AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: મુંબઈની મુશ્કેલીમાં ફરી વધારો કરી શકે છે કોરોના, ‘આર વેલ્યુ’ સપ્ટેમ્બરના અંતમાં વધીને 1 થઈ

રીપ્રોડક્શન નંબર અથવા આર વેલ્યુ સૂચવે છે કે સંક્રમિત વ્યક્તિ સરેરાશ કેટલા લોકોને સંક્રમિત કરી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો તે જણાવે છે કે વાયરસ કેટલી અસરકારક રીતે વધી રહ્યો છે.

Covid-19: મુંબઈની મુશ્કેલીમાં ફરી વધારો કરી શકે છે કોરોના, 'આર વેલ્યુ' સપ્ટેમ્બરના અંતમાં વધીને 1 થઈ
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 11:11 PM
Share

દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)માં સપ્ટેમ્બરના અંતમાં ‘આર વેલ્યુ’ વધીને એક થઈ ગઈ છે. આર મૂલ્ય સૂચવે છે કે કોવિડ -19 મહામારી કેટલી ઝડપથી ફેલાઈ રહી છે. આ માહિતી એક અભ્યાસમાં બહાર આવી છે.

રીપ્રોડક્શન નંબર અથવા આર વેલ્યુ સૂચવે છે કે સંક્રમિત વ્યક્તિ સરેરાશ કેટલા લોકોને સંક્રમિત કરી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો તે જણાવે છે કે વાયરસ કેટલી અસરકારક રીતે વધી રહ્યો છે. જો આર વેલ્યુ એક કરતા ઓછી હોય તો તેનો અર્થ એ છે કે સંક્રમણ ધીરે ધીરે ફેલાઈ રહ્યું છે જ્યારે એક કરતા વધારે હોવાનો અર્થ એ છે કે દરેક  સંક્રમિત વ્યક્તિ સંક્રમણ ફેલાવી રહ્યો છે અને તેને મહામારીનો તબક્કો કહેવામાં આવે છે.

ક્યારે કેટલી થઈ આર વેલ્યુ

ચેન્નઈ સ્થિત ગણિત વિજ્ઞાન સંસ્થાના અભ્યાસ મુજબ મુંબઈની R વેલ્યુ 10થી 13 ઓગસ્ટની વચ્ચે 0.70 હતી, જે 13થી 17 ઓગસ્ટ વચ્ચે વધીને 0.95 થઈ ગઈ હતી. 25 ઓગસ્ટથી 18 સપ્ટેમ્બર સુધી તેમાં વધારો જોવા મળ્યો હતો અને 1.09 પર પહોંચ્યો હતો. જોકે 25 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર વચ્ચે તેમા ઘટાડો નોંધાયો હતો અને તે ઘટીને 0.95 થયો હતો.

સંસ્થાના જણાવ્યા અનુસાર 28થી 30 સપ્ટેમ્બર વચ્ચે ફરી એક વખત R મૂલ્યમાં વધારો થયો અને 1.03 પર પહોંચી ગયો. મુંબઈમાં R મૂલ્ય એવા સમયે વધી રહ્યું છે, જ્યારે તહેવારોની સિઝનને કારણે કોવિડ -19ના કેસોની સંખ્યા વધી રહી છે.

R વેલ્યુ વધ્યા પછી પણ પરિસ્થિતિ સારી છે

6 ઓક્ટોબરના રોજ મુંબઈમાં કોવિડ -19ના 629 નવા કેસ નોંધાયા હતા, જે 14 જુલાઈના 635 કેસ પછી સૌથી વધુ છે. દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 7 ઓક્ટોબર (નવરાત્રિના પ્રથમ દિવસ)થી ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી છે.

ચેન્નાઈ સ્થિત સંસ્થાના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરના અંતમાં મુંબઈની આર વેલ્યુ વધીને એક થઈ ગઈ છે, પરંતુ હજુ પણ શહેરની સ્થિતિ કોલકત્તા અને બેંગલોર કરતાં સારી છે. કોલકાતામાં આર વેલ્યુ 1 ઓગસ્ટથી એકની નજીક રહી છે અને 29 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી શહેરમાં આર વેલ્યુ 1.06 રહી હતી. બેંગ્લોરની આર વેલ્યુ પણ છેલ્લા મહિનાથી લગભગ સમાન છે અને 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર વચ્ચે તે વધીને 1.05 થઈ છે. દિલ્હી, ચેન્નાઈ અને પૂણેમાં આર વેલ્યુ એકથી નીચે છે.

આ પણ વાંચો :  ‘શિવસેનાનો વિલય કોંગ્રેસમાં કરવાની તૈયારી’, પ્રિયંકા ગાંધીની પ્રશંસા કરતા સાંસદ સંજય રાઉત ભાજપના નિશાના પર

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">