મંગળ ગ્રહ પર રોકેટ લોન્ચ વિશે આર માધવને કહ્યું ભારતે આ માટે હિન્દુ કેલેન્ડરનો કર્યો ઉપયોગ, ટ્વિટર યુઝર્સ થયા નારાજ

આર માધવનની (R Madhavan) આ ફિલ્મ ઇસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર નામ્બી નારાયણનના જીવન પર આધારિત છે, જેમના પર જાસૂસીનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો હતો.

મંગળ ગ્રહ પર રોકેટ લોન્ચ વિશે આર માધવને કહ્યું ભારતે આ માટે હિન્દુ કેલેન્ડરનો કર્યો ઉપયોગ, ટ્વિટર યુઝર્સ થયા નારાજ
R-Madhavan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 7:17 AM

આર માધવનની (R Madhavan) ફિલ્મ ‘રોકેટ્રીઃ ધ નામ્બી ઈફેક્ટ’ (Rocketry: The Nambi Effect) ટૂંક સમયમાં જ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ દિવસોમાં આર માધવન આ ફિલ્મ હેડલાઇન્સમાં રહે છે. આ ફિલ્મથી તે નિર્દેશન તરીકે તે શરૂઆત કરી રહ્યો છે. પરંતુ તાજેતરના એક નિવેદનને કારણે તેમની આકરી ટીકા કરવામાં આવી રહી છે. આર માધવને કહ્યું કે ઈસરોએ ભારતના મંગળ ગ્રહ પર PSLV C-25 રોકેટ મિશનને સફળતાપૂર્વક લોન્ચ કરવા માટે હિન્દુ કેલેન્ડરનો ઉપયોગ કર્યો. આ માટે તેની ઘણી ટીકા કરવામાં આવી રહી છે.

આર માધવનની ટિપ્પણીથી લોકો છે નારાજ

આર માધવને આ ફિલ્મના પ્રમોશન દરમિયાન ટિપ્પણી કરી હતી. આ ફિલ્મ હાલમાં 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. માધવને આ ટિપ્પણી તમિલમાં કરી હતી જેને સંગીતકાર ટીએમ કૃષ્ણાએ ટ્રાન્સલેટ કરી હતી. માધવને કહ્યું હતું કે, ‘ભારતીય રોકેટમાં 3 એન્જિન (સોલિડ, લિક્વિડ અને ક્રાયોજેનિક) ન હતા જે વેસ્ટર્ન રોકેટોને મંગળ ગ્રહની ઓરબિટમાં લઈ જવામાં મદદ કરે છે. કારણ કે ભારતમાં તેની કમી હતી, તેથી તેણે ‘પંચાંગમ’ એટલે હિંદુ કેલેન્ડરની માહિતીનો ઉપયોગ કર્યો.’

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

માધવનના શબ્દોનો ટ્રાન્સલેટ કરનાર યુઝરના જણાવ્યા મુજબ “પંચાંગમ”માં ઘણા ગ્રહોની તમામ જાણકારી વાળું સેલેસ્ટિયલ મેપ છે, ગ્રહોનું ગુરુત્વાકર્ષણ ખેંચાણ, સૂર્યના તેજનું ડિફ્લેક્શન વગેરે. દરેક વસ્તુની ગણતરી હજારો વર્ષ પહેલા ગણતરી કરવામાં આવી હતી અને એટલા માટે કેલેન્ડરમાં આ માહિતીનો ઉપયોગ કરીને લોન્ચની ગણતરી કરવામાં આવી હતી.

મંગલ પંચાંગ પર વિચાર કરવાનો સમય આવી ગયો – ટીએમ કૃષ્ણા

માધવને વધુમાં કહ્યું કે, ‘રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે પૃથ્વી, ચંદ્ર અને ગુરુના રિકોચેટમાં ચંદ્રની અને આસપાસ મંગળની ભ્રમણકક્ષામાં ગયું હતું.’ ટીએમ કૃષ્ણાએ ઈસરોની લિંક શેર કરતા કહ્યું છે કે, ‘મંગળ પંચાંગ પણ વિચાર કરવાનો સમય આવી ગયો છે.’

આર માધવનની આ ટિપ્પણી પર ઘણા ટ્વિટર યુઝર્સે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. એકે કહ્યું છે કે, ‘એ માણસને જોઈને ખૂબ નિરાશ થયો, જે એક સમયે તમિલ રોમેન્ટિક ફિલ્મોનો પોસ્ટર બોય હતો, હવે તે વોટ્સએપ અંકલ બની ગયો છે.’

આ સિવાય અન્ય એક યુઝરે આ કોમેન્ટ પર ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે, ‘મંગલયાન મિશન ઈસરોની ઉપલબ્ધિ હતી કોઈ કોમેડી ન હતી.’

નામ્બી નારાયણનના જીવન પર આધારિત છે આ ફિલ્મ

આર માધવનની આ ફિલ્મ ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર નામ્બી નારાયણનના જીવન પર આધારિત છે, જેમના પર જાસૂસીનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો હતો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">