Covid-19: મુંબઈની મુશ્કેલીમાં ફરી વધારો કરી શકે છે કોરોના, ‘આર વેલ્યુ’ સપ્ટેમ્બરના અંતમાં વધીને 1 થઈ

રીપ્રોડક્શન નંબર અથવા આર વેલ્યુ સૂચવે છે કે સંક્રમિત વ્યક્તિ સરેરાશ કેટલા લોકોને સંક્રમિત કરી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો તે જણાવે છે કે વાયરસ કેટલી અસરકારક રીતે વધી રહ્યો છે.

Covid-19: મુંબઈની મુશ્કેલીમાં ફરી વધારો કરી શકે છે કોરોના, 'આર વેલ્યુ' સપ્ટેમ્બરના અંતમાં વધીને 1 થઈ
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 11:11 PM

દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)માં સપ્ટેમ્બરના અંતમાં ‘આર વેલ્યુ’ વધીને એક થઈ ગઈ છે. આર મૂલ્ય સૂચવે છે કે કોવિડ -19 મહામારી કેટલી ઝડપથી ફેલાઈ રહી છે. આ માહિતી એક અભ્યાસમાં બહાર આવી છે.

રીપ્રોડક્શન નંબર અથવા આર વેલ્યુ સૂચવે છે કે સંક્રમિત વ્યક્તિ સરેરાશ કેટલા લોકોને સંક્રમિત કરી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો તે જણાવે છે કે વાયરસ કેટલી અસરકારક રીતે વધી રહ્યો છે. જો આર વેલ્યુ એક કરતા ઓછી હોય તો તેનો અર્થ એ છે કે સંક્રમણ ધીરે ધીરે ફેલાઈ રહ્યું છે જ્યારે એક કરતા વધારે હોવાનો અર્થ એ છે કે દરેક  સંક્રમિત વ્યક્તિ સંક્રમણ ફેલાવી રહ્યો છે અને તેને મહામારીનો તબક્કો કહેવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ક્યારે કેટલી થઈ આર વેલ્યુ

ચેન્નઈ સ્થિત ગણિત વિજ્ઞાન સંસ્થાના અભ્યાસ મુજબ મુંબઈની R વેલ્યુ 10થી 13 ઓગસ્ટની વચ્ચે 0.70 હતી, જે 13થી 17 ઓગસ્ટ વચ્ચે વધીને 0.95 થઈ ગઈ હતી. 25 ઓગસ્ટથી 18 સપ્ટેમ્બર સુધી તેમાં વધારો જોવા મળ્યો હતો અને 1.09 પર પહોંચ્યો હતો. જોકે 25 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર વચ્ચે તેમા ઘટાડો નોંધાયો હતો અને તે ઘટીને 0.95 થયો હતો.

સંસ્થાના જણાવ્યા અનુસાર 28થી 30 સપ્ટેમ્બર વચ્ચે ફરી એક વખત R મૂલ્યમાં વધારો થયો અને 1.03 પર પહોંચી ગયો. મુંબઈમાં R મૂલ્ય એવા સમયે વધી રહ્યું છે, જ્યારે તહેવારોની સિઝનને કારણે કોવિડ -19ના કેસોની સંખ્યા વધી રહી છે.

R વેલ્યુ વધ્યા પછી પણ પરિસ્થિતિ સારી છે

6 ઓક્ટોબરના રોજ મુંબઈમાં કોવિડ -19ના 629 નવા કેસ નોંધાયા હતા, જે 14 જુલાઈના 635 કેસ પછી સૌથી વધુ છે. દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 7 ઓક્ટોબર (નવરાત્રિના પ્રથમ દિવસ)થી ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી છે.

ચેન્નાઈ સ્થિત સંસ્થાના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરના અંતમાં મુંબઈની આર વેલ્યુ વધીને એક થઈ ગઈ છે, પરંતુ હજુ પણ શહેરની સ્થિતિ કોલકત્તા અને બેંગલોર કરતાં સારી છે. કોલકાતામાં આર વેલ્યુ 1 ઓગસ્ટથી એકની નજીક રહી છે અને 29 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી શહેરમાં આર વેલ્યુ 1.06 રહી હતી. બેંગ્લોરની આર વેલ્યુ પણ છેલ્લા મહિનાથી લગભગ સમાન છે અને 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર વચ્ચે તે વધીને 1.05 થઈ છે. દિલ્હી, ચેન્નાઈ અને પૂણેમાં આર વેલ્યુ એકથી નીચે છે.

આ પણ વાંચો :  ‘શિવસેનાનો વિલય કોંગ્રેસમાં કરવાની તૈયારી’, પ્રિયંકા ગાંધીની પ્રશંસા કરતા સાંસદ સંજય રાઉત ભાજપના નિશાના પર

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">