AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Entertainment Top 5 News : રાજ કુન્દ્રા કેસમાં SIT ની રચના, ભોજપુરી અભિનેત્રીનો MMS લીક, વાંચો મનોરંજનના મહત્વના સમાચાર

મનોરંજન જગતમાં દરરોજ ઘણા સમાચારો સામે આવે છે, તેમાંથી કેટલાક સમાચાર એવા પણ છે જે ચાહકો માટે ખાસ છે. ત્યારે સામાચારોની વાત કરીએ તો, ભોજપુરી અભિનેત્રીનો MMS લીક ​​થયો, બીજી તરફ રાજ કુન્દ્રા કેસમાં SITની રચના કરવામાં આવી છે. ત્યારે ચાલો જાણીએ આજના મનોરંજન જગતના મહત્વના સમાચાર Entertainment Top 5 ખબરમાં.

Entertainment Top 5 News : રાજ કુન્દ્રા કેસમાં SIT ની રચના, ભોજપુરી અભિનેત્રીનો MMS લીક, વાંચો મનોરંજનના મહત્વના સમાચાર
Entertainment Top-5 News
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 12:05 PM
Share

Big News:ઋતવિક અને દીપિકાના ચાહકો માટે ખુશખબર, ‘ફાઇટર’ ફિલ્મ 2023 ની આ તારીખે રિલીઝ થશે.

આપને જણાવી દઈએ કે, આજે નિર્માતાઓએ સત્તાવાર રીતે ફિલ્મ રિલીઝ કરવાની તારીખ જાહેર કરી છે. ફિલ્મ રિલીઝની તારીખ જાહેર કરતા નિર્માતાઓએ જણાવ્યું હતુ કે,”ફિલ્મ ‘ફાઇટર’ (Fighter) પ્રજાસત્તાક દિવસ એટલે કે 26 જાન્યુઆરી 2023 ના રોજ રિલીઝ થશે.” આપને જણાવવું રહ્યું કે, આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે.

Shocking:અભિષેક બચ્ચને તેનો લક્ઝરિયસ એપાર્ટમેન્ટ વેચ્યો, જાણો શું હતું કારણ?

અહેવાલો અનુસાર, અભિષેક બચ્ચને (Abhishek Bachchan) પોતાનો એક જૂનો એપાર્ટમેન્ટ 45.75 કરોડમાં વેચી દીધો છે. આપને જણાવી દઈએ કે, અભિષેક અને તેના પરિવારનો કોઈ સભ્ય આ એપાર્ટમેન્ટમાં રહેતા ન હતા. અભિનેતા તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચન સાથે જલસામાં રહે છે, જે મુંબઈમાં બચ્ચન પરિવારનું ઘર છે.

આપને જણાવવું રહ્યું કે, અભિષેક બચ્ચનનું આ ઘર ઓબેરોય 360 માં 37 મા માળે હતું. એટલું જ નહીં આ ઘર 2014 માં અભિષેક બચ્ચને 41 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. ખાસ વાત એ છે કે, આ બિલ્ડિંગમાં અક્ષય કુમાર અને શાહિદ કપૂરના પણ એપાર્ટમેન્ટ છે. હાલ,ચાહકો પણ આ જાણીને થોડા આશ્ચર્યચકિત છે.

Raj kundra Case :રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ માટે SIT ની રચના કરી

પોર્ન ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરાયેલા રાજ કુન્દ્રાની (Raj Kundra) મુશ્કેલીઓ સતત વધી રહી છે. રાજ કુન્દ્રા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને હજુ સુધી તેને જામીન મળી શક્યા નથી.ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ માટે એક તપાસ ટીમની રચના કરી છે.

અહેવાલો અનુસાર, પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે (Mumbai Crime Branch) આ કેસની તપાસ માટે SIT ની રચના કરી છે.ઉલ્લેખનીય છે કે, ACP સ્તરના અધિકારી આ ટીમનું નેતૃત્વ કરશે. ઉપરાંત આ ટીમ ક્રાઈમ બ્રાંચના વરિષ્ઠ અધિકારીને આ અંગે રિપોર્ટ કરશે.

ભોજપુરી અભિનેત્રી ત્રિશાકરનો MMS લીક થયો, અભિનેત્રીએ કહ્યું – જો તમારી બહેન…

ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ભારે હડકંપ મચ્યો છે, કારણ કે તાજેતરમાં ભોજપુરી અભિનેત્રી ત્રિશાકર મધુનો MMS સોશિયલ મીડિયા પર લીક થયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ અભિનેત્રીના (Trisha Kar Madhu)ચાહકો ચોંકી ગયા હતા. જો કે, જે વ્યક્તિ સાથે અભિનેત્રીનો વીડિયો લીક થયો છે તેના વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.

Photos :અજય દેવગણે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે કરી ખાસ બેઠક, આ વિષય પર કરવામાં આવી ચર્ચા

અજય દેવગણ આજે બોલિવૂડનો મશહુર સ્ટાર (Bollywood Star) બની ગયો છે, ત્યારે 13 ઓગસ્ટના રોજ અભિનેતાની ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા રિલીઝ થઈ હતી. ત્યારે આજે તેઓ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો: Rhea Kapoor Wedding: સોનમ કપૂરની નાની બહેન રિયા આજે લગ્નના બંધનમાં બંધાશે, જાણો કોણ છે તેનો લાઈફ પાર્ટનર ?

આ પણ વાંચો: Throwback: તેમની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ના શૂટિંગ દરમિયાન ખૂબ ખુશ હતા સુશાંત સિંહ રાજપૂત, સહ-કલાકારો સાથે આ રીતે કરતા હતા મસ્તી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">