Allu Arjun : સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશન પહોંચ્યો, અનેક સવાલો પુછવામાં આવી શકે છે

Allu Arjun : અલ્લુ અર્જુન સંધ્યા થિયેટર કેસમાં ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. 23 ડિસેમ્બરે પોલીસે તેને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યો હતો. અલ્લુ અર્જુને પહેલા જ કહ્યું છે કે, તે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે. હવે તે પોલીસ સ્ટેશનમાં છે, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Allu Arjun : સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશન પહોંચ્યો, અનેક સવાલો પુછવામાં આવી શકે છે
Sandhya Theater Case Details Pushpa 2
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2024 | 2:26 PM

અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ રિલીઝ થયાને 19 દિવસ થઈ ગયા છે. આ ફિલ્મ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી પરંતુ ફિલ્મનો પ્રીમિયર 4 ડિસેમ્બરે રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન અલ્લુ અર્જુન ફિલ્મ જોવા માટે સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો. ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી.

આ દરમિયાન રેવતી નામની મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર ઈજાગ્રસ્ત થયો હતો, જેની સારવાર ચાલી રહી છે. હવે અલ્લુ અર્જુન આ મામલે પોલીસ સમક્ષ હાજર થયો છે. તેમને 23 ડિસેમ્બરે નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

Rose : દુનિયામાં સૌપ્રથમ ગુલાબ ક્યાં ખીલ્યું હતું, કેટલી છે ગુલાબની પ્રજાતિ?
છૂટાછેડા બાદ ફરી લગ્ન કરવા જઈ રહી છે આ ફેમસ અભિનેત્રી?
Knowledge : ઝાડ પર બેઠેલા બે ઘુવડ કેવી રીતે વાત કરે છે? 10 પોઈન્ટથી સમજો
સારો સમય આવતા પહેલા ભગવાન આપે છે આ 10 સંકેત ! આટલું જાણી લેજો
વેલેન્ટાઈન વીકમાં ટોક્સિક પાર્ટનરને કેવી રીતે ઓળખશો?
Ambani's Chef Salary : નીતા અંબાણીના ઘરમાં રસોઈ બનાવવા વાળાને કેટલા રૂપિયા મળે છે?

ફરીથી પોલીસ નોટિસ મળી

મહિલાનું મૃત્યુ ‘પુષ્પા 2’ના પ્રીમિયરના દિવસે થયું હતું. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. 13 ડિસેમ્બરે તેની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તે પછી તે જામીન આપ્યા હતા. તાજેતરમાં તેને ફરીથી પોલીસ નોટિસ મળી છે. ત્યારબાદ તે સમગ્ર મામલાની તપાસ કરવા માટે ચિક્કડપલ્લી પોલીસ સમક્ષ હાજર થયો. જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અલ્લુ અર્જુન સાથે કોણ છે?

આ સમયે અલ્લુ અર્જુન સાથે તેના પિતા અલ્લુ અરવિંદ અને કાકા ચંદ્રશેખર રેડ્ડી પણ હાજર છે. હાલ પોલીસ તેનું નિવેદન નોંધી રહી છે. હાલમાં ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનની બહાર ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ચિક્કડપલ્લી એસીપી રમેશ અને સીઆઈ રાજુ નાઈક આ મામલાની તપાસ કરી રહ્યા છે. પોલીસે અલ્લુ અર્જુનની પૂછપરછ માટે 20 પ્રશ્નો તૈયાર કર્યા છે.

(Credit Source : Allu Arjun)

‘પુષ્પા 2’ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક હતી. આ જ કારણ છે કે તેણે નવો રેકોર્ડ બનાવ્યો છે. ટિકિટ બુકિંગ એપ બુક માય શોએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર ‘પુષ્પા 2’ના બુક માય શોમાં અત્યાર સુધીમાં 18 મિલિયન+ એટલે કે 1 કરોડ 80 લાખથી વધુ ટિકિટ વેચાઈ ચૂકી છે.

પુષ્પા 2 ની સ્ટોરી અને કલેક્શન

‘પુષ્પા 2’ ની વાર્તા વિશે વાત કરીએ તો આ ફિલ્મ ચંદનની દાણચોરીની આસપાસ ફરે છે અને પુષ્પાની ગેંગસ્ટર બનવાની સ્ટોરી બતાવે છે. રશ્મિકા મંદન્ના શ્રીવલ્લીના રોલમાં છે જ્યારે ફહાદ ફૈસિલ આઈપીએસ ભંવર સિંહના રોલમાં છે. આ ફિલ્મ 5 ડિસેમ્બરે વિશ્વના તમામ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ‘પુષ્પા 2’એ અત્યાર સુધી સ્થાનિક બોક્સ ઓફિસ પર 1074.85 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સિવાય ફિલ્મે દુનિયાભરમાં 1500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

g clip-path="url(#clip0_868_265)">