અમૃતા ફડણવીસે કહ્યું ‘મહાત્મા ગાંધી જુના રાષ્ટ્રપિતા, નવા ભારતના રાષ્ટ્રપિતા વડાપ્રધાન મોદી’

તમને જણાવી દઈએ કે 3 વર્ષ પહેલા પણ અમૃતા ફડણવીસે વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ રાષ્ટ્રપિતા કહીને કર્યો હતો. ત્યારે પણ તેમની પર ટીકા-ટિપ્પણી થઈ હતી પણ ત્યારબાદ પણ તે પોતાના નિવેદન પર અડગ છે.

અમૃતા ફડણવીસે કહ્યું 'મહાત્મા ગાંધી જુના રાષ્ટ્રપિતા, નવા ભારતના રાષ્ટ્રપિતા વડાપ્રધાન મોદી'
Amrita Fadnavis And PM Modi Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2022 | 5:20 PM

મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે વડાપ્રધાન મોદીને લઈને એક નિવેદન આપ્યું છે. ડેપ્યુટી મુખ્યપ્રધાનના પત્નીએ વડાપ્રધાન મોદીને નવા ભારતના રાષ્ટ્રપિતા ગણાવ્યા છે. એટલું જ નહીં અમૃતા ફડણવીસે કહ્યું કે મારૂ માનવું છે કે મહાત્મા ગાંધી ભારતના રાષ્ટ્રપિતા છે, ત્યારે વડાપ્રધાન મોદી નવા ભારતના રાષ્ટ્રપિતા છે. ભારતના બે રાષ્ટ્રપિતા છે. એક પહેલા હતા, એક નવા ભારતના રાષ્ટ્રપિતા છે. તમને જણાવી દઈએ કે 3 વર્ષ પહેલા પણ અમૃતા ફડણવીસે વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ રાષ્ટ્રપિતા કહીને કર્યો હતો. ત્યારે પણ તેમની પર ટીકા-ટિપ્પણી થઈ હતી પણ ત્યારબાદ પણ તે પોતાના નિવેદન પર અડગ છે.

માત્ર બે વ્યક્તિથી જ ડરૂ છું: અમૃતા ફડણવીસ

વધુમાં અમૃતા ફડણવીસે કહ્યું કે હું માત્ર મારી માતા અને સાસુથી ડરૂ છું. હું વધારે રાજકીય નિવેદન તે માટે નથી આપતી કારણ કે તેનાથી મને અને દેવેન્દ્રજી, અમને બંનેને નુકસાન થાય છે. તેનો ફાયદો બીજા લોકો ઉઠાવે છે. હું વધારે બોલુ છું તેવી ફરિયાદ આરએસએસને પણ કરવામાં આવી હતી, આ સાચુ છે પણ હું જેવી છું, તેવી છું. ઈમેજ બનાવવા માટે હું કોઈ ફેરફાર કરતી નથી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વડાપ્રધાનના જન્મદિવસ પર કર્યુ હતું ટ્વીટ

આ પહેલા પણ અમૃતા ફડણવીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર એક અલગ જ અંદાજમાં ટ્વીટ કર્યુ હતું. તેમને 17 સપ્ટેમ્બરે લખ્યું હતું કે ‘આજે આધુનિક ભારતના રાષ્ટ્રપિતા માનનીય નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ પર અમે તેમના વિઝન, મિશન અને સપનાના અનુરૂપ કામ કરવાનો સંકલ્પ લઈએ છીએ, જે તેમને ન્યૂ ઈન્ડિયા માટે જોયું છે. આવો બધા સાથે મળીને પોતાના દેશને સ્વચ્છ, ભ્રષ્ટ્રાચાર મુક્ત અને આર્થિક ગતિવિધિઓને કેન્દ્ર બનાવો.’

રાજનીતિમાં આવવાની કોઈ ઈચ્છા નથી: અમૃતા ફડણવીસ

અમૃતા ફડણવીસે કહ્યું કે જે 24 કલાક રાજનીતિ અને સમાજ માટે આપી શકે છે અને જે તેના લાયક છે, તેમને જ મુખ્યમંત્રી હોવું જોઈએ. દેવેન્દ્રજી 24 કલાક સમાજના કામ માટે આપે છે. હું રાજનીતિના કામમાં મારા 24 કલાક આપી શકતી નથી. તેથી મારી રાજનીતિમાં આવવાની કોઈ ઈચ્છા નથી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">