Bollywood News: પૂજા હેગડેએ કબૂલ્યું કે રાધેશ્યામ બની ગઈ ફ્લોપ, કહ્યું- દરેક ફિલ્મનું હોય છે નસીબ

આ ફિલ્મ ફ્લોપ થવાથી પૂજા હેગડે ખૂબ જ નિરાશ છે. તેણે કહ્યું છે કે દરેક ફિલ્મનું પોતાનું ભાગ્ય હોય છે પરંતુ હું માનું છું કે કેટલીકવાર તમે કોઈ ફિલ્મ જુઓ છો અને તમારા મગજમાં માત્ર એટલું જ હોય ​​છે કે, 'ઓહ, આ ફિલ્મ બરાબર છે પણ સાથે-સાથે બોક્સ ઓફિસ પર તેનો પ્રતિસાદ ખરેખર સારો છે'

Bollywood News: પૂજા હેગડેએ કબૂલ્યું કે રાધેશ્યામ બની ગઈ ફ્લોપ, કહ્યું- દરેક ફિલ્મનું હોય છે નસીબ
Radhe Shyam Movie
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 5:41 PM

પ્રભાસ (Prabhas) અને પૂજા હેગડેની (Pooja Hegde) ફિલ્મ રાધેશ્યામ તાજેતરમાં 11 માર્ચે વર્લ્ડ વાઈડ રિલીઝ થઈ છે. ‘રાધે શ્યામ’ (Radhe Shayam) દેશભરની પાંચ ભાષાઓમાં 3,700થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. જે રીતે પ્રભાસની ફિલ્મને રિલીઝ પહેલા હાઈપ મળી હતી, તે સિલ્વર સ્ક્રીન પર આવતાની સાથે જ શાનદાર સાબિત થઈ હતી. આ ફિલ્મને લઈને ચાહકોથી લઈને વિવેચકો સુધી મિશ્ર પ્રતિક્રિયા આવી રહી છે. હવે ફિલ્મની અભિનેત્રી પૂજા હેગડેએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

‘મને ખબર નથી કે કેમ ચાલી નહીં આ ફિલ્મ’

અભિનેત્રી પૂજા હેગડેએ રાધેશ્યામની નિષ્ફળતા પર પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં આવી વાત કહી છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ફિલ્મ ફ્લોપ થવાથી અભિનેત્રી કેટલી નિરાશ છે. તેણે કહ્યું છે કે, દરેક ફિલ્મની પોતાની કિસ્મત હોય છે, પરંતુ હું માનું છું કે ક્યારેક-ક્યારેક- કેટલીકવાર તમે કોઈ ફિલ્મ જુઓ છો અને તમારા મનમાં માત્ર એટલું જ હોય ​​છે કે ‘ઓહ, આ ફિલ્મ તે બરાબર છે, પરંતુ તે જ સમયે બોક્સ-ઓફિસ પર તેનો પ્રતિસાદ ખરેખર સારો છે.

કેટલીકવાર એવી ફિલ્મો હોય છે જે બોક્સ-ઓફિસ પર સારી કમાણી કરતી નથી, પરંતુ જ્યારે તમે તેને જુઓ છો, ત્યારે તમે કહો છો કે મને ખબર નથી કે આ ફિલ્મ કેમ ચાલી નહીં. જ્યારે તે સારી હતી’ તેથી મને લાગે છે કે બોક્સ ઓફિસ પર દરેક ફિલ્મની પોતાની નિયતિ હોય છે.”

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

શરૂઆતમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી હતી

રાધેશ્યામ સાથે પણ કંઈક આવું જ બન્યું છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો છે, પરંતુ આ ફિલ્મ સમીક્ષકોના દિલમાં જગ્યા બનાવી શકી નથી. કહેવા માટે ફિલ્મે માત્ર ચાર દિવસમાં વિશ્વભરમાં 165.18 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, પરંતુ ફિલ્મનું હિન્દી વર્ઝન દર્શકોને થિયેટરોમાં આમંત્રિત કરી શક્યું નથી. શરૂઆતના દિવસોમાં રાધે શ્યામ આંધ્ર પ્રદેશ અને તેલંગાણા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી હતી, પરંતુ જેમ-જેમ દિવસો પસાર થતા ગયા તેમ-તેમ ફિલ્મની કમાણી ઘટતી ગઈ.

દિગ્દર્શકે પણ ખરાબ સમીક્ષા પર આપી હતી પ્રતિક્રિયા

કેટલાક લોકોને રાધે શ્યામ ફિલ્મ ખૂબ જ પસંદ આવી તો કેટલાક લોકોને ફિલ્મ નિરાશાજનક લાગી. જે બાદ ફિલ્મને ખરાબ રિવ્યુ પણ મળ્યા હતા. આના પર ફિલ્મના ડાયરેક્ટર રાધા કૃષ્ણ કુમારે મૌન તોડ્યું અને સોશિયલ મીડિયા પર લખ્યું કે રિવ્યૂ નહીં રિઝલ્ટ જરૂરી છે અને હવે તેમને ખબર પડી ગઈ હશે કે તેમને રિઝલ્ટમાં પણ ફેલ થવું જોઈએ. વાર્તા એટલી ખરાબ રીતે કહી કે લોકો સમજી શક્યા નહીં.

આ પણ વાંચો: Funny Dance: યુવકે રસ્તા પર કર્યો હાહાકારી ડાન્સ, લોકોએ કહ્યું ‘આ નાગિન છે કે શાહમૃગ ડાન્સ’

આ પણ વાંચો: ઋષિ કપૂર શર્માજી તરીકે નિવૃત્તિ માટે લડતા જોવા મળ્યા, પંજાબી તડકા સાથે સામે આવ્યું ‘યે લુથરા’ ગીત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">