Balasore Train Accident : સહાયના રૂપિયા પૂરા થઈ જશે ત્યારબાદ લોકો શું કરશે? સોનુ સૂદે પીડિતોને દર મહિને પગાર આપવાની કરી અપીલ
Sonu Sood Statement : બોલિવૂડ એક્ટર સોનુ સૂદે તાજેતરમાં બાલાસોરમાં થયેલા ટ્રેન દુર્ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે સરકારને અપીલ કરી છે કે તેઓ માત્ર પીડિતોને વળતર જ નહીં આપે પરંતુ ફિક્સ પગારની પણ વ્યવસ્થા કરે જેથી તેમનું ભવિષ્ય સુનિશ્ચિત થઈ શકે.
Sonu Sood Statement On Train Accident : ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાએ આખી દુનિયાને હચમચાવી દીધી છે. જે પણ આ વિશે સાંભળે છે તે શોકમાં છે. આ અકસ્માતમાં 280 થી વધુ લોકોના મોત થયા છે અને લગભગ 1000 લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘટનાસ્થળે પહોંચી ગયા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઘણા કલાકારો પણ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે કોરોનાના સમયગાળા દરમિયાન લોકોની મદદ કરનારા અભિનેતા સોનુ સૂદે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે અને પીડિતોને મદદ કરવા માટે પોતાનો પક્ષ રાખ્યો છે.
આ પણ વાંચો : Sonu Sood Video: ગુટખા ખાનાર વ્યક્તિનો સોનુ સુદે લીધો ક્લાસ, જુઓ Viral Video
સોનુ સુદે રાખી આ વાત
આ અકસ્માત બાદ મૃતકો અને ઈજાગ્રસ્તોને રૂપિયા આપવામાં આવી રહ્યા છે. પરંતુ સોનુ સૂદને આ વાત વધારે પસંદ નથી આવી રહી. તેઓ માને છે કે આ રકમ પુરી થયા પછી પીડિતો શું કરશે. તેથી જ સોનુ સૂદે આના પર કહ્યું છે કે, પીડિતોને જે વળતર મળશે તે થોડા સમયમાં સમાપ્ત થઈ જશે. આ પછી, જેનો પગ તૂટી ગયો છે અથવા જે ક્યારેય કામ કરી શકશે નહીં તે શું કરશે? તેથી જ સોનુ સૂદે સરકારને પીડિતોને દર મહિને ફિક્સ પગાર આપવાની વિનંતી કરી છે.
Heartbroken by the news of the train tragedy in Odisha. Heartfelt deepest condolences 💔🙏 Time to show our support and solidarity for the unfortunates. 💔#OdishaTrainAccident 🇮🇳 pic.twitter.com/ZfuYYp8HK9
— sonu sood (@SonuSood) June 3, 2023
સોનુ સૂદે ચિંતા વ્યક્ત કરી
ચિંતા વ્યક્ત કરતાં સોનુ સૂદે કહ્યું કે, તેને જે વળતર મળશે તે 3-4 મહિનામાં સમાપ્ત થઈ જશે. આપણે ટ્વિટ કરીએ છીએ, શોક વ્યક્ત કરીએ છીએ અને પછી આપણી જીવનમાં વ્યસ્ત થઈ જઈએ છીએ. પણ એ લોકોનું શું કે જેમનો પરિવાર જ બરબાદ થઈ જાય છે. જેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે. સરકારે તેમના માટે કંઈક વિચારવું જોઈએ. સરકાર સારું કામ કરી રહી છે પરંતુ તેમણે પીડિતો માટે નિશ્ચિત પેન્શનની વ્યવસ્થા કરવી જોઈએ.
View this post on Instagram
સોનુ સૂદની સરકારને ખાસ અપીલ
આ ભયાનક અકસ્માત બાદ સોનુ સૂદે સરકારને સીધી જ અપીલ કરી છે કે, આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને તેઓ ભવિષ્ય માટે કોઈ નક્કર પગલાં ભરે અને એવી નીતિઓ લઈને આવે જે પીડિતોને જીવનભર લાભ આપે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે સોનુની આ વિનંતી પર સરકાર કેવી પ્રતિક્રિયા આપે છે.