AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood News : સિનેમા અને સિરિયલ પર રહેશે ‘ધર્મ સેન્સર બોર્ડ’ની નજર, પઠાણની સાથે શરૂ થશે આ રચના

Bollywood News : બોલિવૂડ ફિલ્મોને હવે સેન્સર બોર્ડની સાથે-સાથે ધાર્મિક સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવશે. જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ધર્મ સેન્સર બોર્ડની (Dharma Censor Board) રચના કરી છે.

Bollywood News : સિનેમા અને સિરિયલ પર રહેશે 'ધર્મ સેન્સર બોર્ડ'ની નજર, પઠાણની સાથે શરૂ થશે આ રચના
Dharm Sensor Board
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 8:50 AM
Share

બોલિવૂડ ફિલ્મોને હવે સેન્સર બોર્ડની સાથે-સાથે ધાર્મિક સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવશે. જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ધર્મ સેન્સર બોર્ડની (Dharma Censor Board) રચના કરી છે. હવેથી ધર્મ સેન્સર બોર્ડ બોલિવૂડ ફિલ્મો, સિરિયલો અને OTT પ્લેટફોર્મ પર પણ નજર રાખશે. બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણથી આ ફોર્મેશનની શરૂઆત થશે.

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણ વિવાદોમાં ઘેરાયેલી છે. પઠાણને લઈને અત્યાર સુધી ઘણા ડ્રામા જોવા મળ્યા છે. દીપિકા પાદુકોણની બિકીનીને મુદ્દો બનાવીને વિરોધીઓએ ફિલ્મનો ઉગ્ર વિરોધ કર્યો છે. આવી સ્થિતિમાં હવે ધર્મ સેન્સર બોર્ડ 25 જાન્યુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ પઠાણ પર પણ નજર રાખશે. શંકરાચાર્ય સ્વામીએ બોલિવૂડ ફિલ્મો, સિરિયલો અને ઓટીટી પ્લેટફોર્મ સહિત અન્ય માધ્યમોમાં થઈ રહેલા કાર્યક્રમો પર ચિંતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : Bollywood News : અમુકની કરિયર ખતમ…અમુકે છોડ્યો દેશ, જાણો બોલિવુડની આ 7 અભિનેત્રીઓ વિશે, જેના અંડરવર્લ્ડ ગેંગસ્ટરો સાથે હતા કનેક્શન

શંકરાચાર્ય સ્વામીએ કહી આ વાત

શંકરાચાર્ય સ્વામીનું કહેવું છે કે, આ તમામ પ્લેટફોર્મ પર બતાવવામાં આવતી સામગ્રીથી હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે. જેના કારણે આ મોટું પગલું ભરવામાં આવ્યું છે. હવે દરેક ફિલ્મની રિલીઝ પહેલા આ ફોર્મેશન ફિલ્મો જોશે અને સર્ટિફિકેટ આપશે. આ ધર્મ સેન્સર બોર્ડે પઠાણ સાથે આ રચના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કે આ પછી સાઉથ સ્ટાર પ્રભાસ અને સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરુષમાં પણ જોવા મળશે.

યુવા પેઢીના મનમાં શાસ્ત્રીય ધારણાઓ અંગે પરિવર્તન આવી રહ્યું છે

એટલું જ નહીં ધર્મ સેન્સર બોર્ડ જૂની ફિલ્મો પણ જોશે પરંતુ અત્યારે સમગ્ર ધ્યાન શાહરૂખના પઠાણ પર છે. તમને જણાવી દઈએ કે, સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી આવતા ગુરુવારે માઘ મેળામાં તેમની શિબિરમાં ધર્મ સેન્સર બોર્ડને લઈને માર્ગદર્શિકા પણ બહાર પાડશે. તે કહે છે કે ફિલ્મો સામે પોતાનો ગુસ્સો કાઢવાથી ક્યારેક રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન થાય છે. જે પ્રકારનું કન્ટેન્ટ બતાવવામાં આવી રહ્યું છે તેના કારણે આપણી યુવા પેઢીના મનમાં શાસ્ત્રીય ધારણાઓ અંગે પરિવર્તન આવી રહ્યું છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">