AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amitabh Bachchan: શું ટ્રોલ થયા એટલે બીગ બી એ ‘ઓપરેશન સિંદૂર’ પર ટ્વીટ કર્યું? 19 દિવસ પછી લખી કવિતા

Amitabh Bachchan: ભારતે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો પાકિસ્તાનમાં ઘૂસીને લીધો હતો. જો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવાર, 10 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પાકિસ્તાને ફરી દગો આપ્યો. અહીં ઓપરેશન સિંદૂર પછી ભારતીયોનો ઉત્સાહ ખૂબ જ વધારે છે. જ્યારે 19 દિવસ સુધી મૌન રહેલા અમિતાભ બચ્ચને હવે પોતાનું મૌન તોડ્યું છે.

Amitabh Bachchan: શું ટ્રોલ થયા એટલે બીગ બી એ 'ઓપરેશન સિંદૂર' પર ટ્વીટ કર્યું? 19 દિવસ પછી લખી કવિતા
amitabh bachchan tweet
| Updated on: May 11, 2025 | 8:03 AM
Share

Amitabh Bachchan tweeted: ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવાર, 10 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. ભારતે ૨૨ એપ્રિલના રોજ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી હુમલાનો બદલો લીધો હતો. જ્યાં ઘણા આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમિતાભ બચ્ચન પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા..

અમિતાભ બચ્ચને પોતાનું મૌન તોડ્યું

‘ઓપરેશન સિંદૂર’ પછી એક તરફ ભારતીયોનો ઉત્સાહ ખૂબ જ હતો, તો બીજી તરફ બિગ બી ચૂપ રહ્યા. 7 મે થી, લોકો તેમની પોસ્ટ પર સતત ટિપ્પણી કરી રહ્યા હતા અને તેમને હવે કંઈક કહેવા માટે વિનંતી કરી રહ્યા હતા. પણ તે ખાલી ટ્વીટ કરતા રહ્યા. સતત ટ્રોલ થયા બાદ અમિતાભ બચ્ચને પોતાનું મૌન તોડ્યું છે.

અમિતાભ બચ્ચને 19 દિવસ પછી X પર એક લાંબી પોસ્ટ લખી. જ્યાં તેણે ‘ઓપરેશન સિંદૂર’ પર તેના પિતાના જીવન પર એક કવિતા લખી હતી. “શપથ લો, શપથ લો, શપથ લો. અગ્નિપથ! અગ્નિપથ! અગ્નિપથ”

અમિતાભ બચ્ચને 19 દિવસ પછી શું લખ્યું?

22 એપ્રિલના રોજ, અમિતાભ બચ્ચને X પર છેલ્લે ટ્વિટ કર્યું હતું. તેઓ લખે છે – ધ સાઈલન્ટ X chromosome. મન નક્કી કરી ચૂક્યું છે. જે પછી તે ફક્ત પોતાનો નંબર લખીને ખાલી પોસ્ટ શેર કરતા હતા. પરંતુ સતત ટ્રોલિંગ બાદ હવે અમિતાભ બચ્ચને પોતાનું મૌન તોડવું પડ્યું. હવે તેણે પોસ્ટ લખી છે. શું તેને એવો ડર હતો કે તે હવે ઓપરેશન સિંદૂર પર પોસ્ટ નહી કરે તો તેના ફેન્સ તેનાથી નારાજ થઈ જશે? શું એટલા માટે તેને હવે 19 દિવસ પછી પોસ્ટ કરી? તો અત્યાર સુધી કેમ નહીં ? જ્યારે તેને દેશભક્તિની ફિલ્મો કરવી હોય તો કેમ ભરી-ભરીને દેશપ્રેમ જાગે છે? આ ફક્ત દેખાડો જ હોય છે?

રહી રહીને જાગ્યો દેશપ્રેમ?

(Credit Source: @SrBachchan)

બિગ બીને તેમના પિતાની કવિતા યાદ આવી

પોસ્ટમાં તેમણે લખ્યું કે – દીકરીની માનસિક સ્થિતિ પર તેમને પૂજ્ય બાબુજીની કવિતાની એક પંક્તિ યાદ આવી – માનો કે તે દીકરી….પાસે ગઈ હોય. અને કહ્યું- “है चिता की राख कर में, मांगती सिंदूर दुनिया”. तो ”. ” ने दे दिया सिंदूर. OPERATION SINDOOR !!!”.

અંતે તેઓ લખે છે – જય હિંદ, જય હિંદ કી સેના. तू ना थमें गा कभी, तू न मुड़ेगा कभी, तू न झुकेगा कभी… कर शपथ, कर शपथ, कर शपथ. अग्नि पथ! अग्नि पथ! अग्नि पथ”

લોકો અમિતાભ બચ્ચન પર કેમ ગુસ્સે છે?

આ પોસ્ટ પછી પણ લોકોએ બિગ બીને ખૂબ ટ્રોલ કર્યા. તેઓ લખે છે કે તમારુ X અકાઉન્ટ હેક તો નથી થયું ને? પછી બીજા લખે છે – સાહેબ, વાત હવે મામલો થાળે પડી ગયો, હવે તમે અમને કઈ શપથ યાદ કરાવી રહ્યા છો? તો કોઈએ કહ્યું-“સાહેબ, તમે આવવામાં ખૂબ મોડા પડ્યા”

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">