AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nusrat Jahan Baby’s Father: અભિનેત્રી નુસરત જહાંના બાળકના પિતાનું નામ થયું જાહેર, જાણો બર્થ સર્ટિફિકેટમાં કોનું છે નામ?

કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાયેલા દસ્તાવેજ મુજબ પિતાનું નામ દેબાશીષ દાસગુપ્તા લખવામાં આવ્યું છે. જે અભિનેતા યશ દાસગુપ્તાનું સત્તાવાર નામ છે. આ પરથી સ્પષ્ટ છે કે યશ દાસગુપ્તા નુસરત જહાંના બાળકના પિતા છે.

Nusrat Jahan Baby’s Father: અભિનેત્રી નુસરત જહાંના બાળકના પિતાનું નામ થયું જાહેર, જાણો બર્થ સર્ટિફિકેટમાં કોનું છે નામ?
Nusrat Jahan
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 12:15 AM
Share

ટીએમસી સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં (Nusrat Jahan) ના બાળકના પિતા વિશે સતત અટકળો ચાલતી હતી, પરંતુ હવે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (Kolkata Municipal Corporation) દ્વારા આપવામાં આવેલા બાળકના પ્રમાણપત્ર (Birth Certificate) માંથી તેના પિતાનું નામ બહાર આવ્યું છે. હા, અભિનેત્રી નુસરત જહાંના બાળકના પિતાનું નામ દેબાશીષ દાસગુપ્તા લખવામાં આવ્યું છે. જે અભિનેતા યશ દાસગુપ્તા (Yash Dasgupta) નું સત્તાવાર નામ છે, જ્યારે સર્ટિફિકેટમાં બાળકનું નામ ઇશાન (Yishaan) જે દાસગુપ્તા લખવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે TMC સાંસદ અને અભિનેત્રી નુસરત જહાંએ 26 ઓગસ્ટ 2021 ના ​​રોજ પુત્રને જન્મ આપ્યો હતો. અભિનેત્રીની ગર્ભાવસ્થા ઘણા વિવાદોમાં રહી હતી. કારણ કે તેમની ગર્ભાવસ્થા સમયે, તેમણે તેના પતિ નિખિલ જૈન સાથેના સંબંધો તોડવાની જાહેરાત કરી હતી. નુસરત જહાંએ કહ્યું હતું કે નિખિલ જૈન સાથે તેમના લગ્ન વૈધ નોહતા. તે લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતી હતી. તે પછી નિખિલ જૈને એક નિવેદન પણ બહાર પાડ્યું હતું કે તે બાળકનો પિતા નથી.

Nusrat Jahan Baby’s Father: know whose name as father is in the birth certificate of Nusrat Jahan's baby

Birth certificate of Nusrat Jahan’s baby

બાળકના જન્મ સાથે જ પિતાનું નામ પૂછવામાં આવી રહ્યું હતું

નુસરત જહાંના બાળકના જન્મ સમયે અભિનેતા યશ દાસગુપ્તા હંમેશા તેની સાથે જોવા મળતા હતા. યશ દાસગુપ્તા જ નુસરત જહાંને હોસ્પિટલ લઈ ગયા હતા અને યશ દાસગુપ્તાએ પણ બાળકના જન્મ અંગેની પ્રથમ માહિતી આપી હતી, પરંતુ ત્યારથી બાળકના પિતા વિશે અટકળો ચાલી રહી હતી. આ અંગે સોશિયલ મીડિયા પર સવાલો ઉઠી રહ્યા હતા. પરંતુ હવે એ વાતની પુષ્ટિ થઈ છે કે નુસરત જહાંના બાળકના પિતા અભિનેતા યશ દાસગુપ્તા છે. નુસરતના બાળકના જન્મ નોંધણીની વિગતો પબ્લિક ડોમેનમાં સામે આવી છે. આમાં બાળકનું પૂરું નામ ઈશાન (Yishaan) જે દાસગુપ્તા લખવામાં આવ્યું છે.

Nusrat Jahan and Yash Dasgupta

Nusrat Jahan and Yash Dasgupta

અભિનેતા યશ દાસગુપ્તા નુસરત જહાંના બાળકના પિતા

કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાયેલા દસ્તાવેજ મુજબ પિતાનું નામ દેબાશીષ દાસગુપ્તા લખવામાં આવ્યું છે. જે અભિનેતા યશ દાસગુપ્તાનું સત્તાવાર નામ છે. આ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે યશ દાસગુપ્તા નુસરત જહાંના બાળકના પિતા છે. અત્યાર સુધી યશ દાસગુપ્તાના નામે માત્ર અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ હવે તે સત્તાવાર બની ગયું છે કે યશ દાસગુપ્તા બાળકના પિતા છે. અમે તમને જણાવી દઈએ કે બાળકનું નામ ઈશાન રાખવામાં આવ્યા બાદ ચર્ચા તેજ થઈ ગઈ હતી, કારણ કે આ નામ સાથે યશ નામ જોડાયેલું હતું, જે અભિનેતા યશ દાસગુપ્તાનું નામ છે.

આ પણ વાંચો :-PM Narendra Modiના જીવન પર બની ચુકી છે આ ફિલ્મો, ચાહકો વચ્ચે મચાવી છે ધમાલ

આ પણ વાંચો :- PM Modi Birthday: પીએમ મોદીને કરણ જોહરથી લઈને પવન કલ્યાણ સુધીના સ્ટાર્સે આપી જન્મદિવસની શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">