AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kichcha Sudeep: આ ગામના દરેક ઘરમાં છે કિચ્ચા સુદીપની તસવીર, લોકો રોજ કરે છે પૂજા

કિચ્ચા સુદીપે (Kichcha Sudeep Birthday) વર્ષ 1997માં ફિલ્મ 'થાયવ્વા'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી ચાલી ન હતી.

Kichcha Sudeep: આ ગામના દરેક ઘરમાં છે કિચ્ચા સુદીપની તસવીર, લોકો રોજ કરે છે પૂજા
Kiccha Sudeepa
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2022 | 9:47 AM
Share

સાઉથના જાણીતા અભિનેતા કિચ્ચા સુદિપે (Kichcha Sudeep Birthday) આજે બોલિવુડમાં પણ ખૂબ સારી છાપ પાડી છે. મુખ્ય રૂપથી કન્નડ ફિલ્મોમાં કામ કરનારા કિચ્ચા સુદીપને લોકો દીપુના નામથી પણ ઓળખે છે. કિચ્ચા સુદીપ માત્ર લોકપ્રિય અભિનેતા (South Actor) જ નથી પણ નિર્માતા, ટેલિવિઝન પ્રસ્તુતકર્તા અને દિગ્દર્શક પણ છે. કિચ્ચા સુદીપ આજે તેમનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમના જન્મદિવસ પર આજે અમે તમને તેમના જીવન સાથે જોડાયેલા કેટલાક તથ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

કિચ્ચા સુદીપનો જન્મ 2 સપ્ટેમ્બર 1973ના રોજ થયો હતો

કિચ્ચા સુદીપનો જન્મ 2 સપ્ટેમ્બર 1973ના રોજ કર્ણાટકના શિમોગા જિલ્લામાં થયો હતો. તે હિન્દુ પરિવારનો છે. તેમના પિતાનું નામ સંજીવ મંજપ્પા અને માતાનું નામ સરોજા છે. કિચ્ચાએ બેંગલોરની દયાનંદ સાગર કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે.

વર્ષ 2001માં પ્રિયા રાધાકૃષ્ણન સાથે લગ્ન કર્યા હતા

કિચ્ચા સુદીપ વર્ષ 2000માં પહેલીવાર પ્રિયા રાધાકૃષ્ણનને મળ્યા હતા અને બંનેએ નક્કી કર્યું હતું કે, તેમને લગ્ન કરવા છે. બંનેએ વર્ષ 2001માં લગ્ન કર્યા હતા. વર્ષ 2004માં બંનેને એક પુત્રી હતી. જેનું નામ માનવી રાખ્યું હતું. પ્રિયા રાધાકૃષ્ણન કેરળના એક નાયર પરિવાર સાથે સંબંધ ધરાવે છે. 15 વર્ષ સુધી ચાલેલા આ સંબંધનો વર્ષ 2015માં પરસ્પર સહમતિથી અંત આવ્યો હતો. બંનેએ બેંગ્લોરની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કાગળો જમા કરાવ્યા હતા. જો કે, વર્ષ 2017માં, સુદીપ અને તેની પત્નીએ તેમની પુત્રીની ખાતર છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો.

1997માં ‘થાયવ્વા’થી ફિલ્મી કરિયરની કરી હતી શરૂઆત

કિચ્ચા સુદીપે વર્ષ 1997માં ફિલ્મ ‘થાયવ્વા’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી ન હતી. આ ફિલ્મ પછી તેણે ‘હાચ્છા’માં કામ કર્યું. આ ફિલ્મ કિચ્ચા સુદીપની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. આ ફિલ્મ તે સમયે હિટ સાબિત થઈ હતી. 2006માં, કિચ્ચાએ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘માય ઑટોગ્રાફ’માં પણ દિગ્દર્શન, નિર્માણ અને અભિનય કર્યો હતો. પરંતુ વર્ષ 2012માં તેણે એસએસ રાજામૌલીની ફિલ્મ ‘ઈગા’માં નેગેટિવ રોલ કર્યો હતો. આ ફિલ્મ તે સમયે સુપરહિટ સાબિત થઈ હતી. આ પછી કિચ્ચાના જીવનમાં ફિલ્મો આવતી રહી અને આજે તે સુપરસ્ટાર તરીકે બધાની સામે છે.

‘દબંગ 3’માં ભજવ્યું નેગેટિવ પાત્ર

સાઉથ સિવાય કિચ્ચાએ બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં સલમાન ખાનની 2019ની ફિલ્મ ‘દબંગ 3’નો સમાવેશ થાય છે. કિચ્ચાએ આ ફિલ્મમાં નેગેટિવ રોલ કર્યો હતો.

ગામમાં લોકો કિચ્ચાને માને છે ભગવાન

2010માં કિચ્ચા સુદીપ પર નિર્દેશક સાગરને તેમની ફિલ્મ ‘કંવરલાલ’ના સેટ પર થપ્પડ મારવાનો આરોપ લાગ્યો હતો. તેની સાથે સંબંધિત એક રસપ્રદ કિસ્સો પણ છે. વાસ્તવમાં, સુદીપે પોતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, એક એવું ગામ છે જ્યાં દરેક ઘરમાં તેની પૂજા થાય છે. આ સાંભળીને તે પોતે પણ ડરી ગયો. તેમના મતે, ‘હું સંપૂર્ણ નથી. મારાથી ભૂલો થાય છે, પરંતુ કેટલાક લોકો એવા છે જેમણે મારા નામે મંદિર બનાવ્યું છે. તે લોકો મારી મૂર્તિ તેમના ઘરે રાખે છે અને તેની પૂજા કરે છે. એક એવું ગામ છે કે જેના દરેક ઘરમાં મારું ચિત્ર છે અને તેઓ દરરોજ સવારે મારી પૂજા કરે છે. તેનાથી મને ડર લાગે છે. જ્યારે લોકો મને ત્યાં બોલાવે છે ત્યારે હું ડરી જાઉં છું. મારે આ પદ ક્યારેય જોઈતું નથી.

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">