AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pathaan Movie : ‘કોણ શાહરૂખ ખાન ? હું નથી જાણતો…’, ‘પઠાણ’ વિવાદ પર આસામના CMનું નિવેદન

Pathaan controversy : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ઘણા સમયથી વિવાદોમાં રહી છે.

Pathaan Movie : 'કોણ શાહરૂખ ખાન ? હું નથી જાણતો...', 'પઠાણ' વિવાદ પર આસામના CMનું નિવેદન
Pathaan controversy
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 8:29 AM
Share

Pathaan controversy : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ પઠાણને લઈને ચર્ચામાં રહ્યો છે. પઠાણ 25 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. ફિલ્મ રિલીઝ થવામાં હવે માત્ર 3 દિવસ બાકી છે, પરંતુ પઠાણને લઈને વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ સમગ્ર વિવાદની શરૂઆત ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીપિકા પાદુકોણની કેસરી બિકીનીથી થઈ હતી.

જે બાદ વિવિધ સ્થળોએ પઠાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. ફિલ્મના સ્ટાર્સના પૂતળા પણ બાળવામાં આવ્યા હતા. શાહરૂખ ખાનની ફિલ્મના વિરોધીઓએ પણ ધમકી આપી છે કે જો આ ફિલ્મ રિલીઝ થશે તો સારું નહીં થાય. મધ્યપ્રદેશના સીએમએ પણ આ ફિલ્મ સામે અવાજ ઉઠાવ્યો છે. હવે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ આ ફિલ્મ સાથે જોડાયેલા સવાલનો એવો જવાબ આપ્યો કે બધા ચોંકી ગયા.

આ પણ વાંચો : Pathaan Controversy : KRKને કોર્ટમાં ધસડી જવાની તૈયારીમાં Shahrukh Khan? KRKએ પઠાણ ફ્લોપ હોવાના બતાવ્યા 3 કારણ

આસામમાં થિયેટરોની બહાર પઠાણ વિરુદ્ધ સૂત્રોચ્ચાર

સીએમ હિમંતા બિસ્વા સરમાને પઠાણ વિવાદ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક લોકોએ તેમને ‘પઠાણ’ પર બજરંગ દળ દ્વારા કરવામાં આવી રહેલા વિવાદ પર સવાલ ઉઠાવ્યા હતા. જેના જવાબમાં હિમંતા બિસ્વા સરમાએ કહ્યું- “કોણ શાહરૂખ ખાન? હું તેના વિશે કંઈ જાણતો નથી અને ફિલ્મ ‘પઠાણ’ વિશે પણ કંઈ જાણતો નથી. તમને જણાવી દઈએ કે, શુક્રવારે બજરંગ દળના કેટલાક લોકોએ આસામમાં થિયેટરોની બહાર પઠાણ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. એટલું જ નહીં આ લોકોએ ફિલ્મના સ્ટાર્સના પોસ્ટર પણ સળગાવી દીધા હતા.

આસામના CMએ આપ્યા આવા જવાબો

પ્રાપ્ત માહિતી અનુસાર સીએમ હિમંતે કહ્યું, “ખાને મને ફોન કર્યો નથી, પરંતુ જ્યારે પણ કોઈ સમસ્યા હોય છે, ત્યારે બોલિવૂડના ઘણા લોકોએ મને સમયાંતરે ફોન કર્યો છે. જો ખાન મને બોલાવશે તો હું મામલાને ગંભીરતાથી જોઈશ. આ અંગે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે કેસ પણ નોંધવામાં આવશે.

આ સિવાય જ્યારે એક રિપોર્ટરે સીએમને કહ્યું કે, ખાન બોલિવૂડના સુપરસ્ટાર છે. તેના જવાબમાં સીએમએ કહ્યું કે, લોકોએ હિન્દી સિનેમાની નહીં પણ પોતાના વિસ્તારની ચિંતા કરવી જોઈએ. આસામી ફિલ્મ Dr Bezbarua – Part 2 ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. તમે લોકોએ તેને જોવું જોઈએ. એટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું કે, જાવ અને આ ફિલ્મ જુઓ, હિન્દી ફિલ્મોની વાત ન કરો.

Follow Us
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
g clip-path="url(#clip0_868_265)">