AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddharth Kiaras wedding : 5 થી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે ફંક્શન, સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં 100-125 મહેમાનો આપશે હાજરી

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ કપલ આખરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે.

Siddharth Kiaras wedding : 5 થી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે ફંક્શન, સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં 100-125 મહેમાનો આપશે હાજરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2023 | 9:23 AM
Share

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ કપલ આખરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. લગ્નની લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મહેમાનોના નામથી લઈને લગ્નની તારીખ સુધીની તમામ બાબતો સામે આવી ગઈ છે. કિયારા-સિદ્ધાર્થ પણ હવે એક થવા માટે તૈયાર છે. જે લેટેસ્ટ માહિતી સામે આવી છે તે મુજબ લગ્નની વિધિઓ 5 ફેબ્રુઆરીથી શરૂ થશે. 5મી ફેબ્રુઆરીથી 8મી ફેબ્રુઆરી સુધી લગ્નના કાર્યક્રમો ચાલશે.

વેડિંગ પ્લાનરે તમામ તૈયારીઓ કરી

સિદ્ધાર્થ-કિયારાના લગ્નની જવાબદારી મુંબઈની એક મોટી વેડિંગ પ્લાનર કંપનીને સોંપવામાં આવી છે. જેમણે હોટેલ બુકિંગથી લઈને ગેસ્ટના ટ્રાન્સપોર્ટેશન સુધીની તમામ વ્યવસ્થા કરી છે. વેડિંગ પ્લાનર કંપનીએ લગ્નને વધુ સારા બનાવવા માટે તેના તરફથી તમામ શક્ય પ્રયાસો કર્યા છે. તેણે લગ્ન સાથે જોડાયેલા દરેક ફંકશનની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 4 ફેબ્રુઆરીથી મહેમાનો જેસલમેર પહોંચવા લાગશે. 4 ફેબ્રુઆરીએ 40 ફ્લાઈટ દ્વારા જેસલમેર જવા રવાના થશે.

100-125 મહેમાનો સામેલ થશે

સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ લગ્નમાં 100 થી 125 લોકો હાજરી આપશે. આ બધા લોકો પારિવારિક અને ખૂબ જ નજીકના મિત્રો બનવાના છે. બંને સ્ટાર્સના ભવ્ય લગ્ન માટે જેસલમેરના પ્રખ્યાત સૂર્યગઢ પેલેસની પસંદગી કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે ઈશા અંબાણી પણ લગ્નમાં હાજરી આપશે. ઈશા અને કિયારા બાળપણના મિત્રો છે.

84 લક્ઝરી રૂમ અને 70થી વધુ વાહનોનું બુકિંગ

લગ્નમાં આવનાર મહેમાનોની સુવિધાઓનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. આ માટે પેલેસ સૂર્યગઢના 84 લક્ઝરી રૂમ બુક કરવામાં આવ્યા છે. આ સિવાય 70 થી વધુ કાર પણ બુક કરવામાં આવી છે જેથી મહેમાનને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. આ 70 વાહનોમાં ઘણી મોંઘી કાર પણ છે. એવું માનવામાં આવે છે કે તેમાં મર્સિડીઝ, જગુઆર અને BMW જેવી લક્ઝરી કારનો સમાવેશ થાય છે.આ વાહનો જયપુરથી મંગાવવામાં આવી રહ્યા છે.

બોલિવૂડના પોપ્યુલર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હાલમાં તેમના લગ્નની તૈયારીઓમાં બિઝી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બંને ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ બી-ટાઉનનું આ ફેમસ કપલ ​​6 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે.

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">