AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આવતા વર્ષે આ મહિનામાં સાત ફેરા લેશે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી ! જાણો ક્યાં અને કયા દિવસે થશે લગ્ન

હાલમાં જ મીડિયા રિપોર્ટ્સ મુજબ સમાચાર સામે આવ્યા છે કે આથિયા શેટ્ટી (Athiya Shetty) અને કેએલ રાહુલ (KL Rahul) આવતા વર્ષે લગ્ન કરવાના છે.

આવતા વર્ષે આ મહિનામાં સાત ફેરા લેશે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી ! જાણો ક્યાં અને કયા દિવસે થશે લગ્ન
Athiya-Shetty-And-KL-rahul-will-Marry-Next-Year Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 1:05 PM
Share

સુનીલ શેટ્ટીની (Suniel shetty) પુત્રી અને બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી (Athiya Shetty) ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) સાથેના સંબંધોને લઈને ઘણા મહિનાઓથી ચર્ચામાં છે. બંને ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોવા મળે છે. થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે બંને જલદી જ લગ્નના બંધનમાં બંધાઈ જશે. હવે તેમના લગ્ન વિશે એક નવું અપડેટ સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે બંને આ વર્ષે નહિ પરંતુ આવતા વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ સમાચાર સાંભળીને ફેન્સમાં એક્સાઈટમેન્ટ વધી ગયું છે. તો જોણો આથિયા અને કેએલ રાહુલ કયા દિવસે સાત ફેરા લેશે?

અગાઉ એવા રિપોટ્સ સામે આવ્યા હતા કે આથિયા અને કેએલ રાહુલ આગામી ત્રણ મહિનામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ બંનેએ તેમના લગ્નની તારીખને લઈને મોટો ખુલાસો કર્યો છે. મળતી માહિતી મુજબ આથિયાએ કહ્યું છે કે બંને આવતા વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે, આગામી ત્રણ મહિનામાં નહીં. હવે સવાલ થશે કે આવતા વર્ષે આ લવ બર્ડ્સ ક્યારે અને કયા દિવસે લગ્ન કરશે. તો તે જાણો.

આ પણ વાંચો

મીડિયા રિપોર્ટ્સમાંથી મળેલી જાણકારીમાં એવા સમાચાર છે કે આથિયાનું કહેવું છે કે તે બંને આવતા વર્ષે એટલે કે વર્ષ 2023ના જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં લગ્ન કરશે. અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા કે બંને ડિસેમ્બર સુધી લગ્ન સંબંધમાં બંધાય જશે. જે બાદ હવે આ અંગે ખુલાસો કરતા એક્ટ્રેસે જણાવ્યું છે કે તેમના ફેમિલી પ્લાનમાં કેટલાક બદલાવ આવ્યા છે, જેના લીધે લગ્ન જાન્યુઆરી અને ફેબ્રુઆરી સુધી નક્કી કરવામાં આવશે.

રણબીર આલિયાના પાડોશી બનશે આ કપલ

હાલમાં તેમના લગ્ન વિશે એ વાત સામે આવી છે કે તેઓ ક્યારે અને કયા મહિનામાં લગ્ન કરી રહ્યા છે. લગ્ન માટે વેન્યુ અને તારીખને લઈને કોઈ સમાચાર સામે આવ્યા નથી. પરંતુ તમને જણાવી દઈએ કે લગ્ન પછી બંને મુંબઈમાં જ રહેશે. રિપોર્ટ્સ મુજબ આથિયા અને કેએલ રાહુલ લગ્ન પછી મુંબઈના પાલી હિલ્સ સ્થિત સંધુ પેલેસમાં શિફ્ટ થઈ જશે. જે બાદ બંને રણબીર અને આલિયાના પડોશી બની જશે.

બંને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી છેલ્લે ફિલ્મ મોતીચૂર ચકનાચૂરમાં જોવા મળી હતી. જેમાં તેની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી લીડ રોલમાં જોવા મળ્યો હતો. કેએલ રાહુલ પણ તેની ફિલ્ડમાં વધુ સારું પ્રદર્શન કરે છે. બંને પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણીવાર સાથે તસવીરો પણ શેર કરે છે.

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
g clip-path="url(#clip0_868_265)">