AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Extortion Case: જેકલીન ફર્નાન્ડિઝે સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત છેડતીના કેસમાં કોર્ટમાં અરજી કરી, IIFA માટે વિદેશ જવાની પરવાનગી માગી

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા EDએ જેકલીન ફર્નાન્ડીઝના (Jacqueline Fernandez) ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં EDએ જેકલીનની 7.27 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.

Extortion Case: જેકલીન ફર્નાન્ડિઝે સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત છેડતીના કેસમાં કોર્ટમાં અરજી કરી, IIFA માટે વિદેશ જવાની પરવાનગી માગી
Jacqueline FernandezImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 5:04 PM
Share

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) આ દિવસોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના રડાર પર છે. 200 કરોડની ખંડણી કેસના માસ્ટરમાઇન્ડ સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekhar) સાથે સંબંધિત કેસની ED તપાસ કરી રહી છે અને આ જ કેસમાં ED દ્વારા જેકલીનની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે. EDએ જેકલીન વિરુદ્ધ LOC એટલે કે લુક આઉટ સર્ક્યુલર જાહેર કર્યો છે. તે પરવાનગી વિના દેશ છોડી શકે નહીં. આવી સ્થિતિમાં હવે જેક્લિને કોર્ટનો સંપર્ક કર્યો છે અને કોર્ટને અપીલ કરી છે કે અભિનેત્રીને 15 દિવસ માટે વિદેશ જવાની પરવાનગી આપવામાં આવે.

જેકલીને વિદેશ જવા માટે કોર્ટ પાસે પરવાનગી માગી

જેકલીને દિલ્હીની કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં જેકલીને કહ્યું છે કે તેને અબુ ધાબીમાં યોજાનાર IIFA એવોર્ડ સમારોહમાં ભાગ લેવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે. આ સિવાય જેકલીને કેટલીક ફિલ્મ ઈવેન્ટ્સ અને પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે નેપાળ અને ફ્રાન્સ જવાની પરવાનગી માંગી છે.

જેકલીન વિરૂદ્ધ લુક આઉટ સર્ક્યુલર ચાલી રહ્યો છે, જેના કારણે તે વિદેશ જઈ શકતી નથી. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જેકલીન વિદેશ જઈ રહી હતી ત્યારે મુંબઈ એરપોર્ટ પરથી તેની અટકાયત કરવામાં આવી હતી. ED દ્વારા ટૂંકી પૂછપરછ બાદ જેકલીનને ઘરે જવાની મંજૂરી આપવામાં આવી હતી, તેમ છતાં તેને કહેવામાં આવ્યું હતું કે તે પરવાનગી વિના દેશ છોડી શકે નહીં.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા EDએ જેકલીન ફર્નાન્ડિસના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં EDએ જેકલીનની 7.27 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. આ બાબતમાં ED દ્વારા જેકલીન ફર્નાન્ડીઝની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે. ED મુજબ, અભિનેત્રીને સુકેશ ચંદ્રશેખર તરફથી ખૂબ જ મોંઘી ભેટ મળી હતી. ED મુજબ, જેકલીને પૂછપરછ દરમિયાન આ વાતની કબૂલાત પણ કરી હતી. જેક્લિને પૂછપરછ દરમિયાન એ પણ જણાવ્યું કે સુકેશે એક ફિલ્મને લઈને અભિનેત્રીનો સંપર્ક કર્યો હતો. જેકલીને દાવો કર્યો હતો કે સુકેશ ચંદ્રશેખરે તેને એક ચેનલના માલિક તરીકે ઓળખાવ્યો હતો.

ED મુજબ, સુકેશ ચંદ્રશેખરે જૈકલીનને ખંડણીના નાણાંમાંથી પાંચ કરોડથી વધુની ગિફ્ટ આપી હતી. આ સિવાય સુકેશ દ્વારા લગભગ 173,000 યુએસ ડોલર અને લગભગ 27,000 ઓસ્ટ્રેલિયન ડોલર જેકલીનના નજીકના મિત્રોને આપ્યા હતા. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે સુકેશ ચંદ્રશેખરે જેકલીનનો પરિચય કરાવવા માટે તેની સહકર્મી પિંકી ઈરાનીને મોટી રકમ આપી હતી.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">