અર્જુન કપૂર કેન્સર પીડિત 100 યુગલોની સારવારનો ખર્ચ ઉઠાવશે
કોરોના વાઈરસે લોકોના જીવનમાં આવી ઉથલ પાથલ પેદા કરી હતી, જે તેમના માટે હેન્ડલ કરવી મુશ્કેલ બની હતી. આવી સ્થિતિમાં સમાજનો એક એવો વર્ગ હતો જે ભૂખ્યા, હેરાન પરેશાન લોકોની મદદ માટે આગળ આવ્યો છે.
કોરોના વાઈરસે લોકોના જીવનમાં આવી ઉથલ પાથલ પેદા કરી હતી, જે તેમના માટે હેન્ડલ કરવી મુશ્કેલ બની હતી. આવી સ્થિતિમાં સમાજનો એક એવો વર્ગ હતો જે ભૂખ્યા, હેરાન પરેશાન લોકોની મદદ માટે આગળ આવ્યો છે. સામન્યથી લઈને વિશેષ લોકોએ વ્યક્તિઓ અને પ્રાણીઓની મદદ કરવાનો પ્રયાસ કર્યો. બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર કેન્સરથી પીડિત આવા 100 યુગલોની મદદ માટે આગળ આવ્યા છે. તેઓ કહે છે કે કોવિડ રોગચાળાએ તેમને અન્ય લોકોને મદદ કરવાનું મહત્વ શીખવ્યું છે.
અર્જુન કપૂરે કહ્યું, “રોગચાળોએ આપણે બધાને એકબીજાને મદદ કરવા અને પ્રેમ ફેલાવવાનું મહત્ત્વ શીખવ્યું છે. અમારા પ્રિયજનોને ખાસ લાગે તે માટે અમે ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવા તૈયાર છીએ. પરંતુ આ ખાસ પ્રસંગે મેં કંઈક અલગ કરવાનું નક્કી કર્યું છે. “અર્જુનની માતા મોના શૌરીનું કેન્સરને કારણે અવસાન થયું હતું. તેઓ હવે કેન્સર દર્દીઓ સહાય માટે કેન્સર પેશન્ટ્સ એઈડ એસોસિએશન (CPAA) સાથે મળીને કામ કરી રહ્યા છે.”
‘આવા 100 જરૂરિયાતમંદ યુગલોનેને ટેકો આપુ છું’, જેમને કેન્સર છે
તેમણે કહ્યું કે, ‘કેન્સર પેશન્ટ્સ એઈડ એસોસિએશન દ્વારા, હું આવા 100 કેન્સર જરૂરિયાતમંદ યુગલોને સપોર્ટ કરું છું. આનો અર્થ એ છે કે યુગલો જેમાં એક સાથી બીમારીથી પીડિત છે અને બીજો આ યુદ્ધ લડવાના દરેક પગલા પર તેમનો સાથ આપે છે. કેન્સર વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને ગંભીર અસર કરે છે, જે કોરોના વાયરસને કારણે તેમના માટેનું જોખમ વધારે છે. પાછલુ વર્ષ આવા યુગલો માટે ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે તેઓ માત્ર સખત લડાઈ લડતા ન હતા, પરંતુ કોવિડના ગંભીર ભયને કારણે તેઓ તેમના ઘરોમાં બંધ હતા. તેમાંના ઘણા પાસે ખોરાક અને દવાઓ ખરીદવા માટે આવકનું સાધન પણ નહોતું.”
અભિનેતાએ લોકોને ટેકો આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, વાર્ષિક 1 લાખ રૂપિયાની સહાયથી આપણે તેમને આર્થિક રીતે નિષ્ક્રિય બનતા બચાવી શકીએ છીએ. આ રકમ દ્વારા આપણે તેમને કીમોથેરાપી અને રેડિયોચિકિત્સા, સર્જરી અને દવાઓનો ખર્ચ સહન કરવામાં સહાય કરી શકીએ છીએ.”
આ પણ વાંચો: ભાજપમાં જોડાવવા મુદ્દે કોંગ્રેસ નેતા ગુલાબનબી આઝાદે આપ્યો આ જવાબ