: Sep 24, 2024 | 3:51 PM
Share

રણદીપ હુડ્ડાની ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકરને ચાહકો અને ક્રિટિક્સનો સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મથી રણદીપે નિર્દેશક તરીકે ડેબ્યુ કર્યું હતુ. ફિલ્મમાં રણદીપ સાથે અંકિતા લોખંડે મુખ્યભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી શકી નહિ પરંતુ હવે આ ફિલ્મને લઈ મોટું અપટેડ સામે આવ્યું છે. ધ ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ સ્વાતંત્ર્ય વીર સાવરકરનું નામ ઓસ્કર 2024 માટે મોકલ્યું છે. સ્વાતંત્ર્ય વીર સાવરકર સિવાય કિરણ રાવની લાપતા લેડીઝને પણ 96માં એકેડમી એવોર્ડ માટે મોકલવામાં આવી છે.

રણદીપ  હુડ્ડાએ સ્વાતંત્ર્ય વીર સાવરકરની ભૂમિકા નિભાવી

ફિલ્મમાં રણદીપે સ્વાતંત્ર્ય વીર સાવરકરની ભૂમિકા નિભાવી છે. અભિનેતાએ આ ફિલ્મ માટે શાનદાર ટ્રાન્સફોર્મેશન પણ કર્યું હતુ. ફિલ્મના પ્રોડ્યુસર આનંદ પંડિત,સંદિપ સિંહ અને રણદીપ હુડ્ડા તેમજ અન્ય ટીમ મેમ્બર્સ પણ આ વાતથી ખુબ ખુશ છે.

ફિલ્મના પોડ્યુસર સંદીપે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરી લખ્યું ખુબ સન્માનની વાત છે. અમારી ફિલ્મને ઓફિશિયલ ઓસ્કર માટે મોકલવામાં આવી છે. જેના માટે અમે ફેડરેશન ઓફ ઈન્ડિાને આભાર માનીએ છીએ. અમારા તમામ માટે આ ફિલ્મની જર્ની ખુબ ખાસ રહી છે. એ તમામનો આભાર જેમણે અમને સાથ આપ્યો છે. સંદીપની આ પોસ્ટ પર ચાહકોનું રિએક્શન પણ સામે આવી રહ્યું છે.

આ ફિલ્મ વિનાયક દામોદર સાવરકર ઉર્ફે વીર સાવરકરના જીવન પર આધારિત છે. ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’નું નિર્દેશન રણદીપ હુડ્ડાએ કર્યુ છે. નિર્દેશક તરીકે આ તેમની પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મ માટે અભિનેતાએ ઘણી મહેનત કરી છે. તેનો લુક અને બોડી ટ્રાન્સફોર્મેશન અદભુત હતુ. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ માટે અભિનેતાએ 30 કિલો વજન ઓછું કર્યું હતુ.જો તમે આ ફિલ્મ પરિવાર સાથે ઘરે બેસીને જોવા માંગો છો. તો તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ તમે ઓટીટી પર જોઈ શકો છો.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">