AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમૃતા ફડણવીસે કહ્યું ‘મહાત્મા ગાંધી જુના રાષ્ટ્રપિતા, નવા ભારતના રાષ્ટ્રપિતા વડાપ્રધાન મોદી’

તમને જણાવી દઈએ કે 3 વર્ષ પહેલા પણ અમૃતા ફડણવીસે વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ રાષ્ટ્રપિતા કહીને કર્યો હતો. ત્યારે પણ તેમની પર ટીકા-ટિપ્પણી થઈ હતી પણ ત્યારબાદ પણ તે પોતાના નિવેદન પર અડગ છે.

અમૃતા ફડણવીસે કહ્યું 'મહાત્મા ગાંધી જુના રાષ્ટ્રપિતા, નવા ભારતના રાષ્ટ્રપિતા વડાપ્રધાન મોદી'
Amrita Fadnavis And PM Modi Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2022 | 5:20 PM
Share

મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે વડાપ્રધાન મોદીને લઈને એક નિવેદન આપ્યું છે. ડેપ્યુટી મુખ્યપ્રધાનના પત્નીએ વડાપ્રધાન મોદીને નવા ભારતના રાષ્ટ્રપિતા ગણાવ્યા છે. એટલું જ નહીં અમૃતા ફડણવીસે કહ્યું કે મારૂ માનવું છે કે મહાત્મા ગાંધી ભારતના રાષ્ટ્રપિતા છે, ત્યારે વડાપ્રધાન મોદી નવા ભારતના રાષ્ટ્રપિતા છે. ભારતના બે રાષ્ટ્રપિતા છે. એક પહેલા હતા, એક નવા ભારતના રાષ્ટ્રપિતા છે. તમને જણાવી દઈએ કે 3 વર્ષ પહેલા પણ અમૃતા ફડણવીસે વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ રાષ્ટ્રપિતા કહીને કર્યો હતો. ત્યારે પણ તેમની પર ટીકા-ટિપ્પણી થઈ હતી પણ ત્યારબાદ પણ તે પોતાના નિવેદન પર અડગ છે.

માત્ર બે વ્યક્તિથી જ ડરૂ છું: અમૃતા ફડણવીસ

વધુમાં અમૃતા ફડણવીસે કહ્યું કે હું માત્ર મારી માતા અને સાસુથી ડરૂ છું. હું વધારે રાજકીય નિવેદન તે માટે નથી આપતી કારણ કે તેનાથી મને અને દેવેન્દ્રજી, અમને બંનેને નુકસાન થાય છે. તેનો ફાયદો બીજા લોકો ઉઠાવે છે. હું વધારે બોલુ છું તેવી ફરિયાદ આરએસએસને પણ કરવામાં આવી હતી, આ સાચુ છે પણ હું જેવી છું, તેવી છું. ઈમેજ બનાવવા માટે હું કોઈ ફેરફાર કરતી નથી.

વડાપ્રધાનના જન્મદિવસ પર કર્યુ હતું ટ્વીટ

આ પહેલા પણ અમૃતા ફડણવીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર એક અલગ જ અંદાજમાં ટ્વીટ કર્યુ હતું. તેમને 17 સપ્ટેમ્બરે લખ્યું હતું કે ‘આજે આધુનિક ભારતના રાષ્ટ્રપિતા માનનીય નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ પર અમે તેમના વિઝન, મિશન અને સપનાના અનુરૂપ કામ કરવાનો સંકલ્પ લઈએ છીએ, જે તેમને ન્યૂ ઈન્ડિયા માટે જોયું છે. આવો બધા સાથે મળીને પોતાના દેશને સ્વચ્છ, ભ્રષ્ટ્રાચાર મુક્ત અને આર્થિક ગતિવિધિઓને કેન્દ્ર બનાવો.’

રાજનીતિમાં આવવાની કોઈ ઈચ્છા નથી: અમૃતા ફડણવીસ

અમૃતા ફડણવીસે કહ્યું કે જે 24 કલાક રાજનીતિ અને સમાજ માટે આપી શકે છે અને જે તેના લાયક છે, તેમને જ મુખ્યમંત્રી હોવું જોઈએ. દેવેન્દ્રજી 24 કલાક સમાજના કામ માટે આપે છે. હું રાજનીતિના કામમાં મારા 24 કલાક આપી શકતી નથી. તેથી મારી રાજનીતિમાં આવવાની કોઈ ઈચ્છા નથી.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">