AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Drugs Case : શાહરૂખના લાડલાને કોઈ રાહત નહિ, આર્યનની જામીન અરજી અંગે બુધવારે થશે સુનાવણી

ડ્રગ્સ કેસમાં કિંગખાન શાહરૂખ ખાન (Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાનની મુશ્કેલી વધી રહી છે.ત્યારે મળતા અહેવાલ મુજબ બુધવારે આર્યની જામીન અરજી અંગે સુનાવણી થશે.

Aryan Drugs Case : શાહરૂખના લાડલાને કોઈ રાહત નહિ, આર્યનની જામીન અરજી અંગે બુધવારે થશે સુનાવણી
Aryan Khan Case
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 2:11 PM
Share

Aryan Drugs Case :  સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને આજે રાહત મળી નથી. જામીન ન મળવાને કારણે આર્યને હવે મુંબઈની આર્થર રોડ જેલમાં વધુ બે રાત વિતાવવી પડશે. ડ્રગ્સ કેસમાં આર્યનની કસ્ટડી (Aryan’s Custody) લંબાવવામાં આવી છે. મળતી માહતી અનુસાર,કોર્ટ દ્વારા આર્યનની જામની અરજી અંગે 13 ઓક્ટોબર ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

NCBએ ડ્રગ્સ કેસને લઈને કોર્ટ પાસે સમય માંગ્યો હતો

ઉલ્લેખનીય છે કે, NCBએ આર્યન ડ્રગ્સ કેસને (Drugs Case) લઈને કોર્ટ પાસે સમય માંગ્યો હતો. જેને કારણે મુંબઈ સેશન્સ કોર્ટે આર્યન ખાનની જામીન અરજી પર બુધવારે સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, આર્યન ખાન વતી એડવોકેટ સતીશ માનશિંદેએ શનિવારે એનડીપીએસ કોર્ટમાં જામીન માટે અપીલ કરી હતી. તેમજ 11 ઓક્ટોબરે વકીલ અમિત દેસાઈ આર્યન ખાનનું પ્રતિનિધિત્વ કરવા કોર્ટમાં પણ હાજર રહ્યા હતા.

આર્યનના વકીલે કોર્ટમાં આ દલીલ કરી

જો કે આર્યનના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યુ નથી, તેથી તેને જામીન મળવા જોઈએ. પરંતુ એનસીબીના વકીલ એસપી ચીમલકરે કહ્યું કે, અમિત દેસાઈએ (Lawyer Amit Desai) આપેલી હકીકતો સાચી નથી. NCB તમામ પુરાવા અને કાગળો કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે તૈયાર છે. પરંતુ આ માટે તેને 2-3 દિવસનો સમય જોઇએ છે. સામાન્ય રીતે, આ પ્રકારની કાર્યવાહીને લગતા પુરાવા અને માહિતી એકત્ર કરવા માટે દસ્તાવેજીકરણમાં એક સપ્તાહનો સમય લાગે છે.

પુરાવા એકઠા કરવા NCBએ કોર્ટમાં સમયની માંગ કરી

આર્યનના વકીલ અમિત દેસાઈએ જણાવ્યું હતું કે શુક્રવારે આર્યન ખાન (Aryan Khan) માટે જામીન અરજી દાખલ કર્યા બાદ NCB ને બે દિવસનો પૂરતો સમય મળ્યો છે. પરંતુ NCB ના અધિકારીઓ વધુ દરોડા પાડવામાં વ્યસ્ત હતા. તેથી યોગ્ય પુરાવા શોધી શક્યા નથી.આ અંગે એનસીબી વતી અન્ય વકીલ એસપીપી સેઠનાએ જણાવ્યું કે, આ કેસના પુરાવા માટે અમે બે-ત્રણ દિવસનો સમય માંગી રહ્યા છીએ, અને તે વાજબી માંગ છે. સામાન્ય રીતે NCB પુરાવા માટે સાત દિવસનો કોર્ટમાં સમય માંગતી હોય છે.

આ પણ વાંચો : Maharashtra Bandh : લખીમપુર ખેરી હિંસાની અસર મહારાષ્ટ્રમાં, રાજ્યબંધને પગલે ભાજપે ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો : Covid-19: મુંબઈની મુશ્કેલીમાં ફરી વધારો કરી શકે છે કોરોના, ‘આર વેલ્યુ’ સપ્ટેમ્બરના અંતમાં વધીને 1 થઈ

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">