AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: નેપાળ-ચીન સરહદ પર ફસાયેલી ગુજરાતી અભિનેત્રી ભારત પરત ફરતા દીકરીને ગળે લગાવીને રડી પડી , જુઓ Video

માનસી પારેખ કૈલાશ માનસરોવર યાત્રા માટે નેપાળ ગઈ હતી. હાલમાં નેપાળમાં ગંભીર પરિસ્થિતિ છે. ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ઘરે પરત ફરી ચૂકી છે. એરપોર્ટ પર પરિવાર સાથે ઈમોશનલ જોવા મળી હતી.

Breaking News: નેપાળ-ચીન સરહદ પર ફસાયેલી ગુજરાતી અભિનેત્રી  ભારત પરત ફરતા દીકરીને ગળે લગાવીને રડી પડી , જુઓ Video
Image Credit source: AI
| Updated on: Sep 01, 2026 | 9:03 AM
Share

નેપાળ-ચીન સરહદ પર પૂરથી સર્જાયેલી પરિસ્થિતિ આપણે બધાએ જોઈ છે. કૈલાસ-માનસરોવર યાત્રા માટે ત્યાં ગયેલા ઘણા યાત્રાળુઓનો સંપર્ક થઈ શક્યો નથી. આ યાત્રામાં ગુજરાતી સિનેમાની ફેમસ અભિનેત્રી નેશનલ એવોર્ડ વિનિંગ અભિનેત્રી માનસી પારેખ પણ સામેલ હતા. આ ભયાનક ઘટના બાદ તે પોતાના ઘરે પરત ફરી છે. સોમવારના રોજ તે સુરક્ષિત રીતે ભારત આવી ચૂકી છે. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

માનસી પારેખ એરપોર્ટ પર થઈ ઈમોશનલ

માનસી પારેખ મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી. અહી તેનો પતિ પાર્થિવ ગોહિલ અને દીકરી નિરવ પણ હાજર હતા. અભિનેત્રી બંનેને જોતા આંખમાં આસું આવી ગયા હતા. માનસી પારેખે પોતાની દીકરીને ગળે લગાવતા રડી પડી હતી. એરપોર્ટ પર પતિએ ફૂલની માળાથી માનસીનું સ્વાગત કર્યું હતુ. અભિનેત્રીને જોઈ પતિએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

View this post on Instagram

ઘરે પરત ફરતા માનસીએ સ્ટોરી પોસ્ટ કરી

ઘરે પરત ફર્યા બાદ માનસી પારેખે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી દ્વારા આખી જર્ની વિશે વાત કરી છે. તેમણે એક લાંબી નોટ પણ શેર કરી છે. જેમાં લખ્યું હતુ કે, તમારા બધાનો પ્રેમ અને મેસેજ, ફોન પ્રાર્થના માટે દિલથી આભાર. છેલ્લા 3-4 દિવસ મારા માટે મુશ્કેલ રહ્યા હતા. ચીનમાંથી બહાર નીકળી નેપાળ બોર્ડર સુધી પહોંચવા એવું લાગ્યું જાણે અમે જંગ જીતી હોય. ચીનના નાયલમ શહેરમાં પણ મોટું લેન્સલાઈડ થયું હતુ. જેના કારણે અમે અંદાજે 4 કલાક અમારી બસમાં બેઠા હતા. ત્યારબાદ અમે ચીનમાંથી બહાર નીકળ્યા હતા.

View this post on Instagram

અંદાજે 4 કલાકની મુસાફરી કરી અમે કાઠમાંડુ પહોંચ્યા હતા. પરંતુ આ તમામ મુશ્કેલી બાદ સફળ શાનદાર રહી છે. મુંબઈ મારા પરિવારની પાસે આવી ગઈ છું. તમને જણાવી દઈએ કે, માનસી પારેખ સદગુરુના ઈશા ફાઉન્ડેશનની કૈલાશ માનસરોવર યાત્રા માટે ચીન ગઈ હતી.

નેપાળ-તિબેટ સરહદ પર વિનાશક પૂર

તમને જણાવી દઈએ કે, 26 ઓગસ્ટના રોજ નેપાળ-તિબેટ સરહદ પર એક વિનાશક અચાનક પૂર આવ્યું હતું, જેના કારણે સમગ્ર પ્રદેશમાં વ્યાપક તબાહી મચી ગઈ હતી. નેપાળ અને તિબેટમાં ઓછામાં ઓછા 903 લોકોના મોતની પુષ્ટિ થઈ છે,

તિબેટમાં આવેલા પૂરમાં ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ફસાઈ, જુઓ અભિનેત્રીનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી
Jamnagar Shravani Mela: શ્રાવણી મેળામાં સલામતી સર્વોપરી
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
g clip-path="url(#clip0_868_265)">