ફિલ્મ રામ સેતુ ફિલ્મને લઈને થયો વિવાદ, સુબ્રમણ્યમ સ્વામીએ કરી અક્ષય કુમારની ધરપકડની માગ
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ રામ સેતુ (Ram Setu) પહેલા જ વિવાદમાં આવી ચુકી છે. ભાજપના નેતાઓ હવે ફિલ્મના લીડ એક્ટર અક્ષય કુમાર સામે કેસ દાખલ કરશે.

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ ‘રામ સેતુ’ (Ram Setu) રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. હવે આ ફિલ્મ કાનૂની લડાઈનો સામનો કરશે. તમને જણાવી દઈએ કે ફિલ્મના એક્ટર અક્ષય કુમાર સામે કેસ દાખલ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે. વળતરની માંગને લઈને ભાજપના નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામી કેસ દાખલ કરશે. તેમનો દાવો છે કે ફિલ્મમાં ‘રામ સેતુ’ના મુદ્દાને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. કેસ કરવાની જાણકારી પોતે સુબ્રમણ્યમ સ્વામીએ આપી છે.
અક્ષય કુમાર સામે દાખલ કરવામાં આવશે કેસ
ભાજપના નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામી એક્ટર અક્ષય કુમાર સામે કેસ દાખલ કરશે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. સુબ્રમણ્યમ સ્વામીનો દાવો છે કે ફિલ્મમાં રામ સેતુના મુદ્દાને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. તેઓ દાવો કરે છે કે તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી છે. પોતાના ટ્વિટમાં સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું- ‘વળતરનો કેસ મારા સહયોગી એડવોકેટ સત્યા સભ્રવાલ દ્વારા ફાઇલ કરવામાં આવ્યો છે. હું એક્ટર અક્ષય કુમાર અને કર્મા મીડિયા સામે તેમની ફિલ્મમાં રામ સેતુ મુદ્દાના ખોટા ચિત્રણને કારણે થયેલા નુકસાન માટે દાવો કરી રહ્યો છું.
The suit for compensation has been finalised by my associate Satya Sabharwal Adv. I am suing Akshay Kumar, actor & Karma Media for damages cause by falsification in portrayal of the Ram Setu issue in their film for release.
— Subramanian Swamy (@Swamy39) July 29, 2022
સુબ્રમણ્યમ સ્વામીએ બીજું એક ટ્વિટ પણ કર્યું છે. તેણે લખ્યું- ‘જો એક્ટર અક્ષય કુમાર વિદેશી નાગરિક છે, તો અમે તેને ધરપકડ કરવા અને તેના દત્તક લીધેલા દેશમાંથી બહાર કાઢવા માટે કહી શકીએ છીએ.’
If Actor Akshay Kumar is a foreign citizen then we can ask he be arrested and evicted his adopted country.
— Subramanian Swamy (@Swamy39) July 29, 2022
થોડા મહિના પહેલા થયું હતું આ પોસ્ટર વાયરલ
તમને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં જ ફિલ્મ રામ સેતુનું પોસ્ટર વાયરલ થયું હતું. અક્ષય કુમારે તેના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં અક્ષય કુમાર સાથે જેકલીન અને સત્યદેવ જોવા મળી રહ્યા છે. ફિલ્મના પોસ્ટરમાં તમે જોઈ શકો છો કે આ ત્રણેય એક્ટર એક ઐતિહાસિક સ્થળ પર જોવા મળે છે. આ ત્રણેય એક ગુફાની અંદર દેખાય રહ્યા છે, જેની દિવાલ પર એક અલગ નિશાન બનેલું છે.
View this post on Instagram
અક્ષય કુમાર સ્ટારર આ ફિલ્મ આ વર્ષે 2022ની દિવાળી પર રિલીઝ થશે. આ ફિલ્મનું શૂટિંગ પણ પૂરું થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ મેકર્સ દ્વારા ફિલ્મની રિલીઝ ડેટ ફાઈનલ કરવામાં આવી છે. પરંતુ રિલીઝ પહેલા જ આ ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ છે. પરંતુ અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ રક્ષાબંધન ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે થિયેટરોમાં આવશે.