AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raksha Bandhan: અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’ના ટ્રેલરની તારીખ આવી સામે, અભિનેતાએ શેર કર્યો ખાસ મેસેજ

અક્ષય કુમાર (Akshay Kumar) અને ભૂમિની જોડી ફરી એકવાર 'રક્ષા બંધન'માં જોવા મળવાની છે. નિર્દેશક આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત આ ફિલ્મની રિલીઝ ડેટ ખાસ કરીને રજાઓને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે.

Raksha Bandhan: અક્ષય કુમારની ફિલ્મ 'રક્ષાબંધન'ના ટ્રેલરની તારીખ આવી સામે, અભિનેતાએ શેર કર્યો ખાસ મેસેજ
Raksha Bandhan
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 3:59 PM
Share

Film RakshaBandhan : ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ બાદ ટૂંક સમયમાં જ અક્ષય કુમાર ફરી એકવાર મોટા પડદા પર જોવા મળશે. તમને જણાવી દઈએ કે અભિનેતા અક્ષય કુમારની (Akshay Kumar) હાલમાં જ રિલીઝ થયેલી ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. પરંતુ તેમ છતાં અક્ષય કુમાર દર્શકોના મનોરંજન માટે સતત પોતાની ફિલ્મોની જાહેરાત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ઓગસ્ટમાં અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષા બંધન’ રીલિઝ થશે. અભિનેતા અક્ષય કુમારે ફિલ્મના ટ્રેલરને લઈને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. જેને જોઈને ચાહકો હવે આ બહુપ્રતિક્ષિત ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ દિવસે રિલીઝ થશે ટ્રેલર

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’ના ટ્રેલરની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આ અંગે અક્ષય કુમારે તેના સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. ફિલ્મનું ટ્રેલર 21 જૂન, મંગળવારે રિલીઝ થશે. પોસ્ટરમાં અક્ષય કુમાર ચાર યુવતીઓ સાથે બેઠો જોવા મળી રહ્યો છે. પોતાની પોસ્ટ શેર કરતા અક્ષય કુમારે એક કેપ્શન પણ લખ્યું છે. તેમણે લખ્યું- ‘બહેનો પ્રેમ છે. પ્રેમના અતૂટ બંધનથી બંધાયેલા છે, બહેનો અને ભાઈઓ! અમારો પ્રયાસ તેમની દુનિયાની ઝલક મેળવવાનો છે!’

ઓગસ્ટમાં રિલીઝ થશે ફિલ્મ?

તમને જણાવી દઈએ કે આ પહેલા અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધનની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી હતી. અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરતા એક વીડિયો પણ શેર કર્યો હતો. ‘રક્ષાબંધન’નું ટીઝર રિલીઝ કરતાં, અભિનેતા લખે છે, તમારા બધા માટે બંધનના સૌથી શુદ્ધ સ્વરૂપની વાર્તા લાવી રહ્યો છું. જે તમને તમારી વાતને યાદ અપાવશે! ️ રક્ષાબંધન 11 ઓગસ્ટ, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

ભૂમિ અને અક્ષય સાથે જોવા મળશે

તમને જણાવી દઈએ કે ભૂમિ પેડનેકર અને અક્ષય કુમાર ફિલ્મ ‘ટોયલેટઃ એક પ્રેમ કથા’ પછી ફરીથી સ્ક્રીન શેર કરવા માટે તૈયાર છે. અક્ષય અને ભૂમિની જોડી ફરી એકવાર ‘રક્ષા બંધન’માં જોવા મળવાની છે. ડિરેક્ટર આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત આ ફિલ્મની રિલીઝ ડેટ ખાસ કરીને રજાઓને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે.

અક્ષય કુમારની ‘રક્ષા બંધન’ અને આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ થતા જ 11 ઓગસ્ટે રક્ષા બંધન, 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ, 16 ઓગસ્ટે પારસી નવું વર્ષ અને 18 ઓગસ્ટે જન્માષ્ટમીની રજાઓ આવે છે. જણાવી દઈએ કે આ જ દિવસે આમિર ખાન અને કરીના કપૂર ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ પણ સિનેમાઘરોના દરવાજા ખટખટાવશે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">