UP ની પૂર્વ CM માયાવતી પર અભદ્ર મજાક કરવી ભારે પડી રણદીપ હૂડાને, વિડીયો વાયરલ થતા વિવાદની આગ ભભૂકી
રણદીપ હૂડાનો એક 9 વર્ષ જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ માયાવતી પર કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયોને લઈને હવે સોશિયલ મીડિયા પર આગ ભભૂકી ઉઠી છે.
રણદીપ હુડા આજકાલ ફરી ચર્ચામાં આવ્યા છે. પરંતુ આ વખત કોઈ ફિલ્મ માટે નહીં પરંતુ એક મહિલા પર જોક્સ મારવા પર ચર્ચામાં આવ્યા છે. ઘણી વખત કલાકારો વિચાર્યા વગર એવી વાત બોલી જાય છે કે પાછળથી તેમણે માફી માનાગવી પડે છે. થોડા દિવસો પહેલા જ અબીશ મેથ્યુએ (Abish Mathew) તેની એક જૂની ટ્વીટને લઈને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીની માફી માંગી. હવે આવું જ કંઇક રણદીપ હુડા સાથે થવા જી રહ્યું છે.
કરી અભદ્ર અને જાતિગત ટિપ્પણી
રણદીપ હૂડાનો એક 9 વર્ષ જુનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ માયાવતી પર કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. રણદીપ હૂડા એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં જોવા મળી રહ્યા છે. જ્યાં તેઓએ માયાવતી પર કથિત અભદ્ર અને જાતિગત ટિપ્પણી કરી હતી. આ વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે અને નેટીજનમાં તેને લઈને ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે.
રણદીપ હૂડાનો વિડીયો થઇ રહ્યો છે વાયરલ
તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટર રણદીપ હૂડા (Randeep Hooda) યુપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના (Mayawati) નામ સહીત ‘સેક્સિસ્ટ’ અને ‘જાતિવાદી’ મજાક ઉડાવતા જોવા મળે છે. આ શોમાં પહેલા રણદીપ એક અભદ્ર મજાક કરે છે અને સાથે હસતા જોવા મળે છે. જોક્સ સંભળાવતા ઓડીયન્સ પણ સાથે હસતી જોવા મળે છે. આ વિડીયો હવે વાયરલ થઇ રહ્યો છે.
શું જાતિગત ટિપ્પણી કરી હૂડાએ?
આ વીડિયોમાં રણદીપ હૂડા સોશિયલ મીડિયા વિશે વાત કરી રહ્યા છે. તેમાં તે કહે છે કે તે એક ‘ડર્ટી જોક’ સંભળાવશે. રણદીપ આગળ કહે છે, ‘મિસ માયાવતી 2 બાળકો સાથે શેરીમાં જઈ રહી હતી. ત્યાં ઉભેલી એક વ્યક્તિએ તેમને પૂછ્યું – શું આ બંને બાળકો જોડિયા છે? તેના જવાબમાં તેણે કહ્યું- ના, એક 4 વર્ષનો છે અને બીજો 8 વર્ષનો છે. આ બાદ રણદીપ આ જોકમાં અભદ્ર અને જાતિગત ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા છે.
અબીશ મેથ્યુએ પણ માંગી હતી માફી
રણદીપના આ વિડીયો બાદ સોશિયલ મીડિયા પર લોકો તેની આકરી ટીકા કરી રહ્યા છે. આ વિડીયો સામે આવ્યા બાદ લોકો રણદીપ હૂડા પાસે માફી માંગવાની પણ માંગ કરી રહ્યા છે. જણાવી દઈએ કે વર્ષ 2012 ની શરૂઆતમાં કરેલા ટ્વિટ માટે કોમેડિયન અબીશ મેથ્યુએ થોડા દિવસો પહેલા જ માયાવતીની માફી માંગી હતી. પોતાના ટ્વિટમાં આબીશે લખ્યું કે, ‘માયાવતી ખૂબ બદસુરત છે… ફક્ત તેની મૂર્તિઓ ઉભી રહી શકે છે.’