AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gadar 2 : બુટા સિંહની રિયલ લાઈફ love storyથી પ્રેરિત છે તારા સિંહ અને સકીનાની ફિલ્મ ગદર

Gadar Real Story: 'ગદર એક પ્રેમ કથા' 2001માં રિલીઝ થઈ ત્યારે તેણે દેશભરમાં ખળભળાટ મચી ગયો અને હવે તેનો બીજો ભાગ રિલીઝ થવા માટે તૈયાર છે.

Gadar 2 : બુટા સિંહની રિયલ લાઈફ love storyથી પ્રેરિત છે તારા સિંહ અને સકીનાની ફિલ્મ ગદર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 3:48 PM
Share

Gadar 2 : ‘ગદર 2’ 11 ઓગસ્ટે આજે રિલીઝ થઈ ગઈ છે. સની દેઓલ અને અમીષા પટેલની આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. લોકો તારા સિંહ અને સકીનાની લવસ્ટોરીને ફરીથી સ્ક્રીન પર જોવા પહોંચી ચૂક્યા છે. બીજી તરફ, 2001માં જ્યારે ‘ગદર એક પ્રેમ કથા’ રિલીઝ થઈ ત્યારે તેણે દેશભરમાં હલચલ મચાવી દીધી હતી. 2014 સુધી, આ ફિલ્મ ભારત-પાકિસ્તાનના ભાગલા પર બનેલી સૌથી વધુ જોવાયેલી હિન્દી ફિલ્મ બની હતી. જો કે આજે અમે તમને ગદર ફિલ્મની સ્ટોરી નહીં જણાવીએ, પરંતુ આજે અમે તમને એવા સૈનિકની સ્ટોરી જણાવી રહ્યા છીએ જેમના જીવન પર ‘ગદર’ (Gadar) બની હતી.

આ પણ વાંચો : Why Movies Release On Friday: શું તમને ક્યારેય વિચાર આવ્યો કે શુક્રવારના દિવસે જ ફિલ્મો રિલીઝ કેમ થાય છે,જાણો શું છે કારણ

બુટા સિંહ અને ઝૈનબની સ્ટોરી છે શાનદાર

Gadar: Ek Prem Katha 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા પર આધારિત છે. જેમાં સની દેઓલ સરદારના રોલમાં અને અમીષા પટેલ મુસ્લિમ યુવતીના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મની સ્ટોરી બુટા સિંહ અને ઝૈનબની સ્ટોરી પર આધારિત હતી, જેમની દુખદ પ્રેમ કહાનીએ ભારતથી પાકિસ્તાન સુધીના લોકોને હચમચાવી દીધા હતા. આ સ્ટોરીમાં બુટા સિંહ બ્રિટિશ આર્મીમાં ભૂતપૂર્વ શીખ સૈનિક હતા. 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં એક મુસ્લિમ યુવતી ઝૈનબ પણ ફસાઈ હતી. બુટા સિંહે તે છોકરીનો જીવ બચાવ્યો હતો.

ઝૈનબ અને બુટા સિંહને કરવામાં આવ્યા અલગ

ભારત-પાકિસ્તાન ભાગલા વખતે બુટા સિંહે એક મુસ્લિમ છોકરીનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ બંન્ને પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન થયા અને એક પુત્રીના માતા પિતા પણ બન્યા હતા. પરંતુ ઝૈનબ મુસ્લિમ હતી જેના કારણે તેને પાકિસ્તાન મોકલવામાં આવી હતી. બુટા સિંહને પાકિસ્તાન ન જવા દેવામાં આવ્યા. તે ઝૈનબ માટે ગેરકાયદેસર રીતે પાકિસ્તાન પહોંચે છે. તેના પરિવારના સભ્યોને મળવાનો પ્રયાસ કરે છે. પરંતુ ઝૈનબના પરિવારના સભ્યો તેના લગ્ન તેના પિતરાઈ ભાઈ સાથે કરાવે છે.

આ પણ વાંચો : Suniel Shetty Family Tree : અમદાવાદના જમાઈ છે સુનિલ શેટ્ટી, અન્નાનો જમાઈ છે ભારતીય ક્રિકેટર , પુત્ર અને પુત્રી કરી ચૂક્યા છે બોલિવુડ ડેબ્યુ, પત્નીનું છે ગુજરાત કનેક્શન

એકબાજુ બુટા સિંહને પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે જતા પકડાય ગયા હતા.તેને કહેવામાં આવે છે કે ઝૈનબે બુટાના લગ્ન સ્વીકારવાની ના પાડી દીધી છે. આનાથી બુટા એટલો દુઃખી થાય છે કે તે ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લે છે.

બુટા સિંહની અંતિમ ઈચ્છા ક્યારે પણ પુરી ન થઈ

બુટા સિંહની છેલ્લી ઈચ્છા હતી કે, તેને ઝૈનબના ગામ નૂરપુરમાં દફનાવવામાં આવે પરંતુ તેના પરિવારે અનુમતી આપી નહિ, તેમણે મિઆની સાહિબમાં દફનાવવામાં આવ્યા હતા. જ્યાં તેની કબર યુવા પ્રેમીઓ માટે એક તીર્થસ્થળ બની ગયું છે. ગદરમાં ફિલ્મની સ્ટોરી થોડી અલગ છે. જેમાં તારા સિંહ પત્ની સકીનાને પાકિસ્તાનથી પરત ભારત લાવે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">