Gandhi Jayanti 2023: મહાત્મા ગાંધી પર બનેલી છે આ 5 ફિલ્મ, એક્ટરોએ કરી છે શાનદાર એક્ટિંગ

બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી મહાત્મા ગાંધી અને તેમના આઝાદીના સંઘર્ષ પર ઘણી ફિલ્મો બની છે. આ ફિલ્મો જોયા પછી તમારા હૃદયમાં ગાંધીજી પ્રત્યેનો પ્રેમ અને આદર આપોઆપ ભરાઈ જશે. આવો અમે તમને જણાવીએ કે આ વખતે ગાંધી જયંતિના અવસર પર તમે ઘરે બેસીને કઈ ફિલ્મો જોઈ શકો છો અને તેને જોતી વખતે બાપુને યાદ કરો.

Gandhi Jayanti 2023: મહાત્મા ગાંધી પર બનેલી છે આ 5 ફિલ્મ, એક્ટરોએ કરી છે શાનદાર એક્ટિંગ
Gandhi Jayanti 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2023 | 2:24 PM

Mahatma Gandhi Films : દર વર્ષે 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ દેશભરમાં ઉજવવામાં આવે છે. બાપુ મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. આ વર્ષે મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ ઉજવવામાં આવશે. આ ખાસ દિવસે આખો દેશ મહાત્મા ગાંધીને યાદ કરે છે. તમને જણાવી દઈએ કે ભારતની આઝાદીમાં ગાંધીજીનું મહત્વનું યોગદાન હતું. આજે પણ જ્યારે બાપુને યાદ કરવામાં આવે છે ત્યારે લોકોના હૃદયમાં દેશભક્તિની લહેર દોડે છે.

આ પણ વાંચો : અમૃતા ફડણવીસે કહ્યું ‘મહાત્મા ગાંધી જુના રાષ્ટ્રપિતા, નવા ભારતના રાષ્ટ્રપિતા વડાપ્રધાન મોદી’

ગાંધી (1982)

મોહનદાસ કરમચંદ ગાંધી પર બનેલી ફિલ્મ ‘ગાંધી’એ 8 ઓસ્કાર એવોર્ડ જીત્યા હતા. આ ફિલ્મ વર્ષ 1982માં રિલીઝ થઈ હતી અને તેના ડિરેક્ટર રિચર્ડ એટનબરો છે. આ ફિલ્મમાં ગાંધીજીની મુખ્ય ભૂમિકા બ્રિટિશ અભિનેતા બેન કિંગ્સલે ભજવી હતી. તમે ગાંધી જયંતિના અવસર પર OTT પ્લેટફોર્મ Jio Cinema એપ પર આ ફિલ્મ ફ્રીમાં જોઈ શકો છો.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

નાઈન અવર્સ ટુ રામા (1963)

ફિલ્મ ‘નાઈન અવર્સ ટુ રામા’ મહાત્મા ગાંધીની હત્યા અને નાથુરામ ગોડસેના જીવન પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં નાથુરામ ગોડસેના જીવનના 9 કલાક બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં જર્મન અભિનેતા હોર્સ્ટ બુચોલ્ઝે નાથુરામ ગોડસેની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 1963માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ તમે YouTube પર ફ્રીમાં જોઈ શકો છો.

હે રામ (2000)

‘હે રામ’ ફિલ્મની વાર્તા પણ મહાત્મા ગાંધીની હત્યા પર આધારિત છે. આ ફિલ્મમાં બાપુની હત્યા સાથે જોડાયેલા તમામ પાસાઓ બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં બોલિવૂડ એક્ટર નસીરુદ્દીન શાહ ગાંધીજીના રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ વર્ષ 2000માં રિલીઝ થઈ હતી. જેમાં નસીરુદ્દીન શાહ સિવાય શાહરૂખ ખાન, રાની મુખર્જી, અતુલ કુલકર્ણી, ગિરીશ કર્નાડ અને ઓમ પુરીએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મના નિર્દેશક કમલ હાસન છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર ઉપલબ્ધ છે.

ધ મેકિંગ ઓફ મહાત્મા ગાંધી (1996)

બોલિવૂડ એક્ટર રજિત કપૂરે ફિલ્મ ‘ધ મેકિંગ ઓફ મહાત્મા ગાંધી’માં બાપુની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના બધાએ ખૂબ વખાણ કર્યા હતા. તેમને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. આ ફિલ્મમાં મહાત્મા ગાંધીના જીવનના 21 વર્ષ દર્શાવવામાં આવ્યા છે જે તેમણે દક્ષિણ આફ્રિકામાં વિતાવ્યા હતા. આ ફિલ્મ વર્ષ 1996માં રિલીઝ થઈ હતી અને તેના નિર્દેશક શ્યામ બેનેગલ છે. તમે આ ફિલ્મને OTT પ્લેટફોર્મ Jio Cinema એપ પર ફ્રીમાં જોઈ શકો છો.

ગાંધી માય ફાધર (2007)

2007માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગાંધી માય ફાધર’માં મહાત્મા ગાંધીના અંગત જીવનને તેમની હત્યા અને સંઘર્ષથી આગળ દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ બાપુ અને તેમના પુત્ર હીરાલાલ ગાંધી સાથેના સંબંધોને પણ સારી રીતે દર્શાવે છે. આ ફિલ્મમાં દર્શન જરીવાલાએ બાપુની ભૂમિકા ભજવી હતી અને અક્ષય ખન્નાએ હીરાલાલ ગાંધીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Zee5 પર ઉપલબ્ધ છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">