AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Birthday: પીએમ મોદીને કરણ જોહરથી લઈને પવન કલ્યાણ સુધીના સ્ટાર્સે આપી જન્મદિવસની શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું?

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ સેલેબ્સ આ ખાસ દિવસે પીએમ મોદીને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

PM Modi Birthday: પીએમ મોદીને કરણ જોહરથી લઈને પવન કલ્યાણ સુધીના સ્ટાર્સે આપી જન્મદિવસની શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું?
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 5:57 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજે પીએમ મોદી 71 વર્ષના થયા છે. વડાપ્રધાનનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. મોદી 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને છેલ્લા સાત વર્ષથી વડાપ્રધાન છે. આજે તેમના જન્મદિવસ પર અલગ અલગ રીતે શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે મોહનલાલ, કરણ જોહર, પવન કલ્યાણ, રિતેશ દેશમુખ, કોયના મિત્રા, ઈશા કોપ્પીકર, વિવેક ઓબેરોય, હેમા માલિની સહિતની ઘણી હસ્તીઓએ પીએમને શુભેચ્છા પાઠવવા માટે સોશિયલ મીડિયાનો સાહરો લીધો.

જાણો કોણે શું કર્યું ટ્વીટ

સાઉથ અભિનેતા પવન કલ્યાણે (Pawan Kalyan) ટ્વીટ કરીને લખ્યું કે #HappyBdayModiji ‘આદિ પરાશક્તિ’ આશીર્વાદ માનનીય. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને તેમના 71માં જન્મદિવસ પર લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છાઓ. મને હંમેશા લાગતું હતું કે આપણા રાષ્ટ્રને એક મજબૂત નેતાની જરૂર છે ‘જે આપણા ભારતની સાંસ્કૃતિક લોકાચાર અને વિવિધતાને સમજતા હોય ”

ડાયરેક્ટર કરણ જોહરે (Karan Johar) ટ્વીટ કરીને લખ્યું છે કે અમારા માનનીય વડાપ્રધાનને અભિનંદન. ખુબ ઉલ્લાસપૂર્ણ જન્મદિવસ, એક દેશ તરીકે અમને સૌથી મજબૂત હાથ આપવા બદલ આભાર, જે અમને દરેક પસાર થતા દિવસ સાથે નવી ઉંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે.

રિતેશ દેશમુખે (Riteish Deshmukh) પણ પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા, અમારા માનનીય પ્રધાનમંત્રીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ભગવાન તમને લાંબી ઉમ્ર, ખુશી અને સ્વાસ્થ્ય આપે. #HappyBirthdayModiji।”

મોહનલાલે (Mohanlal) ટ્વીટ કર્યું, અમારા માનનીય પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભકામનાઓ. ભગવાન તમને તમારી યાત્રા દરમિયાન સારુ સ્વાસ્થ્ય, ખુશી અને સફળતા આપે.

લાલ કિલ્લાની સામે પીએમ મોદીની તસ્વીર શેર કરતા ઈશા કોપ્પીકરે (Isha Koppikar) ટ્વીટ કર્યું કે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીને જન્મદિવસની શુભકામનાઓ.

પરેશ રાવલે (Paresh Rawal) લખ્યું છે કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને લાંબુ અને સ્વસ્થ જીવન આપે. સર તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

વિવેક ઓબેરોયે (Vivek Oberoi) લખ્યું છે કે ભારતની સંસ્કૃતિ અને ઈન્ડિયાની ટેકનોલોજીના સંગમથી હિન્દુસ્તાનને વિશ્વ ગુરુ બનાવનાર યુગપુરુષ માનનીય પ્રધાનમંત્રી @narendramodi જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન તમને દીર્ઘાયુ આપે અને તમને હંમેશા સ્વસ્થ રાખે જય હિન્દ

View this post on Instagram

A post shared by Vivek Oberoi (@vivekoberoi)

તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના તમામ કાર્યકર્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના આ ખાસ પ્રસંગને ઐતિહાસિક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે દેશના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારના અભિયાનો પણ ચલાવવામાં આવી રહ્યા છે. સંસ્કૃતિ મંત્રાલય 17 સપ્ટેમ્બરથી પ્રધાનમંત્રીને મળેલી ભેટો અને સ્મૃતિ ચિન્હોની ઈ-હરાજીનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ હરાજીમાંથી મળેલી રકમ નમામી ગંગે મિશનને આપવામાં આવશે.

આ પણ વાંચો :- PM Narendra Modiના જીવન પર બની ચુકી છે આ ફિલ્મો, ચાહકો વચ્ચે મચાવી છે ધમાલ

આ પણ વાંચો :- Maidaan ફિલ્મની ટીમ અને હૈદરાબાદ એફસીએ મિલાવ્યા હાથ, મળીને ભારતમાં ફૂટબોલને આપશે પ્રોત્સાહન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">